શોધખોળ કરો

J&K: બારામુલામાં આતંકી હુમલો, એક જવાન શહીદ, સેના હાથ ધરશે સર્ચ ઓપરેશન

શ્રીનગર: રવિવારે રાત્રે સાડા દસ વાગે બારામુલા સ્થિત 46 રાષ્ટ્રીય રાઈફલ્સ અને બીએસએફના કેમ્પો પર લગભગ 6 આતંકવાદીઓએ ફિદાયિન હુમલો કર્યો હતો. અથડામણમાં એક પણ આતંકી માર્યા ગયા હોવાના અહેવાલ હજી સુધી આવ્યા નથી. હુમલામાં બીએસએફનો એક સંત્રી શહીદ થઈ ગયો હતો. લશ્કર અને બીએસએફના પાંચ જવાનો પણ ઘાયલ થયા છે. જો કે સુરક્ષાકર્મીઓની ચોક્કસાઈને કારણે આતંકવાદીઓ કેમ્પમાં નહોતા ઘૂસી શક્યા. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં ભારતીય લશ્કરની સર્જિકલ સ્ટ્રાઇકના ત્રણ દિવસ બાદ આતંકવાદીઓએ આ હુમલો કર્યો છે. ઉરી હુમલાના માત્ર 14 દિવસની અંદર જમ્મુ-કાશ્મીરમાં ભારતીય લશ્કર ઉપર આ બીજો મોટો હુમલો છે. રાત્રે સાડા 12 વાગ્યે સ્થિતિ કાબૂમાં હોવાની લશ્કરે જાહેરાત કરી હતી. વધુ હુમલાની આશંકાએ સમગ્ર રાજ્યમાં લશ્કર અને અર્ધસૈનિક દળોને એલર્ટ કરી દેવાયા છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય રાઈફલ્સ આતંકવાદીઓ સામેના અભિયાનનું સંચાલન કરે છે. દરમિયાન બીએસએફના મહાનિર્દેશકે ગૃહપ્રધાન રાજનાથ સિંહને આખીયે ઘટનાની માહિતી આપી છે. બીજી તરફ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવાલે પણ મોડી રાતે ગૃહપ્રધાન સાથે ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે રાજનાથ સિંહ સોમવારે કાશ્મીરની બે દિવસની મુલાકાતે જવાના છે. આતંકીના બે જૂથે 46 રાષ્ટ્રીય રાઈફલ્સના કેમ્પ પર રાત્રે સાડા દસ વાગે હુમલો કર્યો હતો. એક જૂથે પાર્કના રસ્તે કેમ્પમાં જ્યારે બીજા જૂથે ઝેલમ નદી તરફથી ઘૂસવાનો પ્રયાસ કર્યો. ગ્રેનેડ ફેંક્યા. સૈન્યએ આતંકીઓને કેમ્પમાં ઘૂસતા અટકાવ્યા હતા. સૈન્યએ સામનો કરતાં આતંકી અંધારાનો લાભ ઉઠાવીને અહીં-તહીં છુપાઈને બે મોરચામાં ફાયરિંગ કરવા લાગ્યા. સૈન્ય અને બીએસએફે સાથે મળીને કાર્યવાહી કરી. રાત્રે લગભગ પોણા 12 વાગ્યે ફાયરિંગ બંધ થઈ ગયું. બચેલા આતંકવાદીઓને ઘેરીને સર્ચ અભિયાન શરૂ કરી દીધું હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સરકારી રાહે સંસ્કૃતિનું ચીરહરણ!Hun To Bolish | હું તો બોલીશ | કોના બાપની દિવાળી?Tarnetar Mela Controversy | તરણેતરના મેળામાં અશ્લીલ ડાન્સ મુદ્દે પ્રવાસન મંત્રીએ શું કર્યો ખુલાસો?Vadodara BJP | વડોદરા ભાજપમાં ભડકાના એંધાણ, ભાજપ પ્રમુખની બેફામ બયાનબાજી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં કાળા તલથી કરો આ 4 કામ, 7 પેઢીઓ રહેશે ખુશહાલ
Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં કાળા તલથી કરો આ 4 કામ, 7 પેઢીઓ રહેશે ખુશહાલ
HDFC બેંક લાવી રહી છે વધુ એક IPO, 25,000,000,000 રૂપિયાના શેર ઓફર કરશે
HDFC બેંક લાવી રહી છે વધુ એક IPO, 25,000,000,000 રૂપિયાના શેર ઓફર કરશે
Embed widget