શોધખોળ કરો

Ayodhya: પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમ સવારે અયોધ્યામાં રામ મંદિર બહાર ભક્તોની ભારે ભીડ, જુઓ VIDEO

Ayodhya Ram Mandir:આજથી રામ મંદિરના દરવાજા તમામ ભક્તો માટે ખુલશે. જો ભીડ વધશે તો રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દર્શનનો સમયગાળો લંબાવશે.

Ayodhya Ram Mandir: અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પછીની પ્રથમ સવારે ભક્તો શ્રીરામ મંદિરના મુખ્ય દ્વાર પર સવારે 3 વાગ્યાથી શ્રી રામલલાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં એકઠા થવા લાગ્યા હતા. આજથી રામલલા ભક્તોને દર્શન આપશે. આજથી રામ મંદિરના દરવાજા તમામ ભક્તો માટે ખુલશે. ભક્તો ગર્ભગૃહમાં બેઠેલી મૂર્તિની સાથે નવી મૂર્તિના પણ દર્શન કરી શકશે. જો ભીડ વધશે તો રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દર્શનનો સમયગાળો લંબાવશે.

અસ્થાયી મંદિરમાં બિરાજમાન રામલલાના દર્શન 20 જાન્યુઆરીની સવારથી બંધ કરી દેવામાં આવ્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓને આખરી ઓપ આપવાના હેતુથી ટ્રસ્ટે આ નિર્ણય લીધો હતો. દરમિયાન રવિવારે રાત્રે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામલલાની મૂર્તિ નવા મંદિરમાં સ્થાપિત કરવા માટે પૂજારીઓને સોંપી હતી. નવી મૂર્તિની સ્થાપના બાદ મંગળવારથી તમામ ભક્તો રામ મંદિરમાં બંને મૂર્તિઓના દર્શન કરી શકશે.

સવારે સાત વાગ્યાથી દર્શન શરૂ થશે અને સાડા અગિયાર વાગ્યા સુધી દર્શન કરી શકાશે. આ પછી બપોરે 2 વાગ્યાથી સાંજના 6.30 વાગ્યા સુધી દર્શન કરી શકાશે. ભક્તોની ભીડ વધશે તો દર્શનનો સમયગાળો લંબાવવામાં આવશે. દરમિયાન સોમવારે પણ સામાન્ય ભક્તો રામલલાના દર્શન કરી શક્યા ન હતા.

હવે રામલલાની 24 કલાકમાં અષ્ટયામ સેવા કરાશે. આ ઉપરાંત છ વખત રામલલાની આરતી કરવામાં આવશે. આરતીમાં હાજરી આપવા માટે પાસ આપવામાં આવશે. અત્યાર સુધી રામલલા વિરાજમાનની બે આરતીઓ હતી. રામલલાના પૂજારીઓના પ્રશિક્ષક આચાર્ય મિથિલેશનંદિની શરણે કહ્યું કે, હવે મંગળા, શ્રૃંગાર, ભોગ, ઉત્થાપન, સંધ્યા અને રામલલાની શયન આરતી થશે.           

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?

વિડિઓઝ

Ganesh Gondal : ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ગાંધીનગરમાં શરૂ, 13 ડિસેમ્બર સુધી ચાલશે તપાસ
Gujarat Home Guard : ગુજરાતમાં હોમગાર્ડની નિવૃત્તિ વય મર્યાદા વધારી કરાઈ 58 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : 'જેવું બોલશો એવું ભરશો'
Hun To Bolish : હું તો બોલીશ : ચરિત્રહીન કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : દેવામાં ડૂબ્યા શહેર ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
બિહારના રાજકારણમાં ભૂકંપ: કેન્દ્રીય મંત્રી સહિત 8 નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો RTIમાં ઘટસ્ફોટ
બિહારના રાજકારણમાં ભૂકંપ: કેન્દ્રીય મંત્રી સહિત 8 નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો RTIમાં ઘટસ્ફોટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
IND vs SA T20 Series: સૂર્યકુમારની સેના તૈયાર, કટકથી થશે યુદ્ધનો પ્રારંભ; જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે Live મેચ
IND vs SA T20 Series: સૂર્યકુમારની સેના તૈયાર, કટકથી થશે યુદ્ધનો પ્રારંભ; જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે Live મેચ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
Embed widget