શોધખોળ કરો

92 વર્ષની વયે રામ જન્મભૂમિ માટે કેસ લડનારા પરાસરન કોણ છે ? જાણો વિગત

અયોધ્યા મામલા ઉપરાંત પરાસરન સબરીમાલા મામલામાં ભગવાન અયપ્પાનું પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે. વકીલાત તેમને વારસામાં મળી હતી. તેમના પિતા કેશવ અય્યંગર પણ વકીલ હતા. પરાશરણના બંને દીકરા મોહન પરાસરન અને સતીશ પરાસરન પણ વકીલ છે.

નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર સંકુલમાં ગર્ભગૃહની જમીન હિંદુઓની હોવાનો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેંચે સર્વસંમતિથી આ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે થયેલા સુનાવણીમાં સુન્ની વક્ફ બોર્ડ તરફથી વરિષ્ઠ વકીલ રાજીવ ધવન અને રામલલા બિરાજમાન તરફથી પરાસરને દલીલો કરી હતી. પરાસરનની ઉંમર 92 વર્ષ છે, તેમને ‘પિતામહ’ના ઉપનામે પણ ઓળખવામાં આવે છે. અયોધ્યા મામલા ઉપરાંત પરાસરન સબરીમાલા મામલામાં ભગવાન અયપ્પાનું પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે. 1927માં તમિલનાડુમાં જન્મ કે પરાસરનનો જન્મ 1927માં તમિલનાડુના શ્રીરંગમાં થયો હતો. તેઓ તમિલનાડુથી લઈ કેન્દ્ર સરકારોના ફેવરિટ રહ્યા છે. વકીલાત તેમને વારસામાં મળી હતી. તેમના પિતા કેશવ અય્યંગર પણ વકીલ હતા. પરાશરણના બંને દીકરા મોહન પરાસરન અને સતીશ પરાસરન પણ વકીલ છે. વાજપેયી સરકારે પદ્મ ભૂષણથી કર્યું સન્માન 1958માં તેમણે પ્રેક્ટિસ શરૂ કરી હતી. પરાસરન વર્ષ 1976માં તમિલનાડુના એડવોકેટ રહ્યા હતા. 2003માં વાજપેયી સરકાર દરમિયાન તેમને પદ્મ ભૂષણ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. 2011માં મનમોહન સરકારે તેમને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા. સૉલિસિટર જનરલ રહી ચુક્યા છે પારાશરણ કે પરાસરન ભારતના સૉલિસિટર જનરલ રહી ચુક્યા છે. જે બાદ તેઓ અટૉર્ની જનરલ પણ બન્યા. સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા મામલાની સુનાવણી દરમિયાન જ્યારે પરાસરન દલીલો કરતા હતા ત્યારે CJI રંજન ગોગોઈએ તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને પૂછ્યું કે શું તમે બેસીને દલીલો કરવા ઈચ્છશો, તો પરાસરને જવાબ આપ્યો- ઈટ્સ ઓકે, કોર્ટની પરંપરા ઉભા રહીને દલીલો કરવાની છે અને મારે આ પરંપરાનું ધ્યાન રાખવાનું છે. પરાસરનની આ દલીલો રહી ચર્ચામાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન જ્યારે સીનિયર વકીલ રાજીવ ધવને દરરોજ સુનાવણી પર આપત્તિ દર્શાવી હતી ત્યારે પરાસરને કહ્યું, મરતા પહેલા મારી અંતિમ ઈચ્છા આ કેસને પૂરો કરવાની છે. હિન્દુ ધર્મગ્રંથો પર તેમની સારી પકડ છે. રામ જન્મભૂમિ - બાબરી મસ્જિદ વિવાદ દરમિયાન જસ્ટિસ અશોક ભૂષણે પરાસરનને પૂછ્યું કે જન્મ સ્થાનને એક વ્યક્તિના રૂપમાં કેવી રીતે જગ્યા આપી શકાય અને મૂર્તિઓ ઉપરાંત અન્ય ચીજોના કાનૂની અધિકાર કેવી રીતે નક્કી થશે. તો તેમણે ઋગ્વેદનું ઉદાહરણ આપીને કહ્યું- સૂર્યને ભગવાન માનવામાં આવે છે, પણ તેની કોઈ મૂર્તિ નથી. પરંતુ દેવતા હોવાના કારણે તેમના પર પણ કાનૂન લાગુ થાય છે. અન્ય એક સવાલના જવાબમાં તેમણે દલીલ કરી હતી હતી, અયોધ્યામાં 55-60 મસ્જિદો છે. મુસ્લિમ સમુદાયના લોકો અન્ય મસ્જિદમાં નમાજ પઢી શકે છે પરંતુ આ હિંદુઓ માટે ભગવાન રામનું જન્મસ્થાન છે અને અમે તેમના જન્મસ્થાનમાં બદલાવ ન કરી શકીએ. અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ CM વિજય રૂપાણીએ ટ્વિટ કરીને શું કહ્યું, જાણો વિગત સુપ્રીમ કોર્ટના ફેંસલાને ઉમા ભારતીએ ગણાવ્યો દિવ્ય, અશોક સિંઘલ અને લાલકૃષ્ણ અડવાણી માટે કહી આ વાત
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યાAhmedabad Rains | પાલડી ચાર રસ્તા પાસે AMTS બસ સ્ટેન્ડની બહાર જ રસ્તાની વચ્ચે ભુવો પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget