શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અયોધ્યા રામ મંદિરના ટ્ર્સ્ટ માટે 15 સભ્યોના નામની જાહેરાત, SCના સિનિયર વકીલ પરાસરનનો કરાયો સમાવેશ
કેન્દ્રીય કેબિનેટમાં બુધવારે રામ મંદિર નિર્માણ માટે ‘શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ ના ગઠનના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. તેના બાદ રામ મંદિર ટ્ર્સ્ટના 15 સભ્યોના નામની જાહેરાત કરવામાં આવી છે.
![અયોધ્યા રામ મંદિરના ટ્ર્સ્ટ માટે 15 સભ્યોના નામની જાહેરાત, SCના સિનિયર વકીલ પરાસરનનો કરાયો સમાવેશ Ayodya ram temple trust 15 members announced know names of trustee અયોધ્યા રામ મંદિરના ટ્ર્સ્ટ માટે 15 સભ્યોના નામની જાહેરાત, SCના સિનિયર વકીલ પરાસરનનો કરાયો સમાવેશ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/06043636/ram-mandir.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે કેન્દ્ર સરકારે એક ટ્ર્સ્ટ બનાવવાની જાહેરાત કરી છે. મોદી કેબિનેટમાં બુધવારે રામ મંદિર ટ્રસ્ટને મંજૂરી મળી હતી. તેના બાદ હવે આ ટ્ર્સ્ટના સભ્યોના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં 15 લોકોના નામની જાહેરાત કરવામાં આવી છે. અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદમાં હિન્દુ પક્ષના મુખ્ય વકીલ રહેલા 92 વર્ષીય કે.પરાશરનને ટ્રસ્ટી બનાવવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે 9 ફેબ્રુઆરી સુધી રામ મંદિર માટે ટ્રસ્ટ બનાવવાનો આદેશ આપ્યો હતો.
1. કે પરાશરન ( સુપ્રીમ કોર્ટના વકિલ)
2. શંકરાચાર્ય સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીજી મહારાજ (પ્રયાગરાજ)
3. જગતગુરૂ મધવાચાર્ય સ્વામી ( કર્ણાટકના પેજાવર મઠના પીઠાધીશ્વર)
4. યુગપુરૂષ પરમાનંદજી મહારાજ (અખંડ આશ્રમ હરિદ્વારના પ્રમુખ)
5. સ્વામી ગોવિંદ દેવગિરીજી મહારાજ (પ્રવચન કર્તા)
6. વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રા (અયોધ્યાના રાજપરિવારના વંશજ)
7. ડૉ. અનિલ મિશ્ર ( હોમિયોપેથિક ડોક્ટર)
8. શ્રી કામેશ્વર ચૌપાલ (પટના)
9. મહંત દિનેન્દ્ર દાસ (નિર્મોહી અખાડા, અયોધ્યા)
10. બોર્ડ ઓફ ટ્રસ્ટી દ્વારા નામિત
11. બોર્ડ ઓફ ટ્રસ્ટી દ્વારા નામિત
12. કેન્દ્રના પ્રતિનિધિ
13. રાજ્યના પ્રતિનિધિ
14. અયોધ્યાના ડીએમ
15. ટ્ર્સ્ટી દ્વારા નામિત ચેરમેન
કેન્દ્રીય કેબિનેટમાં બુધવારે રામ મંદિર નિર્માણ માટે ‘શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ ના ગઠનના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. સંસદમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ‘શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ટ્રસ્ટ બનાવવાનો પ્રસ્તા રાખ્યો. તેમણે કહ્યું કે, કેબિનેટની બેઠકમાં સરકારે આ નિર્ણય કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, આ મદ્દાને લઈને સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર એક યોજના તૈયાર કરી છે.
પીએમ મોદીએ કહ્યું, કરોડો દેશવાસીઓની જેમ જ મારા હૃદયની નજીક છે. આ વિષય પર વાત કરવી એ મારું સૌભાગ્ય સમજું છું. તેમણે કહ્યું, ‘આ વિષય શ્રીરામ જન્મભૂમિ સાથે જોડાયે છે. આ વિષય છે અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર સાથે જોડાયેલ છે.’
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)