શોધખોળ કરો

NIAના દરોડા પછી PFI પર લગાવવામાં આવ્યો પ્રતિબંધ, ગૃહ મંત્રાલયે જારી કર્યો આદેશ

આ સાથે જ આ પ્રતિબંધ તેની સાથે જોડાયેલા અન્ય તમામ સંગઠનો પર પણ લાગુ થશે. અગાઉ NIA દ્વારા દેશભરના તમામ રાજ્યોમાં આ સંગઠન વિરુદ્ધ દરોડા પાડવામાં આવ્યા હતા.

PFI Ban: ગૃહ મંત્રાલય તરફથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે વિવાદાસ્પદ સંગઠન પોપ્યુલર ફંડ ઓફ ઈન્ડિયા (PFI) પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દેશભરમાં છેલ્લા ઘણા દિવસોથી આ સંગઠન વિરુદ્ધ દરોડા પાડવામાં આવી રહ્યા હતા, ત્યારબાદ આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પીએફઆઈને ગેરકાયદેસર સંગઠન જાહેર કરીને તેને આગામી પાંચ વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. આ સાથે જ આ પ્રતિબંધ તેની સાથે જોડાયેલા અન્ય તમામ સંગઠનો પર પણ લાગુ થશે. અગાઉ NIA દ્વારા દેશભરના તમામ રાજ્યોમાં આ સંગઠન વિરુદ્ધ દરોડા પાડવામાં આવ્યા હતા, આ દરોડા દરમિયાન આતંકવાદી સંબંધોના આરોપો સહિત અનેક મહત્વપૂર્ણ પુરાવા એજન્સીઓને હાથ લાગ્યા હતા.

ઓપરેશન ઓક્ટોપસ હાથ ધરવામાં આવ્યું હતું

દેશભરમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) વિરુદ્ધ શરૂ થયેલી કાર્યવાહીને ઓપરેશન ઓક્ટોપસ નામ આપવામાં આવ્યું હતું. આ અંતર્ગત પહેલા દેશના કેટલાક રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ અચાનક એક સાથે 15 રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન પીએફઆઈના તમામ નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. ઓપરેશનના બીજા રાઉન્ડ હેઠળ, 27 સપ્ટેમ્બરના રોજ, દેશના 8 રાજ્યોમાં એજન્સીઓના ઇનપુટ્સ પર, એટીએસ અને રાજ્ય પોલીસે PFIના ઘણા સ્થળો પર દરોડા પાડ્યા હતા.

મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને આસામમાં, સુરક્ષા એજન્સીઓ દ્વારા મહા દરોડામાં 170 થી વધુ PFI શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી હતી. આસામ અને મહારાષ્ટ્રમાં 25થી વધુ લોકોની, યુપીમાં 57, દિલ્હીમાં 30, મધ્યપ્રદેશમાં 21, ગુજરાતમાં 10 અને કર્ણાટકમાં 80 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન ખૂબ જ મહત્વપૂર્ણ પુરાવા હાથમાં આવ્યા.

ગૃહ મંત્રાલયની નજર હતી

પીએફઆઈ સામેની કાર્યવાહી બાદથી ગૃહ મંત્રાલય આ મામલાની સતત દેખરેખ રાખી રહ્યું હતું. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આ દરોડા અંગે એક બેઠક પણ બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં NIA DG અને NSA અજીત ડોભાલ સહિત તમામ મોટા અધિકારીઓ હાજર હતા. કહેવામાં આવી રહ્યું છે કે ત્યારથી પીએફઆઈ પર પ્રતિબંધ લગાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. પીએફઆઈની કેડર, ફંડિંગ અને નેટવર્ક સંબંધિત અહેવાલો જોયા બાદ ગૃહ મંત્રાલયે આખરે પીએફઆઈને પ્રતિબંધિત સંગઠન જાહેર કર્યું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget