શોધખોળ કરો

Bangladesh Protests: બાંગ્લાદેશમાંથી અંદાજે 1000 ભારતીય વિદ્યાર્થીઓ પરત ફર્યા, અનામત વિવાદમાં 105ના મોત

બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામતનો વિરોધ હિંસક બની રહ્યો છે. અત્યાર સુધીમાં 105 લોકોના મોત થયા છે.

Bangladesh Protest: બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામતનો વિરોધ હિંસક બની રહ્યો છે. અત્યાર સુધીમાં 105 લોકોના મોત થયા છે. આ દરમિયાન વડાપ્રધાન શેખ હસીનાએ સમગ્ર દેશમાં કર્ફ્યુ અને સેના તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. બાંગ્લાદેશ સરકારે કર્ફ્યૂ જાહેર કર્યો છે. 8500 ભારતીય વિદ્યાર્થીઓમાંથી અત્યાર સુધીમાં 978 વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા છે. હિંસાગ્રસ્ત બાંગ્લાદેશમાંથી  આશરે 978 ભારતીય વિદ્યાર્થીઓે પરત લાવવામાં આવ્યા છે. 

આ ઉપરાંત, 200 જેટલા વિદ્યાર્થીઓ ઢાકા અને ચટગાંવ એરપોર્ટ દ્વારા નિયમિત ફ્લાઇટ સેવાઓ દ્વારા ઘરે પરત ફર્યા છે.  બાંગ્લાદેશની વિવિધ યુનિવર્સિટીઓમાં 4000 થી વધુ વિદ્યાર્થીઓ છે અને નેપાળ અને ભૂટાનના વિદ્યાર્થીઓને વિનંતી પર ભારતમાં પ્રવેશવામાં મદદ કરવામાં આવી છે. 

હાઈ કમિશન અને મદદનીશ હાઈ કમિશન દ્વારા ભારત બાંગ્લાદેશ ઈન્ટરનેશનલ બોર્ડર સાથે સરહદ ક્રોસિંગ પોઈન્ટ પર સલામત મુસાફરીની સુવિધા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. MEA ભારતીય નાગરિકો માટે સરળ માર્ગ સુનિશ્ચિત કરવા નાગરિક ઉડ્ડયન, ઇમિગ્રેશન, લેન્ડ પોર્ટ અને BSF સત્તાવાળાઓ સાથે પણ સંકલન કરી રહ્યું છે.

વિદેશ મંત્રાલય પડોશી દેશમાંથી ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા માટે વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલના અનુસાર, બાંગ્લાદેશમાં 8,500 વિદ્યાર્થીઓ સહિત અંદાજે 15,000 ભારતીય હતા. જ્યારે ભારતમાં બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ પોતાના દેશની સ્થિતિને લઈ ચિંતિત છે.

વિરોધ ગયા મહિનાના અંતમાં શરૂ થયો હતો પરંતુ હિંસક ન હતો. જો કે, આ વિરોધમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા ત્યારે મામલો વધી ગયો. ગયા સોમવારે, ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની પોલીસ અને સત્તાધારી અવામી લીગ દ્વારા સમર્થિત વિદ્યાર્થી સંગઠન સાથે અથડામણ થઈ હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા 100 લોકો ઘાયલ થયા છે.

મૃત્યુઆંકમાં સતત વધારો

બંગાળી અખબાર પ્રથમ આલોએ અહેવાલ આપ્યો છે કે, વિરોધીઓએ રસ્તાઓ અવરોધિત કર્યા અને સુરક્ષા અધિકારીઓ પર ઇંટો ફેંકવાના કારણે સમગ્ર દેશમાં ટ્રેન સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. ગુરુવારે બાંગ્લાદેશના 64માંથી 47 જિલ્લામાં હિંસામાં 27 લોકોના મોત થયા હતા અને 1,500 લોકો ઘાયલ થયા હતા. હોસ્પિટલોને ટાંકીને, એએફપીએ અલગથી જણાવ્યું હતું કે, શુક્રવાર રાતના વિરોધ પ્રદર્શનમાં મૃત્યુની કુલ સંખ્યા 105 પર પહોંચી ગઈ છે. જોકે પોલીસે મૃતકોની સંખ્યા જાહેર કરી નથી.

અમેરિકન એમ્બેસીનું કહેવું છે કે- પરિસ્થિતિ ઘણી અસ્થિર છે

આ પ્રદર્શનની વચ્ચે, ઢાકામાં યુએસ એમ્બેસીએ કહ્યું કે અહેવાલો દર્શાવે છે કે બાંગ્લાદેશમાં 40 થી વધુ લોકોના મોત થયા છે અને હજારો ઘાયલ થયા છે. ઢાકામાં વિરોધ પ્રસરી રહ્યો છે અને હિંસક અથડામણો થઈ રહી છે. પરિસ્થિતિ અત્યંત અસ્થિર છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jagannath Rath Yatra 2026: રવિ યોગમાં પુરીમાં જગન્નાથ મહાપ્રભુની રથયાત્રાનું પ્રસ્થાન, જાણો પુરેપુરૂ શિડ્યૂલ
Jagannath Rath Yatra 2026: રવિ યોગમાં પુરીમાં જગન્નાથ મહાપ્રભુની રથયાત્રાનું પ્રસ્થાન, જાણો પુરેપુરૂ શિડ્યૂલ
"તમે ઇચ્છો છો કે મને હાર્ટ એટેક આવે, પણ..." ભાજપ પર મમતા બેનર્જીનો સૌથી મોટો પ્રહાર!
Weather Update: દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, આ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર
Weather Update: દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, આ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર
અમદાવાદ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના: પાઇલટની વાતચીત નહિ થાય જાહેર, AAIBએ આપ્યું કારણ
અમદાવાદ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના: પાઇલટની વાતચીત નહિ થાય જાહેર, AAIBએ આપ્યું કારણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતા ઇમ્પેક્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરપીડિતોને સરકારની સહાય
Hun To Bolish : હું તો બોલીશ : વર્દીની લાજ તો રાખો
Gujarat Rain Breaking : ગુજરાતમાં સાંજ સુધીમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Vadodara Rain : વડોદરા શહેરમાં વરસાદનો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Jagannath Rath Yatra 2026 live: ભાઈ બલરામ, બહેન સુભદ્રાજી સાથે જગતના નાથ નીકળ્યા નગરચર્ચાએ, ભક્તોમાં અનેરો ઉત્સાહ
Ahmedabad Jagannath Rath Yatra 2026 live: ભાઈ બલરામ, બહેન સુભદ્રાજી સાથે જગતના નાથ નીકળ્યા નગરચર્ચાએ, ભક્તોમાં અનેરો ઉત્સાહ
Ahmedabad Rath Yatra: અમદાવાદમાં 149મી રથયાત્રાનો પ્રારંભ, પહિંદ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન
Ahmedabad Rath Yatra: અમદાવાદમાં 149મી રથયાત્રાનો પ્રારંભ, પહિંદ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન
ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
અમેરિકાએ સતત પાંચમા દિવસે ઈરાન પર કર્યો હુમલો, એક જહાજ નષ્ટ, બંદર અબ્બાસ, ચાબહારમાં વિસ્ફોટ
અમેરિકાએ સતત પાંચમા દિવસે ઈરાન પર કર્યો હુમલો, એક જહાજ નષ્ટ, બંદર અબ્બાસ, ચાબહારમાં વિસ્ફોટ
FIFA World Cup 2026: સાતમી વખત વર્લ્ડકપ ફાઈનલમાં મેસ્સીની ટીમ આર્જેન્ટિના, સેમિફાઈનલમાં ઈગ્લેન્ડને હરાવ્યું
FIFA World Cup 2026: સાતમી વખત વર્લ્ડકપ ફાઈનલમાં મેસ્સીની ટીમ આર્જેન્ટિના, સેમિફાઈનલમાં ઈગ્લેન્ડને હરાવ્યું
IRCTC ની નવી વેબસાઇટ લોન્ચ: હવે ટ્રેન ટિકિટ બુકિંગ થશે સુપરફાસ્ટ, જાણો 4 મોટા ફેરફારો
IRCTC ની નવી વેબસાઇટ લોન્ચ: હવે ટ્રેન ટિકિટ બુકિંગ થશે સુપરફાસ્ટ, જાણો 4 મોટા ફેરફારો
આવતીકાલનું હવામાન: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
આવતીકાલનું હવામાન: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
દેશમાં 41.2 લાખ કન્ટેન્ટ ક્રિએટર્સ, પણ માત્ર 15% જ કરે છે કમાણી; બાકીના તો...
દેશમાં 41.2 લાખ કન્ટેન્ટ ક્રિએટર્સ, પણ માત્ર 15% જ કરે છે કમાણી; બાકીના તો...
Embed widget