શોધખોળ કરો

Bhagwant Mann 'Deplaning' Row: પંજાબ CM ભગવંત માનની ફ્લાઈટ મોડી પડવા અંગે જર્મન એરલાઈન્સે જવાબ આપ્યો

પંજાબની આમ આદમી પાર્ટી સરકારના મુખ્યમંત્રી ભગવંત માન તેમની જર્મની મુલાકાતને લઈ હાલ ખુબ ચર્ચામાં છે. જર્મનીથી પરત આવતી વખતે માનને ફ્લાઈટમાંથી ઉતારી દેવામાં આવ્યા હોય એ વાતની ખુબ ચર્ચા થઈ હતી.

Bhagwant Mann 'Deplaning' Row: પંજાબની આમ આદમી પાર્ટી સરકારના મુખ્યમંત્રી ભગવંત માન તેમની જર્મની મુલાકાતને લઈ હાલ ખુબ ચર્ચામાં છે. જર્મની મુલાકાતથી પરત આવતી વખતે ભગવંત માનને ફ્લાઈટમાંથી ઉતારી દેવામાં આવ્યા હોય એ વાત અંગે ખુબ ચર્ચા જગાવી હતી. રાજકીય પાર્ટીઓએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે, CM ભગવંત માને દારુ પીધેલી હાલમાં હોવાથી તેમને લુફ્થાન્સા એરલાઈન્સની ફ્લાઈટમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. જો કે, આમ આદમી પાર્ટી તરફથી કહેવાયું હતું કે, ફ્લાઈટમાં આવેલી ખરાબીના કારણે ભગવંત માનને ઉતરવું પડ્યું હતું.

જર્મનીની એરલાઈન્સે ટ્વીટ કર્યુંઃ

આ સમગ્ર મામલે હવે જર્મનીની એરલાઈન્સ લુફ્થાન્સાએ ટ્વીટ કરીને ખુલાસો કર્યો છે. પંજાબના સીએમ ભગવંત માનને ઉતારી દેવા અંગે લુફ્થાન્સાએ સોમવારે આ બાબતે પ્રતિક્રિયા આપી હતી અને પુષ્ટિ કરી હતી કે ઇનબાઉન્ડ ફ્લાઇટને કારણે મોડી ઉપડી હતી. આ બાબતે એરલાઇન પાસેથી સ્પષ્ટતા માંગતી ટ્વિટર પોસ્ટના જવાબમાં, લુફ્થાન્સાના મીડિયા રિલેશન્સ એકાઉન્ટથી આ ટ્વીટ કરીને જવાબ આપ્યો હતો. 

ટ્વીટમાં જણાવામાં આવ્યું છે કે, "ફ્રેન્કફર્ટથી દિલ્હીની અમારી ફ્લાઇટ વિલંબિત ઇનબાઉન્ડ ફ્લાઇટ અને એરક્રાફ્ટમાં ફેરફારને કારણે મૂળ સમય કરતાં મોડી ઉપડી હતી". જોકે, કંપનીએ હજુ સુધી આ વિવાદ અંગે સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. એરલાઈને વિલંબ માટે સીએમ ભગવંત માનની કોઈ સંડોવણીનો ઉલ્લેખ કર્યો નથી.

આપ દ્વારા આરોપ ફગાવાયા હતાઃ

અગાઉ, આમ આદમી પાર્ટી (AAP) એ પંજાબના મુખ્યમંત્રીને ફ્રેન્કફર્ટથી દિલ્હીની લુફ્થાન્સાની ફ્લાઇટમાંથી ઉતારી દેવાના મીડિયા અહેવાલો પર પ્રતિક્રિયા આપી હતી. પાર્ટીએ આરોપોને "પાયાવિહોણા" ગણાવતાં, મુખ્ય પ્રવક્તા મલવિંદર સિંહ કાંગે જણાવ્યું હતું કે, પંજાબના સીએમ કાર્યક્રમ મુજબ નવી દિલ્હી પાછા ફર્યા છે, તેમણે જર્મનીથી 18 સપ્ટેમ્બરે પરત ફરતી ફ્લાઈટ લીધી. તેમને 19મી સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં ઉતરાણ કરવાનું હતું. વિપક્ષ દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો પાયાવિહોણા છે અને ખોટો પ્રચાર થઈ રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Embed widget