શોધખોળ કરો

બેન્ક, પોસ્ટ ઓફિસ... આવતીકાલે 25 કરોડ કર્મચારીઓની હડતાળ, જાણો શું ખુલ્લુ રહેશે અને શું રહેશે બંધ

10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોના સંયુક્ત મંચ દ્ધારા તેને 'ભારત બંધ' નામ આપવામાં આવ્યું છે

દેશના 25 કરોડથી વધુ કર્મચારીઓ બુધવારે દેશવ્યાપી હડતાળ પર જવા માટે તૈયાર છે. બેન્કિંગ, વીમા, ટપાલ સેવાઓથી લઈને કોલસાની ખાણો સુધીના કામદારો પણ આમાં સામેલ થશે. 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોના સંયુક્ત મંચ દ્વારા તેને 'ભારત બંધ' નામ આપવામાં આવ્યું છે. યુનિયનોનું કહેવું છે કે સરકારે કામદારોની માંગણીઓને અવગણી અને કોર્પોરેટ હિતોને પ્રોત્સાહન આપ્યું હતું. આ હડતાળની તૈયારીઓ મહિનાઓથી ચાલી રહી છે.

ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ (AITUC) ના અમરજીત કૌરે સમાચાર એજન્સી PTI ને જણાવ્યું હતું કે, "આ હડતાળમાં 25 કરોડથી વધુ કામદારો જોડાશે. ખેડૂતો અને ગ્રામીણ મજૂરો પણ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે."

શું ખુલ્લું રહેશે અને શું બંધ રહેશે?

યુનિયન હડતાળ દરમિયાન બેન્કિંગ સેવાઓ, ટપાલ સેવાઓ, વીમા સેવાઓ પ્રભાવિત થશે. આ ઉપરાંત સરકારી પરિવહન પણ પ્રભાવિત થશે. શેરબજાર ખુલ્લું રહેશે, આ સાથે બુલિયન બજાર પણ ખુલ્લું રહેશે.

માંગણીઓ શું છે?

ગયા વર્ષે યુનિયનોએ શ્રમ મંત્રી મનસુખ માંડવિયાને 17 માંગણીઓનું ચાર્ટર સુપરત કર્યું હતું. તેમનો આરોપ છે કે સરકારે આ માંગણીઓ પર કોઈ ધ્યાન આપ્યું નથી. વાર્ષિક મજૂર પરિષદ પણ છેલ્લા દાયકાથી યોજાઈ નથી. યુનિયનો આને કામદારો પ્રત્યે સરકારની ઉદાસીનતાનો પુરાવો માને છે.

હિંદ મજદૂર સભાના હરભજન સિંહ સિદ્ધુએ કહ્યું હતું કે, "આ હડતાળથી બેન્કિંગ, ટપાલ, કોલસા ખાણકામ, કારખાનાઓ અને રાજ્ય પરિવહન સેવાઓ પર ખરાબ અસર પડશે."

યુનિયનોએ સરકાર પર કયા આરોપો લગાવ્યા છે?

યુનિયનો કહે છે કે સરકારના નવા શ્રમ સંહિતા કામદારોના અધિકારો છીનવી લેવાનું કાવતરું છે. આ ચાર સંહિતા સામૂહિક સોદાબાજીને નબળી પાડે છે અને યુનિયન પ્રવૃત્તિઓને દબાવી દે છે. સંયુક્ત મંચનું કહેવું છે કે સરકાર સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગો, આઉટસોર્સિંગ, કોન્ટ્રાક્ટિંગ અને જાહેર ક્ષેત્રના સાહસો અને સેવાઓના કામચલાઉ કામદારોની નીતિઓને પ્રોત્સાહન આપી રહી છે. આ નીતિઓ કામદારોના અધિકારોને નબળી પાડે છે અને તેમના ભવિષ્યને અનિશ્ચિત બનાવે છે.

યુનિયનો કહે છે કે ચાર નવા શ્રમ સંહિતા ટ્રેડ યુનિયન આંદોલનને કચડી નાખવા, હડતાળનો અધિકાર છીનવી લેવા અને કામદારોના અવાજને દબાવવા માટે બનાવવામાં આવ્યા છે. સંયુક્ત કિસાન મોરચા અને કૃષિ કામદાર યુનિયનોના સંયુક્ત મંચ દ્વારા હડતાળને સંપૂર્ણ ટેકો આપવામાં આવ્યો છે. તેમણે ગ્રામીણ ભારતમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનોનું આયોજન કર્યું છે.

એવા પણ આરોપો છે કે આ કોડ કામના કલાકોમાં વધારો કરે છે અને નોકરીદાતાઓને શ્રમ કાયદાઓનું ઉલ્લંઘન કરવાથી રક્ષણ આપે છે. યુનિયનો દાવો કરે છે કે સરકારે વિદેશી અને ભારતીય કોર્પોરેટ્સના હિતોને પ્રાથમિકતા આપી છે, દેશનો કલ્યાણકારી રાજ્યનો દરજ્જો છોડી દીધો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'ગભરાટમાં સરકારે લીધો નિર્ણય...'
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'ગભરાટમાં સરકારે લીધો નિર્ણય...'
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!
"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Embed widget