શોધખોળ કરો

“રાહુલ ગાંધીને ફરી કોંગ્રેસ અધ્યક્ષ બનાવો” કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ કરી માંગ

સોનિયા ગાંધી હાલમાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ છે.

Chhattisgarh : છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે રાહુલ ગાંધીને ફરી એકવાર કોંગ્રેસ અધ્યક્ષ પદ સંભાળવાની હિમાયત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પક્ષ લોકતાંત્રિક પ્રક્રિયાને અનુસરે છે અને જે કોઈ આ પદ માટે ચૂંટણી લડવા ઈચ્છે છે તે આમ કરવા માટે સ્વતંત્ર છે.

સોનિયા ગાંધી હાલમાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ છે. 2019ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો ત્યાર બાદ રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યા બાદ સોનિયા ગાંધી વચગાળાના પ્રમુખ બન્યા હતા.

CM ભૂપેશ બઘેલે પીટીઆઈને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું, "કોંગ્રેસની સંગઠનાત્મક ચૂંટણીઓની તારીખો જાહેર કરવામાં આવી છે અને જેઓ ચૂંટણી લડવા માંગે છે તેઓ ઉમેદવારી પત્ર ભરવા માટે સ્વતંત્ર છે, હું માનું છું કે રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષનું પદ સંભાળવું જોઈએ.”

તેમની ટિપ્પણી 23 નેતાઓના જૂથ (G-23) દ્વારા પાર્ટી સંગઠનમાં આમૂલ પરિવર્તનની હાકલ કર્યા પછી આવી છે. તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શનને જોતા કોંગ્રેસમાં પરિવર્તનની માંગ વધી છે.પાર્ટીએ પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP)ની સામે  સત્તા ગુમાવી દીધી.

તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં હાર અંગે CM ભુપેશ બઘેલે કહ્યું, “ચૂંટણી આવે છે અને જાય છે, આપણે આનાથી નિરાશ ન થવું જોઈએ. આપણે આગળ વધવું જોઈએ." ગયા મહિને કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) એ નિર્ણય લીધો હતો કે કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી સુધી સોનિયા ગાંધી પાર્ટીનું નેતૃત્વ ચાલુ રાખશે.સોનિયા ગાંધીએ એમ પણ કહ્યું હતું કે તેઓ પાર્ટીના હિતમાં "દરેક બલિદાન માટે" તૈયાર છે.

તેમના નેતૃત્વમાં સંપૂર્ણ વિશ્વાસ દર્શાવતા, CWCએ તેમને પક્ષને મજબૂત કરવા અને આગામી તબક્કાની ચૂંટણીઓ પહેલા રાજકીય પડકારોનો સામનો કરવા તાત્કાલિક સુધારાત્મક ફેરફારો કરવા વિનંતી કરી.

કોંગ્રેસની સંગઠનાત્મક ચૂંટણીઓ ચાલી રહી છે, આ વર્ષે 21 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બરની વચ્ચે પાર્ટી પાસે નવા પાર્ટી અધ્યક્ષ હશે અને ત્યારપછી ઓક્ટોબર સુધીમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પૂર્ણ સત્રમાં CWCની ચૂંટણીઓ યોજવામાં આવશે.

વચગાળાના પ્રમુખ તરીકે ફરીથી પાર્ટીની કમાન  સંભાળનાર સોનિયા ગાંધીએ ઓગસ્ટ 2020માં નેતાઓના એક વર્ગ (G-23) દ્વારા ખુલ્લેઆમ બળવો કર્યા બાદ રાજીનામું આપવાની ઓફર પણ કરી હતી, પરંતુ CWCએ તેમને ચાલુ રાખવા જણાવ્યું હતું.

ઓગસ્ટ 2020માં, કોંગ્રેસના 23 વરિષ્ઠ નેતાઓએ સોનિયા ગાંધીને પત્ર લખીને સંગઠનમાં આમૂલ પરિવર્તન અને જમીન પર સક્રિય નેતૃત્વની માંગ કરી હતી.

પત્રમાં તેમણે લોકસભા અને રાજ્યની ચૂંટણીમાં સતત નિષ્ફળતાને ધ્યાનમાં રાખીને પાર્ટીમાં ફેરફાર કરવાની હાકલ કરી હતી. સમય જતાં નેતાઓની માંગ વધુ તીવ્ર બની અને ગુલામ નબી આઝાદ અને કપિલ સિબ્બલ સહિત પક્ષના વરિષ્ઠ નેતાઓએ અનેક પ્રસંગોએ પક્ષના વલણનો વિરોધ કર્યો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ગેરકાયદે ખનન પર્યાવરણ જ નહીં, ભવિષ્યની પેઢી માટે ગંભીર ખતરો', અરવલ્લી પર્વતમાળાને લઈ સુપ્રીમ કોર્ટેની ટિપ્પણી  
'ગેરકાયદે ખનન પર્યાવરણ જ નહીં, ભવિષ્યની પેઢી માટે ગંભીર ખતરો', અરવલ્લી પર્વતમાળાને લઈ સુપ્રીમ કોર્ટેની ટિપ્પણી  
ભારતમાં મેચ રમવી છે કે નહીં? ICC એ બાંગ્લાદેશને આપ્યું અલ્ટીમેટમ, 24 કલાકમાં જવાબ નહીં મળે તો....
ભારતમાં મેચ રમવી છે કે નહીં? ICC એ બાંગ્લાદેશને આપ્યું અલ્ટીમેટમ, 24 કલાકમાં જવાબ નહીં મળે તો....
કૃષિ પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 32 લાખથી વધુ ખેડૂતોને ₹9,466 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 32 લાખથી વધુ ખેડૂતોને ₹9,466 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
"નરેશભાઈના વિશ્વાસને ડગવા નહીં દઉં": અધ્યક્ષ બનતા જ અનાર પટેલે શું કહ્યું? લેઉવા પટેલ સમાજ માટે ખાસ સંદેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનની કડવી દવા
Hun To Bolish : હું તો બોલીશ : ફરી ધૂણ્યું અનામતનું ભૂત
Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ગેરકાયદે ખનન પર્યાવરણ જ નહીં, ભવિષ્યની પેઢી માટે ગંભીર ખતરો', અરવલ્લી પર્વતમાળાને લઈ સુપ્રીમ કોર્ટેની ટિપ્પણી  
'ગેરકાયદે ખનન પર્યાવરણ જ નહીં, ભવિષ્યની પેઢી માટે ગંભીર ખતરો', અરવલ્લી પર્વતમાળાને લઈ સુપ્રીમ કોર્ટેની ટિપ્પણી  
ભારતમાં મેચ રમવી છે કે નહીં? ICC એ બાંગ્લાદેશને આપ્યું અલ્ટીમેટમ, 24 કલાકમાં જવાબ નહીં મળે તો....
ભારતમાં મેચ રમવી છે કે નહીં? ICC એ બાંગ્લાદેશને આપ્યું અલ્ટીમેટમ, 24 કલાકમાં જવાબ નહીં મળે તો....
કૃષિ પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 32 લાખથી વધુ ખેડૂતોને ₹9,466 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 32 લાખથી વધુ ખેડૂતોને ₹9,466 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
"નરેશભાઈના વિશ્વાસને ડગવા નહીં દઉં": અધ્યક્ષ બનતા જ અનાર પટેલે શું કહ્યું? લેઉવા પટેલ સમાજ માટે ખાસ સંદેશ
Bagdana Case: કોળી યુવક પર હુમલાનો મામલો ગરમાયો; જયરાજ આહીર SIT સમક્ષ નિવેદન નોંધાવવા હાજર
Bagdana Case: કોળી યુવક પર હુમલાનો મામલો ગરમાયો; જયરાજ આહીર SIT સમક્ષ નિવેદન નોંધાવવા હાજર
Aadhaar કાર્ડ હવે WhatsApp પર મળી જશે, માત્ર એક મેસેજ અને થઈ જશે ડાઉનલોડ
Aadhaar કાર્ડ હવે WhatsApp પર મળી જશે, માત્ર એક મેસેજ અને થઈ જશે ડાઉનલોડ
Ahmedabad: આસારામ આશ્રમનું દબાણ તૂટશે! AMC એ ઇમ્પેક્ટ ફી અરજી ફગાવી, ડિમોલિશનની તૈયારી
Ahmedabad: આસારામ આશ્રમનું દબાણ તૂટશે! AMC એ ઇમ્પેક્ટ ફી અરજી ફગાવી, ડિમોલિશનની તૈયારી
Sweet Potato: શું તમે કેમિકલવાળા શક્કરિયા ખાઈ રહ્યા છો? આજે જ બંધ કરો, નહીં તો થઈ જશે કેન્સર!
Sweet Potato: શું તમે કેમિકલવાળા શક્કરિયા ખાઈ રહ્યા છો? આજે જ બંધ કરો, નહીં તો થઈ જશે કેન્સર!
Embed widget