શોધખોળ કરો

“રાહુલ ગાંધીને ફરી કોંગ્રેસ અધ્યક્ષ બનાવો” કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ કરી માંગ

સોનિયા ગાંધી હાલમાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ છે.

Chhattisgarh : છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે રાહુલ ગાંધીને ફરી એકવાર કોંગ્રેસ અધ્યક્ષ પદ સંભાળવાની હિમાયત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પક્ષ લોકતાંત્રિક પ્રક્રિયાને અનુસરે છે અને જે કોઈ આ પદ માટે ચૂંટણી લડવા ઈચ્છે છે તે આમ કરવા માટે સ્વતંત્ર છે.

સોનિયા ગાંધી હાલમાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ છે. 2019ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો ત્યાર બાદ રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યા બાદ સોનિયા ગાંધી વચગાળાના પ્રમુખ બન્યા હતા.

CM ભૂપેશ બઘેલે પીટીઆઈને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું, "કોંગ્રેસની સંગઠનાત્મક ચૂંટણીઓની તારીખો જાહેર કરવામાં આવી છે અને જેઓ ચૂંટણી લડવા માંગે છે તેઓ ઉમેદવારી પત્ર ભરવા માટે સ્વતંત્ર છે, હું માનું છું કે રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષનું પદ સંભાળવું જોઈએ.”

તેમની ટિપ્પણી 23 નેતાઓના જૂથ (G-23) દ્વારા પાર્ટી સંગઠનમાં આમૂલ પરિવર્તનની હાકલ કર્યા પછી આવી છે. તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શનને જોતા કોંગ્રેસમાં પરિવર્તનની માંગ વધી છે.પાર્ટીએ પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP)ની સામે  સત્તા ગુમાવી દીધી.

તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં હાર અંગે CM ભુપેશ બઘેલે કહ્યું, “ચૂંટણી આવે છે અને જાય છે, આપણે આનાથી નિરાશ ન થવું જોઈએ. આપણે આગળ વધવું જોઈએ." ગયા મહિને કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) એ નિર્ણય લીધો હતો કે કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી સુધી સોનિયા ગાંધી પાર્ટીનું નેતૃત્વ ચાલુ રાખશે.સોનિયા ગાંધીએ એમ પણ કહ્યું હતું કે તેઓ પાર્ટીના હિતમાં "દરેક બલિદાન માટે" તૈયાર છે.

તેમના નેતૃત્વમાં સંપૂર્ણ વિશ્વાસ દર્શાવતા, CWCએ તેમને પક્ષને મજબૂત કરવા અને આગામી તબક્કાની ચૂંટણીઓ પહેલા રાજકીય પડકારોનો સામનો કરવા તાત્કાલિક સુધારાત્મક ફેરફારો કરવા વિનંતી કરી.

કોંગ્રેસની સંગઠનાત્મક ચૂંટણીઓ ચાલી રહી છે, આ વર્ષે 21 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બરની વચ્ચે પાર્ટી પાસે નવા પાર્ટી અધ્યક્ષ હશે અને ત્યારપછી ઓક્ટોબર સુધીમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પૂર્ણ સત્રમાં CWCની ચૂંટણીઓ યોજવામાં આવશે.

વચગાળાના પ્રમુખ તરીકે ફરીથી પાર્ટીની કમાન  સંભાળનાર સોનિયા ગાંધીએ ઓગસ્ટ 2020માં નેતાઓના એક વર્ગ (G-23) દ્વારા ખુલ્લેઆમ બળવો કર્યા બાદ રાજીનામું આપવાની ઓફર પણ કરી હતી, પરંતુ CWCએ તેમને ચાલુ રાખવા જણાવ્યું હતું.

ઓગસ્ટ 2020માં, કોંગ્રેસના 23 વરિષ્ઠ નેતાઓએ સોનિયા ગાંધીને પત્ર લખીને સંગઠનમાં આમૂલ પરિવર્તન અને જમીન પર સક્રિય નેતૃત્વની માંગ કરી હતી.

પત્રમાં તેમણે લોકસભા અને રાજ્યની ચૂંટણીમાં સતત નિષ્ફળતાને ધ્યાનમાં રાખીને પાર્ટીમાં ફેરફાર કરવાની હાકલ કરી હતી. સમય જતાં નેતાઓની માંગ વધુ તીવ્ર બની અને ગુલામ નબી આઝાદ અને કપિલ સિબ્બલ સહિત પક્ષના વરિષ્ઠ નેતાઓએ અનેક પ્રસંગોએ પક્ષના વલણનો વિરોધ કર્યો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
Embed widget