શોધખોળ કરો

“રાહુલ ગાંધીને ફરી કોંગ્રેસ અધ્યક્ષ બનાવો” કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ કરી માંગ

સોનિયા ગાંધી હાલમાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ છે.

Chhattisgarh : છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે રાહુલ ગાંધીને ફરી એકવાર કોંગ્રેસ અધ્યક્ષ પદ સંભાળવાની હિમાયત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પક્ષ લોકતાંત્રિક પ્રક્રિયાને અનુસરે છે અને જે કોઈ આ પદ માટે ચૂંટણી લડવા ઈચ્છે છે તે આમ કરવા માટે સ્વતંત્ર છે.

સોનિયા ગાંધી હાલમાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ છે. 2019ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો ત્યાર બાદ રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યા બાદ સોનિયા ગાંધી વચગાળાના પ્રમુખ બન્યા હતા.

CM ભૂપેશ બઘેલે પીટીઆઈને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું, "કોંગ્રેસની સંગઠનાત્મક ચૂંટણીઓની તારીખો જાહેર કરવામાં આવી છે અને જેઓ ચૂંટણી લડવા માંગે છે તેઓ ઉમેદવારી પત્ર ભરવા માટે સ્વતંત્ર છે, હું માનું છું કે રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષનું પદ સંભાળવું જોઈએ.”

તેમની ટિપ્પણી 23 નેતાઓના જૂથ (G-23) દ્વારા પાર્ટી સંગઠનમાં આમૂલ પરિવર્તનની હાકલ કર્યા પછી આવી છે. તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શનને જોતા કોંગ્રેસમાં પરિવર્તનની માંગ વધી છે.પાર્ટીએ પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP)ની સામે  સત્તા ગુમાવી દીધી.

તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં હાર અંગે CM ભુપેશ બઘેલે કહ્યું, “ચૂંટણી આવે છે અને જાય છે, આપણે આનાથી નિરાશ ન થવું જોઈએ. આપણે આગળ વધવું જોઈએ." ગયા મહિને કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) એ નિર્ણય લીધો હતો કે કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી સુધી સોનિયા ગાંધી પાર્ટીનું નેતૃત્વ ચાલુ રાખશે.સોનિયા ગાંધીએ એમ પણ કહ્યું હતું કે તેઓ પાર્ટીના હિતમાં "દરેક બલિદાન માટે" તૈયાર છે.

તેમના નેતૃત્વમાં સંપૂર્ણ વિશ્વાસ દર્શાવતા, CWCએ તેમને પક્ષને મજબૂત કરવા અને આગામી તબક્કાની ચૂંટણીઓ પહેલા રાજકીય પડકારોનો સામનો કરવા તાત્કાલિક સુધારાત્મક ફેરફારો કરવા વિનંતી કરી.

કોંગ્રેસની સંગઠનાત્મક ચૂંટણીઓ ચાલી રહી છે, આ વર્ષે 21 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બરની વચ્ચે પાર્ટી પાસે નવા પાર્ટી અધ્યક્ષ હશે અને ત્યારપછી ઓક્ટોબર સુધીમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પૂર્ણ સત્રમાં CWCની ચૂંટણીઓ યોજવામાં આવશે.

વચગાળાના પ્રમુખ તરીકે ફરીથી પાર્ટીની કમાન  સંભાળનાર સોનિયા ગાંધીએ ઓગસ્ટ 2020માં નેતાઓના એક વર્ગ (G-23) દ્વારા ખુલ્લેઆમ બળવો કર્યા બાદ રાજીનામું આપવાની ઓફર પણ કરી હતી, પરંતુ CWCએ તેમને ચાલુ રાખવા જણાવ્યું હતું.

ઓગસ્ટ 2020માં, કોંગ્રેસના 23 વરિષ્ઠ નેતાઓએ સોનિયા ગાંધીને પત્ર લખીને સંગઠનમાં આમૂલ પરિવર્તન અને જમીન પર સક્રિય નેતૃત્વની માંગ કરી હતી.

પત્રમાં તેમણે લોકસભા અને રાજ્યની ચૂંટણીમાં સતત નિષ્ફળતાને ધ્યાનમાં રાખીને પાર્ટીમાં ફેરફાર કરવાની હાકલ કરી હતી. સમય જતાં નેતાઓની માંગ વધુ તીવ્ર બની અને ગુલામ નબી આઝાદ અને કપિલ સિબ્બલ સહિત પક્ષના વરિષ્ઠ નેતાઓએ અનેક પ્રસંગોએ પક્ષના વલણનો વિરોધ કર્યો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget