શોધખોળ કરો

'ગેરકાયદે ખનન પર્યાવરણ જ નહીં, ભવિષ્યની પેઢી માટે ગંભીર ખતરો', અરવલ્લી પર્વતમાળાને લઈ સુપ્રીમ કોર્ટેની ટિપ્પણી  

સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળામાં ગેરકાયદેસર ખાણકામ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે તેનાથી પર્યાવરણને ક્યારેય ન ભરી શકાય તેવું નુકસાન થઈ શકે છે.

નવી દિલ્હી:  સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળામાં ગેરકાયદેસર ખાણકામ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે તેનાથી પર્યાવરણને ક્યારેય ન ભરી શકાય તેવું નુકસાન થઈ શકે છે. આ મુદ્દા પર કડક વલણ અપનાવતા કોર્ટે અરવલ્લી પ્રદેશમાં ખાણકામ અને તેના સંબંધિત તમામ પાસાઓની વ્યાપક તપાસ કરવા માટે એક નિષ્ણાત સમિતિની રચના કરવાનો નિર્ણય લીધો. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચી તથા ન્યાયધીશ વિપુલ એમ. પંચોલીની  બેન્ચે જણાવ્યું હતું કે અરવલ્લી પ્રદેશ જેવા સંવેદનશીલ પ્રદેશમાં ગેરકાયદેસર ખાણકામ માત્ર પર્યાવરણ માટે જ નહીં પરંતુ ભવિષ્યની પેઢીઓ માટે પણ ગંભીર ખતરો છે.

સુપ્રીમ કોર્ટ ઉચ્ચ સ્તરીય નિષ્ણાત કમિટીની રચના કરવાનો નિર્દેશ આપ્યો

કોર્ટે એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટી અને એમિકસ ક્યુરી કે. પરમેશ્વરને ચાર અઠવાડિયામાં ખાણકામ સંબંધિત મામલામાં નિષ્ણાત પર્યાવરણવાદીઓ અને વૈજ્ઞાનિકોના નામની ભલામણ કરીને ઉચ્ચ સ્તરીય નિષ્ણાત સમિતિની રચના કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ કમિટી સુપ્રીમ કોર્ટની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ કાર્ય કરશે.

સુનાવણી દરમિયાન કોર્ટને જાણ કરવામાં આવી હતી કે અરવલ્લી પ્રદેશના વિવિધ ભાગોમાં ગેરકાયદેસર ખાણકામ પ્રવૃત્તિઓ થઈ રહી છે. એડિશનલ સોલિસિટર જનરલ કે.એમ. નટરાજે કોર્ટને ખાતરી આપી હતી કે રાજ્યમાં કોઈ ગેરકાયદે ખાણકામને મંજૂરી આપવામાં આવશે નહીં.

આ દરમિયાન, સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાઓને લઈ તેના 20 નવેમ્બરે આપેલા પોતાના આદેશને હાલમાં સ્થગિત રાખવાના નિર્ણયને સમર્થન આપ્યું છે. કોર્ટે અગાઉ જણાવ્યું હતું કે નવી પરિભાષામાં ગંભીર અસ્પષ્ટતાઓ છે,  જેનું સમાધાન કરવાની જરૂર છે.       

ઉલ્લેખનીય છે કે 20 નવેમ્બરના રોજ, સુપ્રીમ કોર્ટે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતમાં ફેલાયેલી અરવલ્લી પર્વતમાળામાં નવી ખાણકામ લીઝ જારી કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. નિષ્ણાત અહેવાલ પ્રાપ્ત થાય ત્યાં સુધી આ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. આ નિર્ણય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયની એક સમિતિની ભલામણોના આધારે લેવામાં આવ્યો હતો, જેનો ઉદ્દેશ્ય વિશ્વની સૌથી જૂની પર્વતમાળાઓમાંની એક અરવલ્લી પર્વતમાળાનું સંરક્ષણ કરવાનો છે. અરવલ્લી ક્ષેત્રમાં ખાણકામ અને સંરક્ષણ અંગેના વધુ નિર્ણયો હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવનાર નિષ્ણાત સમિતિના અહેવાલના આધારે લેવામાં આવશે.         

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP સંસદ કૂચમાં હિંસા બાદ રાહુલ ગાંધીની પોસ્ટ વાયરલ; કહ્યું - ‘સત્તા કાયમી નથી રહેતી...’
CJP સંસદ કૂચમાં હિંસા બાદ રાહુલ ગાંધીની પોસ્ટ વાયરલ; કહ્યું - ‘સત્તા કાયમી નથી રહેતી...’

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
Embed widget