શોધખોળ કરો

Bihar Governor Accident: બિહારના રાજ્યપાલના કાફલાને નડ્યો અકસ્માત, અનેક લોકો ઘાયલ

રાજ્યપાલ એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે મુઝફ્ફરપુર જવા રવાના થયા હતા. દરમિયાન હાજીપુરના ભગવાનપુરના રતનપુરા ગામ પાસે આ અકસ્માત થયો હતો

Bihar Governor Accident: બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરના કાફલાને અકસ્માત નડ્યો છે. હાજીપુરના ભગવાનપુરના રતનપુરા ગામ પાસે આ અકસ્માત થયો હતો. આ ઘટના પટનાથી મુઝફ્ફરપુર જતી વખતે બની હતી. અકસ્માતમાં ફાયર એન્જિન પલટી ગયું હતું. જેમાં લગભગ અડધો ડઝન લોકો ઘાયલ થયા છે. તમામ ઇજાગ્રસ્તની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર એક કાર્યક્રમમાં હાજરી આપવા પટનાથી મુઝફ્ફરપુર જઈ રહ્યા હતા.

કેવી રીતે થયો આ અકસ્માત?

જણાવવામાં આવી રહ્યું છે કે રાજ્યપાલના કાફલામાં ફાયર એન્જિન ચાલી રહ્યું હતું. અનિયંત્રિત થયા બાદ ફાયર એન્જિન ડિવાઈડર ઓળંગીને રોંગ સાઈડમાં જઈને મુસાફરોથી ભરેલી રિક્ષા સાથે અથડાયું હતું. ફાયર એન્જિન અને ઓટો ડ્રાઈવર સહિત અડધો ડઝન લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોમાં એકની હાલત નાજુક છે.

સદર હોસ્પિટલમાં દાખલ

ઘટના બાદ આસપાસ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકોએ રાહત કાર્ય શરૂ કર્યું હતું. ઇજાગ્રસ્તોને તાત્કાલિક હાજીપુર સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં દરેકની સારવાર કરવામાં આવી રહી છે.

ફાયર એન્જિન કાફલાની પાછળ હતું

ઘટનાના સંદર્ભમાં પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યપાલ અથવા અન્ય કોઈ સુરક્ષા કર્મચારીઓને કંઈ થયું નથી કારણ કે ફાયર એન્જિનના કારણે આ ઘટના બની હતી. એવું કહેવામાં આવ્યું હતું કે ફાયર એન્જિન રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરના કાફલાની પાછળ ચાલી રહ્યું હતું.

ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. થોડીવાર માટે રોડ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. અહીં સમાચાર લખાય છે ત્યાં સુધી સત્તાવાર રીતે કોઈનું નિવેદન બહાર આવ્યું નથી કે કુલ કેટલા લોકો ઘાયલ થયા છે. કન્ફર્મેશન પછી તેને અપડેટ કરવામાં આવશે.

 

Cheetah in MP: ચિત્તા ઓબાનને નથી ફાવી રહ્યું કુનો નેશનલ પાર્કમાં, ફરી ભાગી ગયો

Wildlife of MP: મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કના ખુલ્લા જંગલમાંથી બહાર નીકળ્યા બાદચિતા ઓબાન ફરીથી શ્યોપુરના સરહદી જિલ્લા શિવપુરીના જૌરાઈ ગામના ખેતરોમાં પહોંચી ગયો છે. આ પહેલા તે 1 એપ્રિલની રાત્રે પણ પાર્કમાંથી ભાગી ગયો હતો. ત્યાર બાદ 6 એપ્રિલે તેને બેભાન અવસ્થામાં શિવપુરીથી કુનો પરત લાવવામાં આવ્યો હતો. પાર્કમાંથી બહાર આવીને ખેતરોમાં પહોંચવાથી લોકોમાં ફરી એકવાર ભયનો માહોલ છે. તે જ સમયે વન વિભાગ અને કુનો રાષ્ટ્રીય ઉદ્યાનની એક ટીમ તેને બચાવવા અને તેને કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં પરત લઈ જવાની કવાયતમાં લાગેલી છે.

ઓબાન કુનો નેશનલ પાર્કમાંથી ક્યારે ભાગી ગયો?

કુનો મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર શનિવાર રાતથી ઓબાનનું લોકેશન પાર્કની બહાર મળ્યું છે. સવારથી સાંજ સુધી પાર્કથી લગભગ 30 કિલોમીટર દૂર જૌરાઈમાં જ જોવા મળે છે. મોનિટરિંગ ટીમો તેને ઘેરી લેવાનો અને તેને પાર્કમાં પાછો લાવવાનો પ્રયાસ કરી રહી છે.

કહેવાય છે કે શિવપુરીના બૈરડ સ્થિત જૌરાઈ ગામમાં ગામલોકોએ સૌથી પહેલા એક દીપડાને ખેતરમાં ચાલતો જોયો હતો. આ અંગેની માહિતી સ્થાનિક વનવિભાગ અને પોલીસની ટીમને આપવામાં આવી હતી.કુનોથી પીછો કરતી ટીમ પણ ચિતા પાસે પહોંચી હતી.ચિતાના આગમનને કારણે ખેતરોમાં મકાનો બનાવી રહેલા ગ્રામજનોએ ઘરના દરવાજા બંધ કરી દીધા હતા અને ધાબા પર ચઢી ગયા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar | રાજ્યમાં 1903 સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશેHun To Bolish | હું તો બોલીશ | 'ન્યાય'ના મુદ્દે રાજનીતિ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | વન અને ગામ સામ-સામે કેમ?Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
Karwa Chauth 2024: જો તમે પહેલીવાર કરવા ચોથનું વ્રત કરી રહ્યા છો, તો જાણી લો નિયમો જાણો,ન કરો આ ભૂલ
Karwa Chauth 2024: જો તમે પહેલીવાર કરવા ચોથનું વ્રત કરી રહ્યા છો, તો જાણી લો નિયમો જાણો,ન કરો આ ભૂલ
Navratri 2024 Day 2: આસો નવરાત્રિનો આજે બીજો દિવસ, જાણો મા બ્રહ્મચારિણીની કથા, પૂજા અને મંત્ર
Navratri 2024 Day 2: આસો નવરાત્રિનો આજે બીજો દિવસ, જાણો મા બ્રહ્મચારિણીની કથા, પૂજા અને મંત્ર
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
Embed widget