શોધખોળ કરો

બિહારમાં ભાજપને નીતિશ કુમારનો તોડ મળી ગયો? જાણો કોણ છે એ વ્યક્તિ જેની થઈ રહી છે ચર્ચા

31 વર્ષ પછી કુર્મી ચેતના રેલી, ભાજપ નેતાની શોધમાં, રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે.

પટના: બિહારના રાજકારણમાં એક ગહન ચર્ચા ચાલી રહી છે - શું ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ને આખરે રાજ્યમાં પોતાનો ‘નીતીશ કુમાર’ મળી ગયા છે? આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે, નીતીશ કુમારની કુર્મી એકતા રેલીના બરાબર 31 વર્ષ બાદ, કૃષ્ણ કુમાર ‘મન્ટુ’ પટેલે બિહારમાં કુર્મી ચેતના રેલીનું આયોજન કર્યું, જેના કારણે રાજકીય ગરમાવો વધી ગયો છે.

ભાજપ લાંબા સમયથી બિહારમાં એવા નેતાની શોધમાં છે જે નીતીશ કુમારની જેમ જ લોકપ્રિય હોય અને પાર્ટીને રાજ્યમાં મજબૂત સ્થિતિમાં લાવી શકે. નીતીશ કુમાર, જેઓ ક્યારેક નરમ તો ક્યારેક કડક વલણ અપનાવવા માટે જાણીતા છે અને જેમના ગઠબંધન બદલવાની ટેવથી ભાજપ પરેશાન છે, તેમના વિકલ્પની શોધમાં ભાજપ ઘણા સમયથી હતી. હવે, કૃષ્ણ કુમાર ‘મન્ટુ’ પટેલના રૂપમાં શું ભાજપને તેનો જવાબ મળી ગયો છે?

આ સવાલ એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે, 31 વર્ષ પહેલાં 1994માં, ફેબ્રુઆરી મહિનામાં જ, નીતીશ કુમાર અને લાલુ યાદવ વચ્ચેના સંબંધો તૂટી ગયા હતા. ત્યારે નીતીશ કુમારે પટનાના ગાંધી મેદાનમાં કુર્મી અને કોરી સમુદાયોને એકત્ર કરીને ‘કુર્મી ચેતના રેલી’ યોજી હતી. એ સમયે લાલુ યાદવ બિહારના મુખ્યમંત્રી હતા અને નીતીશ કુમાર માત્ર સાંસદ હોવા છતાં, આ રેલીએ બિહારના રાજકારણમાં એક નવો વળાંક આપ્યો હતો. લાલુ યાદવે નીતીશને આ રેલીમાં ભાગ ન લેવાની ચેતવણી પણ આપી હતી, પરંતુ નીતીશ કુમારે તમામ અવરોધો પાર કરીને રેલીમાં ભાગ લીધો અને પોતાના સમુદાયના હક્કો માટે અવાજ ઉઠાવ્યો હતો.

એક કથા એવી પણ છે કે, રેલીના દિવસે નીતીશ કુમાર મૂંઝવણમાં હતા કે રેલીમાં જવું જોઈએ કે નહીં. તેઓ પોતાના મિત્રના ઘરે હતા અને લોકોના ઘોંઘાટ સાંભળી રહ્યા હતા. મિત્રોએ તેમને રેલીમાં જવા માટે સમજાવ્યા અને આખરે નીતીશ કુમાર બપોરે ત્રણ વાગ્યે રેલીના મંચ પર પહોંચ્યા હતા. ત્યાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, “અમને ભિક્ષાની નહીં, પણ હિસ્સાની જરૂર છે.” અને જે સરકાર તેમના સમુદાયના હિતોની અવગણના કરે છે તે સત્તામાં ટકી શકે નહીં.

આ રેલી નીતીશ કુમારના રાજકીય જીવનમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ અને ત્યારબાદ તેઓ બિહારના રાજકારણમાં એક મોટા નેતા તરીકે ઉભરી આવ્યા. 2005 થી લઈને આજ સુધી, થોડા મહિનાઓ સિવાય, નીતીશ કુમાર બિહારના મુખ્યમંત્રી પદ પર બિરાજમાન છે. તેમના રાજકીય ઉદયથી ભાજપ અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) બંને ચિંતિત છે, કારણ કે નીતીશ કુમારની ખુરશી પર હોવાને કારણે રાજ્યમાં સત્તાનું સમીકરણ ગમે ત્યારે બદલાઈ શકે છે.

હવે, કૃષ્ણ કુમાર ‘મન્ટુ’ પટેલ દ્વારા કુર્મી એકતા રેલીનું આયોજન એ જ દિશામાં એક પગલું માનવામાં આવે છે. નીતીશ કુમારની રેલીના 31 વર્ષ પછી યોજાયેલી આ રેલીને રાજકીય વર્તુળોમાં ગંભીરતાથી જોવામાં આવી રહી છે. રેલીના બેનરો અને પોસ્ટરો પર ભલે નીતીશ કુમારના ફોટા જોવા મળ્યા હોય અને કૃષ્ણ કુમાર પટેલે પોતાના ભાષણમાં નીતીશ કુમારને પોતાના નેતા ગણાવ્યા હોય, પરંતુ રાજકીય વિશ્લેષકો માને છે કે કૃષ્ણ કુમાર પટેલ ભાજપના સમર્થનથી પોતાનો રાજકીય પાયો મજબૂત કરી રહ્યા છે.

એબીપી ન્યૂઝના રિપોર્ટર નિધિ શ્રી દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં કૃષ્ણ કુમાર પટેલે ભલે નીતીશ કુમારને પોતાના નેતા ગણાવ્યા હોય, પરંતુ સવાલ એ છે કે આ સંબંધ ક્યાં સુધી ટકશે? શું કૃષ્ણ કુમાર પટેલ નીતીશ કુમારના રાજકીય વારસાને આગળ ધપાવશે, અને શું ભાજપ તેમને પોતાના નીતીશ કુમાર તરીકે સ્વીકારશે? આ સવાલો એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે ભાજપ નીતીશ કુમારના નેતૃત્વ પર સતત સવાલો ઉઠાવી રહી છે અને રાજ્યમાં પોતાનો પ્રભાવ વધારવા માટે એક મજબૂત કુર્મી નેતાની શોધમાં છે.

આ વર્ષના અંતમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, અને તે પહેલાં કુર્મી સમુદાયમાં કૃષ્ણ કુમાર પટેલનો ઉદય ભાજપ માટે એક નવી આશાનું કિરણ બની શકે છે. જો કે, શું ભાજપ હાઈકમાન્ડ આ તકને ઝડપી લેશે અને કૃષ્ણ કુમાર પટેલને આગળ વધારશે, કે પછી આ રેલી પણ બિહારના રાજકીય ઇતિહાસમાં અન્ય એક રેલી બનીને રહી જશે, એ તો સમય જ કહેશે. પરંતુ હાલમાં, બિહારના રાજકીય ગલિયારામાં એ ચર્ચા જોરશોરથી ચાલી રહી છે કે શું ભાજપને આખરે તેના નીતીશ કુમાર મળી ગયા છે?

આ પણ વાંચો...

તેલંગાણામાં વિરોધ, આંધ્રમાં સમર્થન! મુસ્લિમોને અપાતી આ સુવિધા પર ભાજપની ડબલ ઢોલકી....

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?
'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?
કેરળ પહોંચ્યું ચોમાસુ! UP, બિહાર અને દિલ્હીમાં ક્યારે થશે એન્ટ્રી? જાણો શું કહે છે IMD
કેરળ પહોંચ્યું ચોમાસુ! UP, બિહાર અને દિલ્હીમાં ક્યારે થશે એન્ટ્રી? જાણો શું કહે છે IMD

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Embed widget