શોધખોળ કરો

Bilkis Bano Case: બિલકિસ બાનો કેસમાં દોષિતોની મુક્તિ પર સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને શું કર્યો સવાલ?

Bilkis Bano Case: કોર્ટે ગુજરાત સરકારને પૂછ્યું હતું કે અન્ય કેદીઓને મુક્તિની રાહત કેમ આપવામાં આવી નથી?

Bilkis Bano Case: બિલકિસ બાનો ગેંગરેપ કેસમાં દોષિતોની મુક્તિ અંગે ગુરુવારે (17 ઓગસ્ટ) સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ઘણા આકરા સવાલો કર્યા હતા. જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની બેન્ચે પૂછ્યું હતું કે દોષિતોની મોતની સજાને આજીવન કારાવાસમાં બદલી દેવામાં આવી હતી એવી સ્થિતિમાં તેમને 14 વર્ષની સજા બાદ કેવી રીતે મુક્ત કરવામાં આવી શકે છે

કોર્ટે ગુજરાત સરકારને પૂછ્યું હતું કે અન્ય કેદીઓને મુક્તિની રાહત કેમ આપવામાં આવી નથી? તેમા આ ગુનેગારોને પસંદગીની રીતે પોલિસીનો લાભ કેમ આપવામાં આવ્યો. 2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલકિસ બાનો પર બળાત્કાર થયો હતો અને તેના પરિવારના સભ્યોની હત્યા કરવામાં આવી હતી.

બિલકિસ બાનો  કેસના દોષિતોને મુક્ત કરવામાં આવ્યા હતા

આ મામલામાં દોષિત ઠેરવવામાં આવેલા તમામ 11 લોકોને સમય કરતા વહેલા છોડી દેવામાં આવ્યા હતા, જેના માટે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઇના અહેવાલ અનુસાર, સુપ્રીમ કોર્ટે ગુરુવારે ગુજરાત સરકારને કહ્યું કે રાજ્ય સરકારોએ દોષિતોને માફી આપવામાં પસંદગીયુક્ત ન બનવું જોઈએ અને દરેક કેદીઓને સુધારવાની અને સમાજ સાથે ફરીથી જોડાવવાની તક આપવી જોઈએ

ગુજરાત સરકારે નિર્ણયનો બચાવ કર્યો હતો

ગુજરાત સરકારે દોષિતોને સમય કરતા વહેલા મુક્ત કરવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. ગુજરાત સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ કહ્યું હતું કે, કાયદા મુજબ ક્રૂર ગુનેગારોને પણ પોતાની જાતને સુધારવાની તક આપવી જોઈએ. તેમણે દલીલ કરી હતી કે 11 દોષિતોનો ગુનો જઘન્ય હતો, પરંતુ તે રેરેસ્ટ ઓફ રેર કેસની શ્રેણીમાં આવતો નથી. તેથી તેમને સુધારવાની તક આપવી જોઈએ.

શા માટે જેલો  ભરાયેલી છે ?

આના પર ખંડપીઠે સવાલ કર્યો હતો કે જેલમાં અન્ય કેદીઓ પર આવો કાયદો કેટલો લાગુ થઈ રહ્યો છે. આપણી જેલો શા માટે ખીચોખીચ ભરેલી છે? મુક્તિની નીતિ શા માટે પસંદગી અનુસાર લાગુ કરવામાં આવી રહી છે? સુધારવાની તક માત્ર કેટલાક કેદીઓને જ નહીં પરંતુ દરેક કેદીને મળવી જોઈએ, પરંતુ જ્યાં દોષિતોએ 14 વર્ષની સજા પૂરી કરી હોય ત્યાં માફીની નીતિ કેટલી હદે લાગુ કરવામાં આવી રહી છે? શું તે તમામ કેસોમાં અમલમાં લાવવામા આવી રહી છે.

એડિશનલ સોલિસિટર જનરલે જવાબ આપ્યો હતો કે તમામ રાજ્યોએ આ પ્રશ્નનો જવાબ આપવો પડશે અને છૂટની નીતિ અલગ અલગ રાજ્યમાં બદલાય છે. રાજ્યોની માફી નીતિ પર ટિપ્પણી કરતા બેન્ચે કહ્યું કે પ્રશ્ન એ છે કે શું સમય કરતા પહેલા નીતિ એ તમામ લોકોના સંબંધમાં તમામ મામલામાં સમાન રીતે લાગુ કરવામાં આવી રહી છે જેમણે જેલમાં 14 વર્ષ પૂરા કર્યા છે અને તેના માટે પાત્ર છે.

બેન્ચે કહ્યું કે બીજી તરફ અમારી પાસે રદુલ શાહ જેવા કેસ છે. નિર્દોષ છૂટ્યા છતાં તે જેલમાં જ રહે છે.  રદુલ શાહની 1953માં તેની પત્નીની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી અને 3 જૂન, 1968ના રોજ સેશન્સ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હોવા છતાં ઘણા વર્ષો સુધી જેલમાં રહ્યો હતો. આખરે 1982માં તેને મુક્ત કરવામાં આવ્યો. આ કેસની સુનાવણી 24 ઓગસ્ટે ફરી શરૂ થશે.

આ કેસમાં બિલકિસ બાનો દ્ધારા દાખલ કરાયેલી અરજી સિવાય, TMC નેતા મહુઆ મોઇત્રા, CPI(M) નેતા સુભાષિની અલી અને અન્ય ઘણા લોકો દ્વારા દાખલ કરાયેલી જનહિત અરજીઓમાં દોષિતોની મુક્તિને પડકારવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Pune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp AsmitaDelhi PM Modi | સ્વચ્છતા અભિયાનને લઈને પીએમ મોદીએ શું આપ્યું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Embed widget