શોધખોળ કરો

જમ્મુ કાશ્મીરમાં BJP એ કેટલા મુસ્લિમ નેતાઓને ટિકિટ આપી? લિસ્ટ જોઈને ચોંકી જશો

Jammu Kashmir Election 2024: જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે BJP એ 15 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જેમાંથી 8 મુસ્લિમ ઉમેદવારો છે.

Jammu Kashmir Election 2024: જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP) એ 15 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ 15 ઉમેદવારોમાંથી 8 ઉમેદવારો મુસ્લિમ સમુદાયમાંથી આવે છે.

BJP એ પામ્પોર વિધાનસભા બેઠક પર એન્જિનિયર સૈયદ શૌકત ગયૂર અંદ્રાબીને ટિકિટ આપી છે. જ્યારે રાજપોરાથી અર્શીદ ભટ્ટ, શોપિયાંથી જાવેદ અહમદ કાદરી, અનંતનાગ પશ્ચિમથી મોહમ્મદ રફીક વાની અને અનંતનાગથી એડવોકેટ સૈયદ વજાહતને ટિકિટ આપવામાં આવી છે.

આ ઉપરાંત, શ્રીગુફવાડા બિજબેહરાથી સોફી યુસુફ, ઇન્દરવલથી તારિક કીન અને બનિહાલથી સલીમ ભટ્ટને ટિકિટ મળી છે. માહિતી માટે જણાવી દઈએ કે પ્રથમ તબક્કાના ઉમેદવારોને નામાંકન પત્ર દાખલ કરવા માટે 27 ઓગસ્ટ મંગળવાર સુધીનો સમય આપવામાં આવ્યો છે.

જમ્મુ કાશ્મીરની ચૂંટણી ત્રણ તબક્કામાં થશે

નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરમાં ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. 16 ઓગસ્ટે ચૂંટણી પંચ દ્વારા તારીખોની જાહેરાત કરવામાં આવી હતી. શેડ્યૂલ અનુસાર, 18 સપ્ટેમ્બરે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. જ્યારે બીજા તબક્કાની ચૂંટણી 25 સપ્ટેમ્બરે યોજાશે. ત્રીજા તબક્કાનું મતદાન 1 ઓક્ટોબરે થશે.

जम्मू-कश्मीर में BJP ने कितने मुस्लिम नेताओं को दिया टिकट? लिस्ट देखकर चौंक जाएंगे

AAP ઉમેદવારોની પ્રથમ યાદી પણ જાહેર

જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ પણ તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. ગયા રવિવારે સાત બેઠકો પર આપના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી. પુલવામાથી ફયાઝ અહમદ સોફી, રાજપોરાથી મુદ્દસિર હસન, દેવસરથી શેખ ફિદા હુસૈન, દોરૂથી મોહસિન શફકત મીર, ડોડાથી મેહરાજ દીન મલિક, ડોડા વેસ્ટથી યાસિર શફી મટ્ટો અને બનિહાલથી મુદસ્સિર અજમત મીરને ટિકિટ આપવામાં આવી છે.

BJP ની યાદીમાં એક મહિલા ઉમેદવાર

2 નવેમ્બર 2018 ના રોજ જમ્મુના કિશ્તવાડમાં આતંકવાદીઓ દ્વારા મારી નાખવામાં આવેલા અજીત પરિહાર અને તેમના ભાઈ દિલીપ પરિહારના ઘરમાંથી શગુન પરિહારને ટિકિટ આપવામાં આવી છે. શગુન પરિહાર કિશ્તવાડથી ચૂંટણી લડશે.

તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીને લઈને રવિવારે નવી દિલ્હીમાં બીજેપીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ઘણા વરિષ્ઠ નેતાઓએ ભાગ લીધો હતો. આ બેઠકમાં ચૂંટણીની રણનીતિ, મુદ્દાઓ, ઉમેદવારોના નામ અને રાજ્યમાં પીએમ મોદીની સંભવિત રેલીઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક બાદ એવી અટકળો વહેતી થઈ હતી કે ભાજપ સોમવારે સવાર સુધીમાં ઉમેદવારોના નામની જાહેરાત કરી દેશે.

આ પણ વાંચોઃ

ઝારખંડ ચૂંટણી પર ચિરાગ પાસવાનનું મોટું નિવેદન, 'BJP સાથે બેઠકો પર સહમતિ નહીં થાય તો.... '

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ છે
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ છે
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબવાથી મોત, હજુ એક લાપતા
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબવાથી મોત, હજુ એક લાપતા
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Arvind Kejriwal | દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલે જેલમાંથી બહાર આવતાં જ શું કર્યો હુંકાર? ABP AsmitaGanesh Visarjan | ગાંધીનગરના વાસણા સોગઠી ગામે ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબી જતા મોત, છવાયો માતમArvind Kejriwal Bail | અરવિંદ કેજરીવાલની જામની અરજીને લઈને સૌથી મોટા સમાચાર | Watch Video | 13-9-2024Ambaji Grand Fair| મહામેળાના બીજા દિવસે આજે કેવો છે માહોલ?, Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ છે
Arvind Kejriwal: જેલમાંથી બહાર આવ્યા કેજરીવાલ, કહ્યું- મારી તાકાત 100 ટકા વધી ગઈ છે
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબવાથી મોત, હજુ એક લાપતા
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના ડૂબવાથી મોત, હજુ એક લાપતા
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Panchmahal: ગોધરામાં ગણેશ વિસર્જન દરમિયાન કોમી એકતા વચ્ચે શાંતિ ડહોળવાનો પ્રયાસ,ટીખળખોરે ફેંક્યો પથ્થર
Panchmahal: ગોધરામાં ગણેશ વિસર્જન દરમિયાન કોમી એકતા વચ્ચે શાંતિ ડહોળવાનો પ્રયાસ,ટીખળખોરે ફેંક્યો પથ્થર
Dengue Cases: ડેન્ગ્યુના ભરડામાં આવ્યા રાજ્યના ચાર મહાનગરો,તાવને હળવાશથી ન લેવા ડોક્ટરોની સલાહ
Dengue Cases: ડેન્ગ્યુના ભરડામાં આવ્યા રાજ્યના ચાર મહાનગરો,તાવને હળવાશથી ન લેવા ડોક્ટરોની સલાહ
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
Surat: સુરતમાં સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ તબીબનું ડેન્ગ્યૂના કારણે મોત થતા ચકચાર
Surat: સુરતમાં સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ તબીબનું ડેન્ગ્યૂના કારણે મોત થતા ચકચાર
Embed widget