શોધખોળ કરો

ઝારખંડ ચૂંટણી પર ચિરાગ પાસવાનનું મોટું નિવેદન, 'BJP સાથે બેઠકો પર સહમતિ નહીં થાય તો.... '

Jharkhand Assembly Elections: ચિરાગ પાસવાને કહ્યું કે તેમની પાર્ટીએ આજે બેઠક કરી છે જેમાં ઝારખંડ, હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં થનારી વિધાનસભા ચૂંટણી પર ચર્ચા કરી છે.

Jharkhand News: લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના અધ્યક્ષ ચિરાગ પાસવાને રવિવારે એ જાહેરાત કરી છે કે તેમની પાર્ટી ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી લડશે જે વર્ષના અંતમાં થવાની છે. ચિરાગ પાસવાને રાંચીમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે કાં તો એલજેપી ગઠબંધન સહયોગી ભાજપ સાથે મળીને ચૂંટણી લડશે અથવા તો પોતાના દમ પર ચૂંટણી લડશે.

ચિરાગ પાસવાનને રવિવારે લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના પ્રેસિડેન્ટ તરીકે ચૂંટી લેવામાં આવ્યા. તેઓ આગામી પાંચ વર્ષ સુધી આ પદ પર રહેશે. તેમની ચૂંટણી રાંચીમાં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં થઈ. ચિરાગ પાસવાને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે "આગામી પાંચ વર્ષ માટે મારી પસંદગી કરવામાં આવી છે."

કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી ચિરાગે કહ્યું કે "હરિયાણા, જમ્મુ કાશ્મીર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણીઓ અંગે બેઠકમાં ચર્ચા થઈ. મારી પાર્ટી ઝારખંડમાં સહયોગી પક્ષ ભાજપ સાથે ચૂંટણી લડશે અથવા તો પોતાના દમ પર ચૂંટણી લડશે." ઝારખંડમાં આ જ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી થવાની છે.

એકલા ચૂંટણી લડવા પર આ બોલ્યા ચિરાગ

રાંચીમાં એલજેપી રામવિલાસની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં બિહારથી ચૂંટાઈને આવેલા તેના બધા સાંસદો હાજર હતા. ચિરાગ પાસવાને કહ્યું કે ઝારખંડની જનતા પરિવર્તન ઇચ્છે છે. પરિવર્તન માટે તેમની પાર્ટી ચૂંટણીમાં ઉતરશે. જો બેઠકો પર સહમતિ ન બને તો એલજેપી રામવિલાસ એકલી ચૂંટણી લડશે.

બેઠકોના તાલમેલ પર આધાર રાખશે ગઠબંધન હેઠળ ચૂંટણી

ચિરાગે કહ્યું, "2014માં ઝારખંડમાં જ ભાજપ સાથે ગઠબંધન થયું હતું. અમને એક બેઠક આપવામાં આવી હતી. અમે ચૂંટણી લડ્યા હતા. આ વખતે સ્વતંત્ર રાજ્ય એકમને આઝાદી આપવામાં આવી છે. તે ગઠબંધન માટે તૈયાર છે કે એકલા લડવા માંગે છે, એ નિર્ણય તે કરશે. અમે ઔપચારિક રીતે ગઠબંધન સમક્ષ પણ આ મુદ્દો રાખીશું. બેઠકો મુદ્દે સહમતિ થશે તો ગઠબંધન હેઠળ ચૂંટણી લડીશું અથવા તો એકલા ચૂંટણી લડવાનો નિર્ણય લઈ શકીએ છીએ."

આ પણ વાંચોઃ 

કેન્દ્ર બાદ આ રાજ્ય સરકારે નવી પેન્શન સ્કીમને આપી મંજૂરી, સરકારી કર્મચારીઓને પેન્શનમાં મળશે અડધો પગાર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
Dengue Symptoms: વરસાદ બાદ ઝડપથી વધી રહ્યા છે ડેંગ્યુના કેસ, આ લક્ષણો જોવા મળે તો તરત જાવ ડોક્ટર પાસે
Dengue Symptoms: વરસાદ બાદ ઝડપથી વધી રહ્યા છે ડેંગ્યુના કેસ, આ લક્ષણો જોવા મળે તો તરત જાવ ડોક્ટર પાસે
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
Gold Price Hike: સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો, જાણો મુખ્ય શહેરોના લેટેસ્ટ ભાવ
Gold Price Hike: સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો, જાણો મુખ્ય શહેરોના લેટેસ્ટ ભાવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Arvind Kejriwal Bail | અરવિંદ કેજરીવાલની જામની અરજીને લઈને સૌથી મોટા સમાચાર | Watch Video | 13-9-2024Ambaji Grand Fair| મહામેળાના બીજા દિવસે આજે કેવો છે માહોલ?, Watch VideoJamnagar | ગણેશ મહોત્સવમાં પ્રસાદી લીધા બાદ 80 લોકોને ફુડ પોઈઝનિંગ | Food poisoningSurat Dengue Death | રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી થયું મોત| Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
Dengue Symptoms: વરસાદ બાદ ઝડપથી વધી રહ્યા છે ડેંગ્યુના કેસ, આ લક્ષણો જોવા મળે તો તરત જાવ ડોક્ટર પાસે
Dengue Symptoms: વરસાદ બાદ ઝડપથી વધી રહ્યા છે ડેંગ્યુના કેસ, આ લક્ષણો જોવા મળે તો તરત જાવ ડોક્ટર પાસે
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
Gold Price Hike: સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો, જાણો મુખ્ય શહેરોના લેટેસ્ટ ભાવ
Gold Price Hike: સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો, જાણો મુખ્ય શહેરોના લેટેસ્ટ ભાવ
Delhi Liquor Policy Case: ફરી સંકટ મોચક બન્યા અભિષેક મનુ સિંઘવી! જાણો કેજરીવાલના જામીન કેસમાં CBI પર કેવી રીતે ભારે પડ્યા
Delhi Liquor Policy Case: ફરી સંકટ મોચક બન્યા અભિષેક મનુ સિંઘવી! જાણો કેજરીવાલના જામીન કેસમાં CBI પર કેવી રીતે ભારે પડ્યા
Gujarat Congress: સરકારને આદત છે પહેલા આફત આવવા દે પછી તેમાં અવસર શોધે, શક્તિસિંહના આકરા પ્રહાર
Gujarat Congress: સરકારને આદત છે પહેલા આફત આવવા દે પછી તેમાં અવસર શોધે, શક્તિસિંહના આકરા પ્રહાર
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
માત્ર માણસ જ નહીં, આ પ્રાણીઓ પણ આત્મહત્યા કરે છે, જુઓ સંપૂર્ણ યાદી
માત્ર માણસ જ નહીં, આ પ્રાણીઓ પણ આત્મહત્યા કરે છે, જુઓ સંપૂર્ણ યાદી
Embed widget