શોધખોળ કરો

Breaking News Live: દિલ્હીમાં ઉપરાજ્યપાલ સામે AAPનો હોબાળો, કાર્યકરો એલજી ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કરશે

પીએમ મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાત કરી હતી. ન્યૂ એર ઈન્ડિયા અને એરબસ વચ્ચેની ડીલ મહત્વની હોવાનું કહેવાય છે.

LIVE

Key Events
Breaking News Live: દિલ્હીમાં ઉપરાજ્યપાલ સામે AAPનો હોબાળો, કાર્યકરો એલજી ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કરશે

Background

Breaking News Live Updates' 15th February' 2023: બ્રિટિશ સરકાર બીબીસી ઓફિસોમાં આવકવેરા સર્વેક્ષણ પર નજર રાખી રહી છે. દેશમાં ગરમાગરમીની રાજનીતિનો જવાબ આપતાં સરકારે કહ્યું કે, કાયદાથી ઉપર કોઈ નથી. સાથે જ કોંગ્રેસે આને અઘોષિત ઈમરજન્સી ગણાવી છે. વાસ્તવમાં દિલ્હી અને મુંબઈમાં બીબીસીની ઓફિસમાં ઈન્કમ ટેક્સ સર્વે ચાલી રહ્યો છે. બીબીસીની ડોક્યુમેન્ટ્રીના થોડા અઠવાડિયા પછી લેવાયેલી આ કાર્યવાહી પર વિપક્ષે એક પછી એક અનેક સવાલો ઉભા કર્યા છે.

મુંબઈમાં બીબીસીની ત્રણ ઓફિસમાં એક સાથે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. કર્મચારીઓના મોબાઈલ ફોન પરિસરની અંદર એક જગ્યાએ રાખવામાં આવ્યા હતા. બીબીસી પર ટ્રાન્સફર પ્રાઈસિંગ નિયમોનું પાલન ન કરવાનો તેમજ નફાની મોટી રકમને જાણી જોઈને ડાયવર્ટ કરવાનો આરોપ છે. જેના કારણે અનેક વખત નોટિસ આપવામાં આવી હતી.

નવી એર ઇન્ડિયા અને એરબસ વચ્ચે ડીલ

પીએમ મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાત કરી હતી. ન્યૂ એર ઈન્ડિયા અને એરબસ વચ્ચેની ડીલ મહત્વની હોવાનું કહેવાય છે. આગામી બે દાયકામાં ભારતને 22,00થી વધુ નવા એરક્રાફ્ટની જરૂર પડશે. બોઇંગનો અંદાજ છે કે 2041 સુધીમાં દેશમાં વાર્ષિક ટ્રાફિક 7%ના દરે વધશે. તમને જણાવી દઈએ કે, ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત રશિયા યુક્રેન યુદ્ધને ઉકેલવા માટે વિશ્વને પ્રેરણા આપી શકે છે.

તુર્કી સીરિયા ભૂકંપ

તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક 41 હજારને પાર થઈ ગયો છે. 1 લાખ 20 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. એક સપ્તાહ બાદ પણ બચાવ કાર્ય ચાલુ છે. સૌથી વધુ વિનાશ તુર્કીમાં થયો છે જ્યાં મૃત્યુઆંક 35 હજાર 418 પર પહોંચી ગયો છે અને 1 લાખથી વધુ લોકો ઘાયલ થયા છે. તે જ સમયે, સીરિયામાં ભૂકંપની સૌથી વધુ અસર તુર્કીની સરહદે આવેલા વિસ્તારમાં જોવા મળી હતી. મૃતકોનો આંકડો 6 હજારની નજીક છે, લગભગ 14 હજાર ઘાયલ થયા છે.

18:29 PM (IST)  •  15 Feb 2023

કેનેડા સ્થિત ગેંગસ્ટર લખબીર સિંહ લાંડા વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ નોંધાયો

NIAએ કેનેડા સ્થિત ગેંગસ્ટર લખબીર સિંહ લાંડા વિરુદ્ધ 20 ઓગસ્ટ, 2022 ના રોજ તેની સંડોવણી બદલ IPCની 120B, 121, 121A અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ, 1967ની કલમ 17, 18, 18-B અને 38 હેઠળ કેસ નોંધ્યો હતો.  

12:38 PM (IST)  •  15 Feb 2023

Bhavnagar: સિહોર તાલુકા પંચાયતના મેદાનમાં પ્રેમી પંખીડાએ કરી આત્મહત્યા, પોલીસે શરૂ કરી તપાસ

ભાવનગરઃ ભાવનગરના સિહોર તાલુકા પંચાયતના મેદાનમાં પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી હતી. મળતી જાણકારી અનુસાર, ભાવનગરના સિહોર તાલુકા પંચાયતના મેદાનમાં પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી હતી. સિહોરમાં આવેલી તાલુકા પંચાયત કચેરીમાં યુવક-યુવતીએ એકસાથે આત્મહત્યા કરી હતી. યુવક ભાવનગરનો હોવાનું મનાય છે. યુવતી અંગે કોઇ જાણકારી મળી શકી નથી. આત્મહત્યા પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યુ નથી. પોલીસ ઘટનાસ્થળ પહોચી હતી અને બંન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા હતા.

12:38 PM (IST)  •  15 Feb 2023

ISISના શકમંદોની શોધમાં NIAએ દેશમાં 100 જગ્યાએ દરોડા પાડ્યા, આતંકી સંગઠન વીડિયો દ્વારા કરી રહ્યું છે ભરતી

NIA Raid: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ટીમ શંકાસ્પદ ISIS શકમંદોને શોધવા માટે તમિલનાડુ અને કેરળમાં 60 થી વધુ સ્થળો પર દરોડા પાડી રહી છે. યુવાનોની ભરતી કરવા માટે આતંકી સંગઠનો વીડિયોની મદદ લઈ રહ્યાં છે. ભૂતકાળમાં ઘણા યુવાનોને વીડિયો દ્વારા બ્રેઈનવોશ કરીને કટ્ટરપંથી તરફ વાળવામાં આવ્યા છે. કોઇમ્બતુરમાં કાર સિલિન્ડર બ્લાસ્ટના સંદર્ભમાં તમિલનાડુમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

આતંકવાદ વિરોધી એજન્સી કર્ણાટકમાં 45 થી વધુ સ્થળો પર દરોડા પાડી રહી છે.

12:38 PM (IST)  •  15 Feb 2023

Gandhinagar: પ્રાથમિક શિક્ષકોની બદલીના ઠરાવમાં થઇ શકે છે ફેરફાર, 13 સભ્યોની કમિટી બનાવાઇ

ગાંધીનગરઃ પ્રાથમિક શિક્ષકોની બદલીના ઠરાવમાં ફેરફાર થઈ શકે છે. એક એપ્રિલ, 2022ના ઠરાવમાં સુધારા માટે કમિટી બનાવવામાં આવી છે. પ્રાથમિક શિક્ષણના સંયુક્ત સચિવના અધ્યક્ષ સ્થાને 13 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. ઠરાવમાં કયા પ્રકારે ફેરફાર કરવા તેને લઈ 17 ફેબ્રુઆરીએ બેઠક મળશે.

વિભાગના આ ઠરાવ PRE-112012-611065- પાર્ટ-5ની જોગવાઇમાં ફેરફાર થશે. અલગ અલગ કોર્ટ મેટરો થઇ હોવાના કારણે ઠરાવમાં ફેરફાર થશે. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ભીખાભાઇ પટેલે કહ્યુ હતું કે 17 ફેબ્રુઆરીએ મળનારી બેઠકનો એજન્ડી પણ મળી ચૂક્યો છે.

12:37 PM (IST)  •  15 Feb 2023

Indian Railwayની હોળી પર પેસેન્જરને મોટી ભેટ, ફેસ્ટિવલ માટે દોડાવાશે સ્પેશિયલ 13 ટ્રેન, જુઓ યાદી

Indian railways big gift:ઉત્તર રેલવેએ 13 વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે. તેમાંથી 11 ટ્રેનો આનંદ વિહાર, જૂની દિલ્હી અને નવી દિલ્હીથી દોડશે. આ સિવાય પંજાબ અને હરિયાણાથી બિહાર અને ઉત્તર પ્રદેશ સુધી કેટલીક ટ્રેનો દોડાવવાની વાત છે. દેશમાં હોળી જેવા તહેવારને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ પોતાની તરફથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ પ્રસંગે લાખો લોકો તેમના કાર્યસ્થળથી તેમના વતન જાય છે. જેના કારણે આ પ્રસંગે ટ્રેનોમાં ઘણી ભીડ જોવા મળે છે. આ ભીડને ઘટાડવા માટે ભારતીય રેલ્વે વિશેષ ટ્રેનો ચલાવે છે. આ વખતે પણ ભારતીય રેલવેએ 13 વિશેષ ટ્રેનોની જાહેરાત કરી છે. રેલવેના જણાવ્યા અનુસાર, આ ટ્રેનોની ટિકિટ બુકિંગ બે દિવસમાં શરૂ થશે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Embed widget