શોધખોળ કરો

'ચૂંટણી બજેટ એ હોય છે જેમાં રેવડીઓ વહેંચવામાં આવે છે', વિપક્ષના આરોપ પર કેન્દ્રિય મંત્રી પિયૂષ ગોયલનો વળતો પ્રહાર

નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યું હતું. આ પછી વિપક્ષે બજેટને લઈને અનેક સવાલો ઉઠાવ્યા

Budget 2023-24:  નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યું હતું. આ પછી વિપક્ષે બજેટને લઈને અનેક સવાલો ઉઠાવ્યા અને તેને ચૂંટણી બજેટ ગણાવ્યું. આ મામલે પ્રતિક્રિયા આપતા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું હતું કે ચૂંટણીનું બજેટ એ છે જેમાં રેવડીઓને વહેંચવામાં આવી રહી છે. આ બજેટ દેશના લોકોને સશક્ત બનાવનાર છે.

વિપક્ષના આરોપો પર કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું હતું કે આ બજેટમાં ઘણી સાતત્યતા છે. આ બજેટ 140 કરોડ લોકોને સશક્ત બનાવે છે. તે ભારતને ઉજ્જવળ ભવિષ્ય માટે તૈયાર કરી રહ્યું છે. ચૂંટણીનું બજેટ એ એવું હોય છે જ્યાં રેવડીઓ વહેંચવામાં આવે છે.

બજેટ પર પ્રતિક્રિયા આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અમૃત કાળનું પ્રથમ બજેટ વિકસિત ભારતના નિર્માણ માટે મજબૂત પાયો નાખશે. દરેક વર્ગનું સ્વપ્ન સાકાર થશે. આ બજેટ ગરીબ, મધ્યમ વર્ગ, ખેડૂતો સહિત મહત્વાકાંક્ષી સમાજના સપનાઓને પૂર્ણ કરશે.

'આ બજેટ સારા ભવિષ્ય માટે છે'

તેમણે વધુમાં કહ્યું કે આ બજેટ 140 કરોડ દેશવાસીઓને સ્પર્શશે અને તેમના સારા ભવિષ્યને પણ અસર કરશે. આ સાથે દેશ અમૃતકાળ તરફ આગળ વધી રહ્યો છે, તેના માટે પણ આ બજેટ દેશ તૈયાર કરશે. તેમણે કહ્યું કે ભારતને એવો દેશ બનાવવાની યોજના પર કામ કરવામાં આવી રહ્યું છે જ્યાં અર્થવ્યવસ્થાની સાથે દરેક વ્યક્તિનો વિકાસ થાય.

પીયૂષ ગોયલે કહ્યું હતું કે દુનિયા માને છે કે ભારત વિશ્વની અર્થવ્યવસ્થાને ખૂબ આગળ લઈ જઈ શકે છે. લગભગ દરેક વર્ગે આ સંતુલિત બજેટની પ્રશંસા કરી છે. એટલા માટે અર્થશાસ્ત્રીઓ આ બજેટથી ખુશ છે. આ બજેટની સુંદરતા એ છે કે તે સર્વસમાવેશક વિકાસને પ્રોત્સાહન આપશે.

વિપક્ષનું શું કહેવું?

બજેટ પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે બજેટ 2-4 રાજ્યોની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટ નથી પરંતુ ચૂંટણી ભાષણ છે. બજેટમાં મોંઘવારી વધી છે, જેનું ધ્યાન રાખવું જોઈતું હતું. તેમણે કહ્યું હતું કે તેઓ દર વર્ષે 2 કરોડ નોકરીઓ આપશે. સરકારી ભરતીઓ માટે પણ કંઈ થયું નથી. ગરીબો અને બેરોજગારો માટે આ બજેટમાં કંઈ નથી.

તો સાથે જ ટીએમસી પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે બજેટ 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. આ સાથે તેણે એમ પણ કહ્યું કે જો તેને અડધો કલાકનો સમય આપવામાં આવે તો તે આના કરતા વધુ સારુ પબ્લિક ફ્રેન્ડલી બજેટ રજૂ કરી શકે છે. તેમણે દાવો કર્યો હતો કે આવકવેરાના સ્લેબમાં ફેરફાર કરવાથી કોઈને ફાયદો થશે નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જથી અન્ના હજારે દુઃખી: PM મોદીને પત્ર લખીને આંદોલનની કરી જાહેરાત
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જથી અન્ના હજારે દુઃખી: PM મોદીને પત્ર લખીને આંદોલનની કરી જાહેરાત
આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?
આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?
સોનમ વાંગચુક અનશન તોડશે? જેપી નડ્ડા સાથેની મુલાકાત બાદ સરકાર સામે મૂકી આ મોટી શરતો
સોનમ વાંગચુક અનશન તોડશે? જેપી નડ્ડા સાથેની મુલાકાત બાદ સરકાર સામે મૂકી આ મોટી શરતો

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ પર લાંબા વિરામ બાદ મેઘરાજા મહેરબાન, સવારથી કાળા ડિંબાગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ
અમદાવાદ પર લાંબા વિરામ બાદ મેઘરાજા મહેરબાન, સવારથી કાળા ડિંબાગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: સુરત, નવસારી, વલસાડ અને દમણમાં આજે શાળા-કોલેજો બંધ, 490 લોકોનું સ્થળાંતર
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: સુરત, નવસારી, વલસાડ અને દમણમાં આજે શાળા-કોલેજો બંધ, 490 લોકોનું સ્થળાંતર
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર
Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ
Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ
Embed widget