![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કોવેક્સિન ફાઈનલ રસીમાં વાછરડાના લોહીનો ઉપયોગ નથી થયો, મોદી સરકારે શું કર્યો ખુલાસો ?
કેટલાક થોડા દિવસથી કોવેક્સિનને લઈને સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટ વાયરલ થઈ રહી છે.
![કોવેક્સિન ફાઈનલ રસીમાં વાછરડાના લોહીનો ઉપયોગ નથી થયો, મોદી સરકારે શું કર્યો ખુલાસો ? calf serum was not used in Covexin final vaccine, what did Modi government reveal? pib fact check કોવેક્સિન ફાઈનલ રસીમાં વાછરડાના લોહીનો ઉપયોગ નથી થયો, મોદી સરકારે શું કર્યો ખુલાસો ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/04/64457e229ed1d161a032dad4148243a6_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
કેટલાક થોડા દિવસથી કોવેક્સિનને લઈને સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટ વાયરલ થઈ રહી છે. વાયરલ પોસ્ટમાં કોવેક્સિનને લઈને અનેક સવાલ ઉભા કરવામાં આવી રહ્યા છે, જેના પર કેન્દ્ર સરકારે પોતાની પ્રતિક્રિયા આપી છે. સોશિયલ મીડિયા એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં કહેવામાં આવ્યું છે કે કોવેક્સિનમાં ગાયના નવજાત વાછરડાના લોહી (Serum)નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આવો જાણીએ આ દાવામાં કેટલું સત્ય છે.
આમ તો આ દાવાને કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે ફગાવી દીધો છે. મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, નવજાત વાછરડાના લોહીનો ઉપયોગ માત્ર વેરો સેલ્સ (Vero cells)ને તૈયાર કરવા અને વિકસિત કરવા માટે કરવામાં આવે છે. નોંધનીય છે કે, કોંગ્રેસના સોશિયલ મીડિયા વિભાગના રાષ્ટ્રીય સંયોજક ગૌરવ પંધીએ એક આરટીઆઈને ટાંકીને કહ્યું હતું કે, કોવેક્સિન તૈયાર કરવા માટે 20 દિવસના વાછરડાની હત્યા કરવામાં આવે છે અને એ પ્રક્રિયામાં નવજાત વાછરડાના સીરમનો ઉપયોગ કરવામાં આવે છે.
કેટલો સાચો છે આ દાવો
વીરો સેલ એક મીડિયમ છે જે સીરમમાં તૈયાર કરવામાં આવે છે. વીરો સેલ તૈયાર કરવાનો ઉદ્દેશ કોરોના વાયરસ તૈયાર કરવાનો હોય છે અને વીરો સેલ તૈયાર થતા જ સીરમને કેમિકલ અને અન્ય રસાયણ દ્વારા પૂરી રીતે સાફ કરવામાં આવે છે. માટે રસીમાં સીરમની હોવાની વાત કરવી એ ખોટું છે. ધ્યાન રહે કે સીરમ લોહીનો એક પ્રકાર છે જે કેટલાક અવયવ કાઢ્યા બાદ તૈયાર કરવામાં આવે છે.
#COVID19 पर मिथक बनाम तथ्य#COVAXIN की संरचना के बारे में कुछ सोशल मीडिया पोस्टों में यह कहा गया है कि कोवैक्सीन टीका में नवजात बछड़ा सीरम है
— पीआईबी हिंदी (@PIBHindi) June 16, 2021
ऐसे पोस्टों में तथ्यों को तोड़ा-मरोड़ा गया है और गलत तरीके से पेश किया गया है
विवरण: https://t.co/F2ho6LRffM#FakeNews pic.twitter.com/gKrSg2UelG
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર નવજાત વાછરડાના સીરમનો ઉપયોગ માત્ર વીરો સેલ્સ તૈયાર કરવા માટે કરવામાં આવે છે. વાયરસના ગ્રોથના પ્રક્રિયામાં વીરો સેલ્સ પૂરી રીતે નષ્ટ થઈ જાય છે. વૈશ્વિક સ્ટાન્ડરન્ડ પ્રોસેસ અંતર્ગત વીરો સેલ્સના ગ્રોથ માટે ગાયની જેમ જ અન્ય જાનવરોના લોહીનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આ સીરમનો ઉપયોગ પ્રક્રિયાની શરૂઆતમાં કરવામાં આવે છે. રસી બનાવવા અંતિમ તબક્કામાં સીરમ વેક્સિનમાં બિલકુલ નથી હોતું માટે સીરમ એટલે કે લોહીને રસીનો ભાગ હોવાનું કહેવું એ બિલકુલ અવૈજ્ઞાનિક નહિં પણ ખોટું છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)