શોધખોળ કરો

સુપ્રીમ કોર્ટના પાંચ નવા જસ્ટિસ છ ફેબ્રુઆરીએ શપથ લેશે, ત્રણ રાજ્યમાં એક્ટિંગ ચીફ જસ્ટિસની પણ કરાઇ નિમણૂક

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પાંચ નવા જજોની નિમણૂકને મંજૂરી આપી દીધી છે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પાંચ નવા જજોની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ગયા વર્ષે ડિસેમ્બરમાં આ નામોની ભલામણ કરી હતી. સુપ્રીમ કોર્ટના નવા જસ્ટિસ સોમવારે સવારે શપથ લેશે. શપથ સમારોહ સુપ્રીમ કોર્ટના પરિસરમાં બનેલા ઓડિટોરિયમમાં યોજાશે.

વાસ્તવમાં સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધી 27 જજ છે. પાંચ નવા જજો મળતાની સાથે આ સંખ્યા 32 થઈ જશે. આગામી સપ્તાહમાં કેન્દ્ર સરકાર વધુ બે ન્યાયાધીશોના નામની ભલામણને મંજૂરી આપશે તેવી અપેક્ષા છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા પણ આ બે નામોની ભલામણ કરવામાં આવી છે. એકવાર તે નિમણૂંકો મંજૂર થયા પછી સુપ્રીમ કોર્ટ ફરીથી સંપૂર્ણ ક્ષમતા પર હશે. જો કે આ વર્ષે સરેરાશ દર દોઢ મહિને એક જજ નિવૃત્ત થાય છે. એટલે કે આ વર્ષે કુલ 9 જજ 65 વર્ષના થશે અને તેમની નિવૃત્તિ આ વર્ષે નક્કી છે.

કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટ માટે મંજૂર કરાયેલા પાંચ નવા જજોમાં રાજસ્થાન હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પંકજ મિથલ, પટના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સંજય કરોલ, મણિપુર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પીવી સંજય કુમાર, પટના હાઈકોર્ટના જજ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને અલ્હાબાદ હાઈકોર્ટના જજ મનોજ મિશ્રાનો સમાવેશ થાય છે. 

ત્રણ રાજ્યમાં એક્ટિંગ ચીફ જસ્ટિસની કરાઇ નિમણૂક

ત્રણ હાઈકોર્ટમાં કામ કરતા સૌથી વરિષ્ઠ જજને એક્ટિંગ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે જસ્ટિસ મનિન્દ્ર મોહન શ્રીવાસ્તવને રાજસ્થાન હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ, જસ્ટિસ ચક્રધારી શરણસિંહને પટના હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ, અને જસ્ટિસ એમવી મુરલીધરનની મણિપુર હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
Embed widget