શોધખોળ કરો

Chandrayaan-5 Mission: કેન્દ્ર સરકારે 'ચંદ્રયાન-5' મિશનને આપી મંજૂરી, ઇસરોના પ્રમુખે આપી જાણકારી

અગાઉ 'ચંદ્રયાન-3' મિશન હેઠળ 25 કિલોગ્રામનું રોવર 'પ્રજ્ઞાન' ચંદ્ર પર મોકલવામાં આવ્યું હતું

Chandrayaan-5 Mission: કેન્દ્ર સરકારે મહત્વાકાંક્ષી 'ચંદ્રયાન-5 મિશન'ને મંજૂરી આપી દીધી છે. આ મિશન હેઠળ ચંદ્રની સપાટીનો અભ્યાસ કરવા માટે 250 કિલોગ્રામ વજનનું રોવર મોકલવામાં આવશે. ઈસરોના અધ્યક્ષ વી. નારાયણને આ સમાચારની પુષ્ટી કરી અને કહ્યું કે આ મિશન જાપાનના સહયોગથી હાથ ધરવામાં આવશે. રવિવારે એક સન્માન સમારોહમાં બોલતા ISROના વડાએ કહ્યું કે ચંદ્રયાન-5 ને તાજેતરમાં જ લીલી ઝંડી આપવામાં આવી છે.

તેમણે કહ્યું કે અગાઉ 'ચંદ્રયાન-3' મિશન હેઠળ 25 કિલોગ્રામનું રોવર 'પ્રજ્ઞાન' ચંદ્ર પર મોકલવામાં આવ્યું હતું, જે સફળતાપૂર્વક ઉતર્યું હતું. આ વખતે ચંદ્રયાન-5 માં વધુ સક્ષમ રોવર મોકલવામાં આવશે, જે ચંદ્રની સપાટીનો વધુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શકશે.

કેન્દ્ર સરકારે 'ચંદ્રયાન-5' મિશનને મંજૂરી આપી

ઈસરોએ ચંદ્રયાન-3 મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું, જેમાં લેન્ડર 'વિક્રમ' એ 23 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક 'સોફ્ટ લેન્ડિંગ' કર્યું હતું. આ ભારત માટે એક ઐતિહાસિક ક્ષણ હતી, જેણે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું.

અગાઉ ઇસરો 'ચંદ્રયાન-4' મિશન પર પણ કામ કરી રહ્યું છે, જેનો ઉદ્દેશ્ય ચંદ્ર પરથી માટી અને ખડકોના નમૂના લાવવાનો છે. અહેવાલો અનુસાર, તેને 2027માં લોન્ચ કરવામાં આવી શકે છે.               

 'ચંદ્રયાન-5 મિશન' નો હેતુ?

ચંદ્રયાન મિશનનો ઉદ્દેશ્ય ચંદ્રની સપાટી અને ત્યાં હાજર ખનિજોનો અભ્યાસ કરવાનો છે. ઈસરોના વૈજ્ઞાનિકો આ દિશામાં સતત કામ કરી રહ્યા છે અને અવકાશ સંશોધનના ક્ષેત્રમાં ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહ્યા છે. ચંદ્રયાન-5 મિશનની જાહેરાત પછી દેશભરના વૈજ્ઞાનિક સમુદાયમાં ઉત્સાહ છે અને હવે બધાની નજર આ નવા મિશન પર ટકેલી છે.                                                  

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

બિહાર વિધાનસભામાં તેજસ્વી યાદવ વિપક્ષના નેતા તરીકે ચૂંટાયા, હાર બાદ RJDની સમીક્ષા બેઠક 
બિહાર વિધાનસભામાં તેજસ્વી યાદવ વિપક્ષના નેતા તરીકે ચૂંટાયા, હાર બાદ RJDની સમીક્ષા બેઠક 
‘વિદ્યાર્થીઓને કચડી નાખો...’ - શેખ હસીનાના આ એક આદેશે તેમને પહોંચાડ્યા ફાંસીના માંચડે!
‘વિદ્યાર્થીઓને કચડી નાખો...’ - શેખ હસીનાના આ એક આદેશે તેમને પહોંચાડ્યા ફાંસીના માંચડે!
10,000 ની SIP એ માત્ર 5 વર્ષમાં ડબલ કર્યા પૈસા, આ સ્કીમે આપ્યું કુલ 108% રિટર્ન
10,000 ની SIP એ માત્ર 5 વર્ષમાં ડબલ કર્યા પૈસા, આ સ્કીમે આપ્યું કુલ 108% રિટર્ન
Rain: ભરશિયાળે ફરી વરસશે વરસાદ? અંબાલાલ પટેલે ફરી કરી આગાહી, આ તારીખે થશે માવઠું
Rain: ભરશિયાળે ફરી વરસશે વરસાદ? અંબાલાલ પટેલે ફરી કરી આગાહી, આ તારીખે થશે માવઠું
Advertisement

વિડિઓઝ

Ambalal Patel Prediction: ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Sheikh Hasina Gets Death Penalty : ઈંટરનેશનલ ક્રાઈમ ટ્રીબ્યુનલ કોર્ટે શેખ હસીનાને સંભળાવી ફાંસીની સજા
Ahmedabad news : અમદાવાદ સિવિલ હોસ્પિટલની ડેંટલ હોસ્પિટલનું સામે આવ્યું ભોપાળું
Bhavnagar Murder Case: ભાવનગરમાં ફોરેસ્ટ વિભાગનો અધિકારી જ બન્યો પરિવારનો હત્યારો
Ahmedabad Accident News: અમદાવાદમાં ફરી એક નબીરાએ રફ્તારનો કહેર સર્જીને હાહાકાર મચાવ્યો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહાર વિધાનસભામાં તેજસ્વી યાદવ વિપક્ષના નેતા તરીકે ચૂંટાયા, હાર બાદ RJDની સમીક્ષા બેઠક 
બિહાર વિધાનસભામાં તેજસ્વી યાદવ વિપક્ષના નેતા તરીકે ચૂંટાયા, હાર બાદ RJDની સમીક્ષા બેઠક 
‘વિદ્યાર્થીઓને કચડી નાખો...’ - શેખ હસીનાના આ એક આદેશે તેમને પહોંચાડ્યા ફાંસીના માંચડે!
‘વિદ્યાર્થીઓને કચડી નાખો...’ - શેખ હસીનાના આ એક આદેશે તેમને પહોંચાડ્યા ફાંસીના માંચડે!
10,000 ની SIP એ માત્ર 5 વર્ષમાં ડબલ કર્યા પૈસા, આ સ્કીમે આપ્યું કુલ 108% રિટર્ન
10,000 ની SIP એ માત્ર 5 વર્ષમાં ડબલ કર્યા પૈસા, આ સ્કીમે આપ્યું કુલ 108% રિટર્ન
Rain: ભરશિયાળે ફરી વરસશે વરસાદ? અંબાલાલ પટેલે ફરી કરી આગાહી, આ તારીખે થશે માવઠું
Rain: ભરશિયાળે ફરી વરસશે વરસાદ? અંબાલાલ પટેલે ફરી કરી આગાહી, આ તારીખે થશે માવઠું
રોકેટ બન્યા આ ડિફેન્સ કંપનીના શેર, 100 કરોડના આર્મી ઓર્ડરની અસર, રોકાણકારોને બખ્ખા 
રોકેટ બન્યા આ ડિફેન્સ કંપનીના શેર, 100 કરોડના આર્મી ઓર્ડરની અસર, રોકાણકારોને બખ્ખા 
Delhi Air Quality: દિલ્હીમાં આજે સીઝનનો સૌથી ઠંડો દિવસ, હવાની ગુણવત્તા 'ખૂબ જ ખરાબ'
Delhi Air Quality: દિલ્હીમાં આજે સીઝનનો સૌથી ઠંડો દિવસ, હવાની ગુણવત્તા 'ખૂબ જ ખરાબ'
Saudi arabia: સાઉદી અરેબિયામાં મોટી દુર્ઘટના, ઉમરાહ માટે ગયેલા 42 ભારતીયોનું મોત
Saudi arabia: સાઉદી અરેબિયામાં મોટી દુર્ઘટના, ઉમરાહ માટે ગયેલા 42 ભારતીયોનું મોત
'ભારત કોઈપણ યુદ્ધ માટે તૈયાર...', જનરલ દ્વિવેદીએ પાકિસ્તાનને આપી કડક ચેતવણી, ચીન પર કહી આ વાત 
'ભારત કોઈપણ યુદ્ધ માટે તૈયાર...', જનરલ દ્વિવેદીએ પાકિસ્તાનને આપી કડક ચેતવણી, ચીન પર કહી આ વાત 
Embed widget