શોધખોળ કરો

મહાનગર પાલિકા ચૂંટણી: BJP- શિવસેના ગઠબંધનમાં તિરાડ, બે મહાનગર પાલિકામાં અલગ લડવાનો નિર્ણય

છત્રપતિ સંભાજીનગર અને પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના એકલા લડશે. બંને પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણીની વાટાઘાટો નિષ્ફળ ગઈ છે.

છત્રપતિ સંભાજીનગર અને પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના એકલા લડશે. બંને પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણીની વાટાઘાટો નિષ્ફળ ગઈ છે. શાસક મહાયુતિમાં એક સમયે સાથી રહેલા બંને પક્ષોના નેતાઓ હવે ગઠબંધન તૂટવા માટે એકબીજાને દોષી ઠેરવી રહ્યા છે. છત્રપતિ સંભાજીનગરમાં શિવસેનાના ધારાસભ્ય અને મંત્રી સંજય શિરસાટે દાવો કર્યો હતો કે ભાજપે પ્રદેશમાં પોતાની વધતી શક્તિને કારણે "અહંકાર" માં ગઠબંધન તોડ્યું છે. 

સ્થાનિક ભાજપ નેતાઓએ જાણી જોઈને ગઠબંધન તોડ્યું - શિરસાટ

શિરસાટે કહ્યું કે તેમની પાર્ટી સતત મ્યુનિસિપલ ચૂંટણીઓ માટે ભાજપ સાથે ગઠબંધન પર આગ્રહ રાખતી હતી અને વિસ્તારના મતદારોએ પણ આ જ લાગણી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું,  ‘‘ જોકે, કેટલાક સ્થાનિક ભાજપ નેતાઓએ જાણી જોઈને ગઠબંધન તોડ્યું. આ ગઠબંધન તૂટવાથી અમે દુઃખી છીએ. ’’  તેમણે આરોપ લગાવ્યો કે વિવાદિત બેઠકો પર ગતિરોધ ઉકેલવા માટે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે વાતચીત કરવા છતાં આ મુદ્દો ફરીથી જાણી જોઈને ઉઠાવવામાં આવ્યો.

શિવસેનાના એક મંત્રીએ દાવો કર્યો હતો કે ભાજપે શિવસેનાને "અંધારામાં" રાખીને અને પોતાના ઉમેદવારો તૈયાર કરીને સીટ વહેંચણીની વાટાઘાટો ચાલુ રાખી છે. તેમણે કહ્યું કે શિવસેનાએ હવે તેના તમામ ઉમેદવારોને ઉમેદવારી પત્રો દાખલ કરવા કહ્યું છે અને સંભવિત અવરોધો અંગે ચિંતા વ્યક્ત કરી છે.

શિવસેનાના અહંકારને કારણે ગઠબંધન તૂટી ગયું - ભાજપ મંત્રી 

શિરસટના આરોપોને નકારી કાઢતા ભાજપના મંત્રી અતુલ સાવેએ શિવસેનાના નેતાઓ પર બેઠકોની વહેંચણી અંગે વારંવાર પોતાનું વલણ બદલવાનો આરોપ લગાવ્યો. સાવેએ કહ્યું, "શિવસેનાના નેતાઓએ એવી બેઠકોની માંગ કરી હતી જ્યાં ભાજપના કાઉન્સિલરો સતત જીત્યા છે. તેમનો ઘમંડ જ ગઠબંધન તૂટવાનું કારણ છે." તેમણે કહ્યું કે ભાજપ હજુ પણ ગઠબંધનમાં રસ ધરાવે છે, પરંતુ શિવસેનાએ આગળ આવવું પડશે, કારણ કે ઉમેદવારીપત્રો ભરવા માટે માત્ર થોડા કલાકો બાકી છે.

ભાજપના નેતા અને રાજ્યસભાના સભ્ય ભગવત કરાડે  સમાન મંતવ્યો વ્યક્ત કરતા કહ્યું કે ભાજપે શિવસેનાને વધુ બેઠકો આપવામાં "ઉદારતા" બતાવી હતી, પરંતુ તેમની માંગણીઓ વધી ગઈ છે.

શિંદેનો પક્ષ પુણેમાં એકલા ચૂંટણી લડશે

પુણેમાં પણ ભાજપ અને શિવસેનાએ બેઠક વહેંચણીની વાટાઘાટો નિષ્ફળ ગયા પછી એકલા ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. છેલ્લા કેટલાક દિવસોમાં તીવ્ર વાટાઘાટો છતાં શિવસેના જરૂરી બેઠકો મેળવવામાં નિષ્ફળ રહી હોવાના અહેવાલ છે. શિવસેનાના નેતા નાના ભાનગિરેએ જણાવ્યું હતું કે ભાજપે ફક્ત 16  બેઠકોની ઓફર કર્યા બાદ પાર્ટીએ સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો. તેમણે કહ્યું કે પાર્ટી પુણેમાં 165  બેઠકો પર ચૂંટણી લડશે અને બધા ઉમેદવારોને 'એબી' ફોર્મ આપવામાં આવશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget