શોધખોળ કરો

Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા

Narayanpur Encounter: છત્તીસગઢના નારાયણપુરમાં પોલીસને નક્સલવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં મોટી સફળતા મળી છે. અત્યાર સુધીમાં 30 નક્સલવાદીઓ માર્યા ગયા છે. મોટી સંખ્યામાં સ્વચાલિત હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે.

Chhattisgarh Encounter: છત્તીસગઢના બસ્તર વિભાગમાં નક્સલવાદીઓ વિરુદ્ધ જવાનોનું એન્ટી નક્સલ ઓપરેશન સતત ચાલુ છે. આ અભિયાન અંતર્ગત શુક્રવારે નારાયણપુર અને બીજાપુર પોલીસને નક્સલ વિરોધી અભિયાનમાં મોટી સફળતા મળી છે. જવાનોએ નક્સલવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા છે.

ઘટનાસ્થળેથી જવાનોએ ઓટોમેટિક હથિયારો AK 47, SLR જેવા હથિયારો અને મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી પણ જપ્ત કરી છે. આ એન્કાઉન્ટરમાં કોઈ જવાનના મૃત્યુની માહિતી નથી. જણાવવામાં આવી રહ્યું છે કે મોટી સંખ્યામાં નક્સલવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સ્થાનિક પોલીસ બળ, DRG અને અર્ધલશ્કરી દળોએ સંયુક્ત ઓપરેશન ચલાવીને નક્સલવાદીઓના ઠેકાણે દરોડો પાડીને 30 નક્સલવાદીઓને ઠાર કર્યા છે.

જણાવવામાં આવી રહ્યું છે કે મારી નખાયેલા નક્સલવાદીઓના મૃતદેહો લઈને શનિવારે જવાનો નારાયણપુર મુખ્યમથકે પહોંચશે, જ્યાં મૃત નક્સલવાદીઓની ઓળખ કરવામાં આવશે. છેલ્લા 8 મહિનામાં અત્યાર સુધી અલગ અલગ એન્કાઉન્ટરમાં 165 નક્સલવાદીઓ માર્યા ગયા છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે નારાયણપુર અને દંતેવાડા જિલ્લાની સીમા પર નક્સલવાદીઓની હાજરીની માહિતી મળતાં સુરક્ષાદળના જવાનોને નક્સલ વિરોધી અભિયાન માટે રવાના કરવામાં આવ્યા હતા.

અત્યાર સુધીમાં 30 નક્સલવાદીઓ માર્યા ગયા છે, આ સંખ્યા વધી શકે છે. ઘટનાસ્થળેથી મોટી સંખ્યામાં ઓટોમેટિક હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. એન્કાઉન્ટર ચાલુ છે. બંને તરફથી ગોળીબાર ચાલી રહ્યો છે. મોટી સંખ્યામાં ઓટોમેટીક હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. દંતેવાડા SP ગૌરવ રાયે આની પુષ્ટિ કરી છે. મારી નખાયેલા નક્સલવાદીઓની સંખ્યા વધી શકે છે.

તેમણે જણાવ્યું કે બપોરે લગભગ એક વાગ્યે જ્યારે સુરક્ષાદળો નક્સલવાદીઓની હાજરીની માહિતી વાળી જગ્યાએ પહોંચ્યા ત્યારે તેમણે (નક્સલવાદીઓએ) ગોળીબાર શરૂ કરી દીધો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ઘટના બાદ સુરક્ષાદળના જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી. તેમણે જણાવ્યું કે નારાયણપુર અને દંતેવાડા જિલ્લાના સંયુક્ત દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. વિસ્તારમાં અવારનવાર ગોળીબાર થઈ રહ્યો છે.

અધિકારીઓએ જણાવ્યું કે એન્કાઉન્ટરમાં બધા જવાનોના સુરક્ષિત હોવાની માહિતી મળી છે. આ સંબંધમાં વધુ માહિતી લેવામાં આવી રહી છે. સુરક્ષાદળોએ ગુરુવારે બસ્તર ક્ષેત્રના સુકમા જિલ્લામાં એન્કાઉન્ટર દરમિયાન નક્સલવાદીઓના કામચલાઉ શિબિરને નષ્ટ કરી દીધું હતું અને મોટી માત્રામાં વિસ્ફોટક અને અન્ય સામગ્રી જપ્ત કરી હતી.

આ પણ વાંચોઃ

ઈરાનનો હુંકાર: મુસલમાનો એક થાઓ, શહીદ નસરુલ્લાહ અને ઇઝરાયેલ સામે બદલો, ખામેનેઈનું 5 વર્ષમાં પહેલું ભાષણ | 10 POINTS

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

માર્ચમાં એપ્રિલ જેવી ગરમી માટે તૈયાર રહો! દેશના આ રાજ્યમાં તાપમાન 39.6°C સુધી પહોંચ્યું
માર્ચમાં એપ્રિલ જેવી ગરમી માટે તૈયાર રહો! દેશના આ રાજ્યમાં તાપમાન 39.6°C સુધી પહોંચ્યું
ખામેનેઈના મોતના 5 દિવસ બાદ ભારતે વ્યક્ત કર્યું દુખ, ઈરાની દૂતાવાસ પહોંચ્યા વિદેશ સચિવ
ખામેનેઈના મોતના 5 દિવસ બાદ ભારતે વ્યક્ત કર્યું દુખ, ઈરાની દૂતાવાસ પહોંચ્યા વિદેશ સચિવ, લખ્યો શોક સંદેશ
Bihar CM: બિહારના નવા મુખ્યમંત્રી કોણ? જાણો ક્યાં નામો પર થઈ રહી છે ચર્ચા 
Bihar CM: બિહારના નવા મુખ્યમંત્રી કોણ? જાણો ક્યાં નામો પર થઈ રહી છે ચર્ચા 
Bihar CM Nitish Kumar: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજયસભા માટે નોંધાવી ઉમેદવારી, અમિત શાહ રહ્યાં ઉપસ્થિત
Bihar CM Nitish Kumar: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજયસભા માટે નોંધાવી ઉમેદવારી, અમિત શાહ રહ્યાં ઉપસ્થિત

વિડિઓઝ

US Israel Iran War: ઈરાનમાં અત્યાર સુધી 1405 લોકોના થયા મોત
Hun To Bolish : હું તો બોલીશ : રંગ બદલતા નેતા? બુરા ન માનો હોલી હૈ
Arvalli News : માલપુરમાં તળાવમાં ડૂબતા 2 બાળકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : કેરીનો રસ કે ઝેર?
Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, કેટલો વધ્યો ભાવ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માર્ચમાં એપ્રિલ જેવી ગરમી માટે તૈયાર રહો! દેશના આ રાજ્યમાં તાપમાન 39.6°C સુધી પહોંચ્યું
માર્ચમાં એપ્રિલ જેવી ગરમી માટે તૈયાર રહો! દેશના આ રાજ્યમાં તાપમાન 39.6°C સુધી પહોંચ્યું
Bihar CM: બિહારના નવા મુખ્યમંત્રી કોણ? જાણો ક્યાં નામો પર થઈ રહી છે ચર્ચા 
Bihar CM: બિહારના નવા મુખ્યમંત્રી કોણ? જાણો ક્યાં નામો પર થઈ રહી છે ચર્ચા 
Arjun-Saaniya Wedding: એકબીજાના થયા અર્જૂન-સાનિયા, બોલીવૂડ-ક્રિકેટ જગતની હસ્તિઓએ આપી હાજરી 
Arjun-Saaniya Wedding: એકબીજાના થયા અર્જૂન-સાનિયા, બોલીવૂડ-ક્રિકેટ જગતની હસ્તિઓએ આપી હાજરી 
ખામેનેઈના મોતના 5 દિવસ બાદ ભારતે વ્યક્ત કર્યું દુખ, ઈરાની દૂતાવાસ પહોંચ્યા વિદેશ સચિવ
ખામેનેઈના મોતના 5 દિવસ બાદ ભારતે વ્યક્ત કર્યું દુખ, ઈરાની દૂતાવાસ પહોંચ્યા વિદેશ સચિવ, લખ્યો શોક સંદેશ
IND vs ENG: આ 11 ધુરંધર ટીમ ઈન્ડિયાને આજે અપાવશે ફાઈનલની ટિકિટ! જુઓ સંભવિત પ્લેઈંગ ઈલેવન 
IND vs ENG: આ 11 ધુરંધર ટીમ ઈન્ડિયાને આજે અપાવશે ફાઈનલની ટિકિટ! જુઓ સંભવિત પ્લેઈંગ ઈલેવન 
Bihar CM Nitish Kumar: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજયસભા માટે નોંધાવી ઉમેદવારી, અમિત શાહ રહ્યાં ઉપસ્થિત
Bihar CM Nitish Kumar: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજયસભા માટે નોંધાવી ઉમેદવારી, અમિત શાહ રહ્યાં ઉપસ્થિત
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં વરસાદ વિઘ્નરૂપ બનશે? જાણો કેવું રહેશે મુંબઈનું હવામાન
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં વરસાદ વિઘ્નરૂપ બનશે? જાણો કેવું રહેશે મુંબઈનું હવામાન
IND vs ENG: વરસાદમાં રદ થાય સેમીફાઈનલ તો કોને મળશે ફાઈનલની ટિકિટ, જાણો રિઝર્વ ડેનો નિયમ?
IND vs ENG: વરસાદમાં રદ થાય સેમીફાઈનલ તો કોને મળશે ફાઈનલની ટિકિટ, જાણો રિઝર્વ ડેનો નિયમ?
Embed widget