શોધખોળ કરો

AIIMSનું નિવદેન કહ્યું - જીવતો છે અંડરવર્લ્ડ ડૉન છોટા રાજન, કોરોનાની ચાલી રહી છે સારવાર, આ પહેલા મોતના સમાચાર આવ્યા હતા

નવી દિલ્હી: અંડર વર્લ્ડ ડોન અને ગેંગસ્ટર છોટા રાજનનું કોરોનાના કારણે દિલ્હી એઈમ્સ હોસ્પિટલમાં મોત થયું છે તેવા ન્યૂઝ વાયરલ થયા હતા.

નવી દિલ્હી: નવી દિલ્હી: અંડર વર્લ્ડ ડોન અને ગેંગસ્ટર છોટા રાજનનું કોરોનાના કારણે દિલ્હી એઈમ્સ હોસ્પિટલમાં મોત થયું છે તેવા ન્યૂઝ વાયરલ થયા હતા. જોકે ગણતરીની મીનિટોમાં જ એઈમ્સ હોસ્પિટલ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે, છોટા રાજન હજી જીવે છે અને તેની કોરોનાની સારવાર ચાલી રહી છે.

છોટા રાજનને 25 એપ્રિલે તિહાડ જેલમાંથી એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યો છે. છોટા રાજનની 2015માં ઈન્ડોનેશિયાથી ધરપકડ પછી નવી દિલ્હીની ઉચ્ચ સુરક્ષાવાળી તિહાર જેલમાં રાખવામાં આવ્યો હતો. છોટા રાજન તિહાર જેલમાં હતો તે દરમિયાન તેને કોરોના થયો હતો. એપ્રિલ અંતમાં તેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યા પછી 26 એપ્રિલે તેને દિલ્હી એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

મુંબઈમાં 1993માં થયેલા સીરિયલ બોમ્બ બ્લાસ્ટમાં છોટા રાજન આરોપી હતો. છોટા રાજનનું અસલી નામ રાજેન્દ્ર નિકાલજે હતું. 2015માં તેને ઈન્ડોનેશિયાથી ભારત પ્રત્યારપણ કરી લવાયો હતો. 26 એપ્રિલના રોજ તેને કોરોનાની સારવાર માટે એઈમ્સ લવાયો છે.

છોટા રાજન સામે બે ડઝનથી વધારે કેસ ચાલી રહ્યા હતા, જેમાંથી આશરે 4 કેસમાં તેને કોર્ટમાંથી સજા મળી ચૂકી હતી.  છોટા રાજન ઉર્ફ સદાશિવ તિહાડ જેલ પરિસરની જેલ નંબર 2ના ખૂબ જ સુરક્ષિત વોર્ડમાં રાખવામાં આવ્યો હતો. છોટા રાજનને અલગ-અલગ કેસમાં 10 વર્ષ સુધીની સજા પણ થઈ ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે છોટા રાજન અને દાઉદ ઈબ્રાહિમ ક્યારેક એક જ ગેંગના સભ્યો હતો પરંતુ દાઉદના ભારત વિરોધી તાકતો સાથે મળ્યા બાદ છોટા રાજન તેનાથી અલગ થઈ ગયો હતો. બાદમાં દાઉદના માણસોએ બેંકોકમાં છોટા રાજન પર હુમલો પણ કર્યો હતો, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેના પેટમાં એક મહત્વપૂર્ણ આંતરડામાં ખૂબ જ નુકસાન પહોચ્યું હતું.

બાદમાં છોટા રાજનને સીબીઆઈ દ્વારા જાહેર કરાયેલી ઈન્ટરપોલ રેડ કોર્નર નોટિસના આધાર પર મલેશિયામાંથી ધરપકડ કરવામાં આવી હતી અને તેને વર્ષ 2015માં ભારત લાવવામાં આવ્યો હતો.

ભારત લાવ્યા બાદ સુરક્ષાના કારણોસર તેને મુંબઈની જેલમાં ન રાખવામાં આવ્યો કારણ કે અહીં આશંકા હતી કે દાઉદ સમર્થિતન માણસો તેની સામે ષડયંત્ર રચી શકે છે અને મુંબઈની જેલમાં તેના પર હુમલો થઈ શકે છે. જેના કારણે છોટા રાજનને સજા ભોગવવા માટે દિલ્હીની તિહાડ જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Epstein Files Release: આખરે કેટલી સંપત્તિનો માલિક હતો જેફરી એપ્સટિન? જેમની ફાઈલોએ અમેરિકાને હચમચાવી નાખ્યું
Epstein Files Release: આખરે કેટલી સંપત્તિનો માલિક હતો જેફરી એપ્સટિન? જેમની ફાઈલોએ અમેરિકાને હચમચાવી નાખ્યું
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
Embed widget