શોધખોળ કરો

અમેરિકાના આયોગે કરી અમિત શાહ પર પ્રતિબંધની માંગ, ભારતે આપ્યો સણસણતો જવાબ

વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે નાગરિકતા સુધાર વિધેયક અને NRCની પ્રક્રિયા કોઈ પણ ધર્મનું પાલન કરનાર ભારતીય નાગરિકની નાગરિકતાને ખતમ કરનારું નથી.

નવી દિલ્હીઃ નાગરિક (સંશોધન) વિધેયક પર ‘આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર અમેરિકી પંચ’ના આરોપોનો ભારતે સણસણતો જવાબ આપ્યો છે. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, અમેરિકાના પંચનું નિવેદન ના તો યોગ્ય છે કે ના તો સાચુ. સંસદના બંને ગૃહો આ વિધેયકને પસાર કરે તો ગૃહમંત્રી અમિત શાહ અને સંબંધિત નેતાઓ સામે પ્રતિબંધ મૂકવાની આ પંચે અમેરિકન સરકારને ભલામણ કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, USCIRFની તરફથી જે પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે, તેનાથી આશ્ચર્ય નથી થતું કેમકે તેઓનો રેકોર્ડ જ એવો છે. જોકે, એ ટીકાને પાત્ર છે કે સંસ્થાએ જમીની હકીકતની ઓછી જાણકારી હોવા છતા આ પ્રકારનું નિવેદન આપ્યું છે. રવીશ કુમારે કહ્યું કે, નાગરિકતા સંશોધન બિલ કોઇપણ પ્રકારે ભારતમાં રહેતા લોકોને પ્રભાવિત નથી કરતું. સંસ્થાએ પોતાના નિવેદનમાં જે ભલામણ કરી છે, તે કોઇપણ પ્રકારે યોગ્ય નથી. દરેક દેશને પોતાની પોલિસી હેઠળ કાયદો બનાવવાનો અધિકાર છે, જેમાંથી અમેરિકા પણ સામેલ છે.
નોંધનીય છે કે, અમેરિકા સ્થિત આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા બાબતની સંસ્થા યુએસ કમિશન ફોર ઈન્ટરનેશનલ રિલિજીયસ ફ્રીડમ (USCIRF)એ કહ્યું છે કે ભારતીય સંસદમાં રજૂ થયેલું નાગરિકતા સુધારા વિધેયક એ ખોટી દિશામાં ભરવામાં આવેલુ અત્યંત ભયજનક પગલું છે. આ વિધેયક લોકસભામાં પસાર થવાથી પંચ ખૂબ જ ચિંતિત છે. USCIRF એવો આરોપ લગાવ્યો છે કે CAB ધાર્મિક આધારે નાગરિકતા માટે કાયદાકીય માપદંડ નક્કી કરનારું છે, જેમાં મુસ્લિમોનો સમાવેશ થતો નથી. આ વિધેયક ખોટી દિશામાં ભરવામાં આવેલુ અત્યંત ભયજનક પગલુ છે, જે ભારતના ધર્મનિરપેક્ષતાના સમૃદ્ધ ઈતિહાસ તથા ભારતીય બંધારણથી તદ્દન વિપરીત છે. આ મામલે વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે નાગરિકતા સુધાર વિધેયક અને NRCની પ્રક્રિયા કોઈ પણ ધર્મનું પાલન કરનાર ભારતીય નાગરિકની નાગરિકતાને ખતમ કરનારું નથી. સૌને પૂરતા અધિકાર આપનારું આ બિલ છે. એ બાબત અફસોસજનક છે કે USCIRFએ આ પ્રકારની બાબતમાં પક્ષપાત પ્રેરિત વાત કરી છે, જે અંગે તેને કોઈ જ અધિકાર નથી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ગાડી ટ્રાન્સફર કરવું બનશે સરળ! સરકાર કરવા જઈ રહી છે મોટો બદલાવ
એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ગાડી ટ્રાન્સફર કરવું બનશે સરળ! સરકાર કરવા જઈ રહી છે મોટો બદલાવ
રિફાઈનરીઓને LPG ઉત્પાદન વધારવા સરકારનો આદેશ, રેસ્ટોરન્ટ્સ-હોટલમાં સપ્લાય માટે બનાવી કમિટી
રિફાઈનરીઓને LPG ઉત્પાદન વધારવા સરકારનો આદેશ, રેસ્ટોરન્ટ્સ-હોટલમાં સપ્લાય માટે બનાવી કમિટી
યુદ્ધની અસર: ગેસના બાટલાની અછતથી બેંગલુરુમાં હાહાકાર, આવતીકાલથી તમામ ખાણીપીણીની હોટલ બંધ રહેશે!
યુદ્ધની અસર: ગેસના બાટલાની અછતથી આ શહેરમાં હાહાકાર, આવતીકાલથી તમામ ખાણીપીણીની હોટલ બંધ રહેશે!
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોને મળશે કેટલો ગેસ?
PM Modi : યુદ્ધની અસર સામાન્ય લોકો પર ન પડવી જોઇએ, મિડલ ઇસ્ટમાં તણાવ પર બોલ્યા PM મોદી
Gujarat Politics : દિલ્લીમાં પ્રધાનમંત્રી આવાસ પર PM સાથે મુખ્યમંત્રીએ કરી બેઠક
Hun To Bolish : હું તો બોલીશ : માર્ચમાં તાપનું ટોર્ચર
Hun To Bolish : હું તો બોલીશ : મેચની ટિકિટ ના મળતા ધારાસભ્યો દુઃખી!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી સરકારનો મોટો નિર્ણય: ચીન હવે ભારતમાં કરી શકશે મોટું રોકાણ, નિયમો થયા હળવા
મોદી સરકારનો મોટો નિર્ણય: ચીન હવે ભારતમાં કરી શકશે મોટું રોકાણ, નિયમો થયા હળવા
ઈરાન યુદ્ધમાં અમેરિકાના અબજો સ્વાહા, યુદ્ધથી રશિયાને લાગી લોટરી, જાણો પુતિને કેવી રીતે મારી બાજી!
ઈરાન યુદ્ધમાં અમેરિકાના અબજો સ્વાહા, યુદ્ધથી રશિયાને લાગી લોટરી, જાણો પુતિને કેવી રીતે મારી બાજી!
સરકારી નોકરીની મોટી તક! પંચાયત વિભાગમાં 6000 ખાલી જગ્યાઓ ભરાશે, જાણો સંપૂર્ણ વિગત
સરકારી નોકરીની મોટી તક! પંચાયત વિભાગમાં 6000 ખાલી જગ્યાઓ ભરાશે, જાણો સંપૂર્ણ વિગત
2029 સુધીમાં ગુજરાત બનશે ફાટક મુક્ત: વાહનવ્યવહારની ભીડમાંથી મળશે છુટકારો, જાણો યોજના
2029 સુધીમાં ગુજરાત બનશે ફાટક મુક્ત: વાહનવ્યવહારની ભીડમાંથી મળશે છુટકારો, જાણો યોજના
ગુજરાત સ્થાનિક ચૂંટણીને લઈ કોંગ્રેસની મોટી જાહેરાત, આ લોકોને મળશે સૌથી વધુ ટિકિટ
ગુજરાત સ્થાનિક ચૂંટણીને લઈ કોંગ્રેસની મોટી જાહેરાત, આ લોકોને મળશે સૌથી વધુ ટિકિટ
ગોધરા, સુરત અને રાજકોટ સહિતના શહેરોમાં બોમ્બની ધમકથી અફરાતફરી, પોલીસ દોડતી થઈ
ગોધરા, સુરત અને રાજકોટ સહિતના શહેરોમાં બોમ્બની ધમકથી અફરાતફરી, પોલીસ દોડતી થઈ
વર્લ્ડ કપ જીત્યા બાદ અર્શદીપ સિંહને ફટકારાયો દંડ! ફાઈનલમાં કઈ ભૂલ પડી ભારે?
વર્લ્ડ કપ જીત્યા બાદ અર્શદીપ સિંહને ફટકારાયો દંડ! ફાઈનલમાં કઈ ભૂલ પડી ભારે?
Share Market Rebound: મોટા કડાકા બાદ શેર બજારમાં ફરી રોનક, જાણો બજારમાં તેજીના કારણો  
Share Market Rebound: મોટા કડાકા બાદ શેર બજારમાં ફરી રોનક, જાણો બજારમાં તેજીના કારણો  
Embed widget