શોધખોળ કરો

CM Survey: યોગી આદિત્યનાથ છે દેશના બેસ્ટ મુખ્યમંત્રી, સર્વેમાં થયો ખુલાસો, જાણો નંબર 2 અને 3 પર કોનું છે નામ

સર્વે અનુસાર, સીએમ યોગીની લોકપ્રિયતા તેના કામના કારણે વધી છે,વળી ગયા વર્ષે ઓગસ્ટની સરખામણીમાં અરવિંદ કેજરીવાલની લોકપ્રિયતામાં 6 ટકાનો ઘટાડો આવ્યો છે.

Yogi Adityanath: દેશમાં આ સમયે 30 રાજ્યોમાં ચૂંટાયેલી સરકારો છે, આમાં દિલ્હી અને પોંડુચેરી જેવા કેન્દ્ર શાસિત પ્રદેશો પણ સામેલ છે. તાજેતરમાં જ એક સર્વેમાં સામે આવ્યુ છે કે, જેમાં લોકોને બેસ્ટ મુખ્યમંત્રીને લઇને તેમનો મત પુછવામાં આવ્યો. આમાં લોકોએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પોતાની પહેલી પસંદ બતાવ્યા છે. 

ઇન્ડિયા ટુડે અને સી વૉટરના એક તાજે સર્વેમાં દેશનો મૂડ જાણવાની કોશિશ કરવામાં આવી, આ સ્ર્વેમાં બેસ્ટ સીએમ પસંદગી કરવાનો વારો આવ્યો તો યોગી આદિત્યનાથ જનતાની પહેલી પસંદ બન્યા છે. સર્વે અનુસાર, 39.1 લોકોએ યોગી આદિત્યનાથને બેસ્ટ પરફોર્મિંગ સીએમ તરીકે પસંદ કર્યા છે. 

કેજરીવાલ અને મમતાની લોકપ્રિયતામાં ઘટાડો - 
દિલ્હીના અરવિંદ કેજરીવાલનું નામ યોગી આદિત્યનાથ બાદ બીજા નંબર પર આવે છે, 16 ટકા લોકોએ અરવિંદ કેજરીવાલને પોતાની પસંદ બનાવી છે, જ્યારે 7.3 ટકા લોકોની પસંદ મમતા બેનર્જી, બેસ્ટ પરફોર્મિંગ સીએમના લિસ્ટમાં ત્રીજા નંબર પર છે. 

સર્વે અનુસાર, સીએમ યોગીની લોકપ્રિયતા તેના કામના કારણે વધી છે,વળી ગયા વર્ષે ઓગસ્ટની સરખામણીમાં અરવિંદ કેજરીવાલની લોકપ્રિયતામાં 6 ટકાનો ઘટાડો આવ્યો છે. ઓગસ્ટ, 2022માં કેજરીવાલ 22 ટકા લોકોની પહેલી પસંદ હતા, મમતા બેનર્જીની લોકપ્રિયતામાં પણ ગયા વર્ષથી 1 ટકાનો ઘટાડો આવ્યો છે. 

દેશના 30 રાજ્યોમાં બેસ્ટ સીએમ પસંદ કરવા માટે સર્વે કરાવવામાં આવ્યો હતો, આમાં 1,40,917 લોકોએ ભાગ લીધો હોવાનો દાવો કરવામાં આવે છે. 

 

2024 Election : PM મોદી પછી કોણ? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો

PM Modi Successor: શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા નરેન્દ્ર મોદી કે જેઓ દેશના વડાપ્રધાન પણ છે તેમની લોકપ્રિયતા અંગે ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સર્વે કરવામાં આવ્યા છે. તાજેતરના સર્વેમાં ભાગ લેનારા 52.5% લોકોએ ભારતના વડાપ્રધાન તરીકે આગામી કાર્યકાળ માટે નરેન્દ્ર મોદીને સમર્થન આપ્યું હતું. જ્યારે નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી કોણ? આ વાતને લઈને ઘણા નામો પર એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. 

પીએમ મોદી પછી કોણ? અનુગામી માટે સર્વેક્ષણ

ઈન્ડિયા ટુડે-સી વોટરના સર્વે 'મૂડ ઓફ ધ નેશન પોલ'માં પીએમ નરેન્દ્ર મોદીનો ઉત્તરાધિકારી કોને બનાવવો જોઈએ તે અંગે હજારો લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. જો કે પીએમ મોદી હાલ રાજકીય સંન્યાસ લે તેવી કોઈ જ શક્યતા દેખાતી નથી પરંતુ આ સર્વેમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે જો પીએમ મોદીના ઉત્તરાધિકારી બનાવવામાં આવે તો કોણ સૌથી વધુ યોગ્ય રહેશે. સર્વેમાં લોકોએ અમિત શાહ, યોગી આદિત્યનાથ, નીતિન ગડકરી અને રાજનાથ સિંહને વોટ આપ્યા હતા.

લોકોએ ભાજપના આ નેતા પર વિશ્વાસ કર્યો વ્યક્ત

'મૂડ ઓફ ધ કન્ટ્રી' સર્વે અનુસાર, 26% લોકોએ પીએમ મોદીના ઉત્તરાધિકારી તરીકે અમિત શાહને સમર્થન આપ્યું છે. અમિત શાહ હાલમાં કેન્દ્રીય ગૃહમંત્રી છે અને ગુજરાતમાં ભાજપની સરકાર બની ત્યારથી જ તેઓ મોદીની નજીક છે. જ્યારે મોદી કેન્દ્રમાં સત્તા પર આવ્યા ત્યારે અમિત શાહને ભાજપના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. 'મૂડ ઓફ ધ કન્ટ્રી'માં ઘણા લોકો માને છે કે અમિત શાહ પીએમ મોદીના ઉત્તરાધિકારી બની શકે છે.

અમિત શાહ બાદ ભાજપના નેતા કે જેમના પર લોકોએ સૌથી વધુ વિશ્વાસ વ્યક્ત કર્યો છે તે છે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ. હા, 25% લોકો યોગી આદિત્યનાથને મોદીના અનુગામી તરીકે પસંદ કરી રહ્યા છે. જે નેતાઓ પીએમ મોદીના ઉત્તરાધિકારી બનવાની રેસમાં છે તેમાં યોગી આદિત્યનાથનું નામ અમિત શાહ સાથે સ્પર્ધામાં હોય તેમ લાગી રહ્યું છે.

16% લોકો નીતિન ગડકરી ત્રીજા ક્રમે

અમિત શાહ અને યોગી આદિત્યનાથ બાદ લગભગ 16% લોકો એવા છે જેઓ આ પદ માટે નીતિન ગડકરીને યોગ્ય માને છે. જ્યારે પીએમ મોદીના ઉત્તરાધિકારી તરીકે, 6% લોકોની પસંદગી દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન
વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Embed widget