શોધખોળ કરો

દેશના વધુ એક રાજ્યમાં 14 દિવસ માટે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત, જાણો

કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ છે. દેશના અનેક રાજ્યોમાં આ મહામારીના કારણે સંપૂર્ણ લોકડાઉન અને નાઈટ કર્ફ્યૂના પ્રતિબંધો લાગુ છે.

બેંગ્લોર: દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ છે. દેશના અનેક રાજ્યોમાં આ મહામારીના કારણે સંપૂર્ણ લોકડાઉન અને નાઈટ કર્ફ્યૂના પ્રતિબંધો લાગુ છે. ત્યારે કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ સંપૂર્ણ લૉકડાઉન અંગેની જાહેરાત કરી છે. રાજ્યમાં આગામી 10 મેથી 24 મે સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે. આ દરમિયાન અનિવાર્ય સેવાઓને જ છૂટછાટ આપવામાં આવશે.


શુક્રવારે રાજ્યના અધિકારીઓની સાથે ખાસ બેઠક કર્યા બાદ મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસના વધતા જતા સંક્રમણને જોતા રાજ્યમાં રાજ્યમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો જો કે તે સફળ રહ્યો નથી. જેના કારણે રાજ્ય સરકારે 10 મેની સવારથી  24 મેની સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ તેમણે વધુમાં કહ્યું કે, લોકડાઉન દરમિયાન રાજ્યમાં રેસ્ટોરન્ટ, માસ અને શાકભાજીની દુકાનો સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.

મુખ્યમંત્રીએ કહ્યું આ લોકડાઉન અસ્થાયી છે, મારી પ્રવાસી મજૂરોને અપીલ છે કે તેઓ રાજ્ય છોડીને ન જાય. તેમણે કહ્યું કે લોકડાઉનમાં સવારે 10 વાગ્યા બાદ એકપણ વ્યક્તિને અવર-જવરની મંજૂરી નહી આપવામાં આવે. મે પોલીસ અધિકારીઓને કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. 

બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે રાજ્યમાં ચેપને કારણે વધી રહેલા મૃત્યુદરને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ લોકડાઉન લગાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમય દરમિયાન, કોઈ પણ વ્યક્તિને સવારે 10 વાગ્યા પછી શેરીમાં ફરવા અથવા ઘરની બહાર આવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સંપૂર્ણ લોકડાઉન દરમિયાન, તમામ નિયમોનું યોગ્ય પાલન થાય તે સુનિશ્ચિત કરવા રાજ્ય સરકારને કડક સૂચના આપવામાં આવી છે.

કર્ણાટકમાં ગુરવારે કોરોના સંક્રમણના 49,058 નવા કેસ સામે આવ્યા હતા અને 328 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 17,90,104 લોકો સંક્રમિત થયા છે અને 17,212 દર્દીઓના મોત થયા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મમતા બેનર્જીનો રાજીનામાનો ઇનકાર: જાણો અગાઉ કયા મુખ્યમંત્રીઓએ ખુરશી છોડવાની ના પાડી હતી?
મમતા બેનર્જીનો રાજીનામાનો ઇનકાર: જાણો અગાઉ કયા મુખ્યમંત્રીઓએ ખુરશી છોડવાની ના પાડી હતી?
ચૂંટણી હાર્યા છતાં મુખ્યમંત્રી રાજીનામું ન આપે તો શું? જાણો રાજ્યપાલ પાસે કઈ સત્તા છે
ચૂંટણી હાર્યા છતાં મુખ્યમંત્રી રાજીનામું ન આપે તો શું? જાણો રાજ્યપાલ પાસે કઈ સત્તા છે
આવતીકાલનું હવામાનઃ 11 રાજ્યોમાં 70kmph પવન સાથે ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલનું હવામાનઃ 11 રાજ્યોમાં 70kmph પવન સાથે ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
કઈ રીતે બનશે તમિલનાડુમાં TVK ની સરકાર ? બહુમતીથી 10 બેઠકો દૂર વિજય, CMની ખુરશીના આ છે 3 સમીકરણ
કઈ રીતે બનશે તમિલનાડુમાં TVK ની સરકાર ? બહુમતીથી 10 બેઠકો દૂર વિજય, CMની ખુરશીના આ છે 3 સમીકરણ

વિડિઓઝ

GSEB SSC Result 2026 : આવતી કાલે ધોરણ-10નું પરિણામ જાહેર થશે, કઈ રીતે જોઇ શકાશે પરિણામ?
Saurashtra Unseasonal Rains : સૌરાષ્ટ્રમાં આજે ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : કોણ બનશે મેયર?
Hun To Bolish : હું તો બોલીશ : 'દેવા'વાળી ખુરશી
Hun To Bolish : હું તો બોલીશ : CMની સાહેબોને સલાહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી
અમદાવાદમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી
બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીત પર અમેરિકાની પ્રતિક્રિયા, ટ્રમ્પે પીએમ મોદીને ફોન કરી શું કહ્યું? વાંચો અહેવાલ
બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીત પર અમેરિકાની પ્રતિક્રિયા, ટ્રમ્પે પીએમ મોદીને ફોન કરી શું કહ્યું? વાંચો અહેવાલ
ગુજરાતમાં આ જિલ્લાઓમાં આજે વરસાદને ધબધબાટી બોલાવી, કેરી અને ઉનાળુ પાકને નુકસાન! ખેડૂતો ચિંતામાં
ગુજરાતમાં આ જિલ્લાઓમાં આજે વરસાદને ધબધબાટી બોલાવી, કેરી અને ઉનાળુ પાકને નુકસાન! ખેડૂતો ચિંતામાં
ધોરણ 10 બોર્ડનું પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યે થશે જાહેર: વેબસાઈટ અને WhatsApp પર જાણી શકાશે રિઝલ્ટ
ધોરણ 10 બોર્ડનું પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યે થશે જાહેર: વેબસાઈટ અને WhatsApp પર જાણી શકાશે રિઝલ્ટ
Gir Somnath Rain: ગીર સોમનાથના વાતાવરણમાં આવ્યો પલટો, તુલસીશ્યામમાં ખાબક્યો વરસાદ
Gir Somnath Rain: ગીર સોમનાથના વાતાવરણમાં આવ્યો પલટો, તુલસીશ્યામમાં ખાબક્યો વરસાદ
Kutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં કરા સાથે વરસાદ વરસ્યો
Kutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં કરા સાથે વરસાદ વરસ્યો
‘હું હારી નથી, હરાવાઈ છું તો રાજીનામું કેમ આપું?’ બંગાળ પરિણામો પર મમતા બેનર્જીનો મોટો બળવો
‘હું હારી નથી, હરાવાઈ છું તો રાજીનામું કેમ આપું?’ બંગાળ પરિણામો પર મમતા બેનર્જીનો મોટો બળવો
વિદેશી મીડિયામાં ભારતની ચૂંટણીનો ડંકો: બંગાળમાં મોદીની જીતના પાકિસ્તાને પણ કર્યા વખાણ, જાણો બાંગ્લાદેશે શું કહ્યું?
વિદેશી મીડિયામાં ભારતની ચૂંટણીનો ડંકો: બંગાળમાં મોદીની જીતના પાકિસ્તાને પણ કર્યા વખાણ
Embed widget