શોધખોળ કરો
Advertisement
કર્ણાટકઃ કૉંગ્રેસ-JDS સરકાર ખતરામાં? જાણો વિગતે
કર્ણાટકમાં કૉંગ્રેસ-જેડીએસ સરકાર પર સંકટના રિપોર્ટ્સ વચ્ચે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ અને રાજ્ય પ્રભારી કેસી વેણુગોપાલ આજે સાંજે બેંગલુરૂ પહોંચશે.
નવી દિલ્હી: કર્ણાટકમાં કૉંગ્રેસ-જેડીએસ સરકાર પર સંકટના રિપોર્ટ્સ વચ્ચે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ અને રાજ્ય પ્રભારી કેસી વેણુગોપાલ આજે સાંજે બેંગલુરૂ પહોંચશે. સુત્રોનું કહેવું છે કે આ બંને વરિષ્ઠ નેતા રાજ્ય સરકારના મંત્રીઓ, વરિષ્ઠ નેતાઓ અને ધારાસભ્યો સાથે મુલાકાત કરી સંકટ દૂર કરવાના પ્રયાસ કરશે.
ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી બાદ ભાજપના નેતાઓ કહી રહ્યા હતા કે 23 મે બાદ કૉંગ્રેસ-જેડીએસ સરકાર પડી જશે. થોડા દિવસો પહેલા જ કૉંગ્રેસના બે ધારાસભ્યોએ ભાજપના નેતા એસ.એમ. કૃષ્ણા સાથે મુલાકાત કરી હતી, જેનાથી આ અટકળો થઈ રહી હતી. કર્ણાટકમાં કુલ 28 લોકસભા બેઠકોમાંથી આ વખતે ભાજપે 25 બેઠકો પર જીત મેળવી છે તો કૉંગ્રેસ-જેડીએસને 1-1 બેઠક મળી છે. એક બેઠક પર અપક્ષ સાંસદના ખાતામાં ગઈ છે.
રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં 225 વિધાનસભા બેઠકોમાંથી ભાજપને 104, કૉંગ્રેસને 78, જેડીએસને 37, બસપાને 1 અને અન્યનને ત્રણ બેઠકો પર જીત મળી હતી.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
દુનિયા
ક્રિકેટ
Advertisement