શોધખોળ કરો

'મોદી નિવૃત્ત થાય તો નીતિન ગડકરીને જ પીએમ બનાવજો': કોંગ્રેસના ધારાસભ્યની મોટી માંગણી

મોહન ભાગવતના 75 વર્ષે પદ છોડવાના નિવેદન પર રાજકીય ગરમાવો.

Belur Gopalkrishna on PM Modi: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતના 75 વર્ષની ઉંમરે પદ છોડવા અંગેના નિવેદનને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. આ મામલે હવે કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્ય બેલુર ગોપાલકૃષ્ણ એ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે સૂચવ્યું છે કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 75 વર્ષની ઉંમરે પદ છોડે છે, તો કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી તેમના આદર્શ ઉત્તરાધિકારી હશે.

RSS વડા ભાગવતે બુધવારે (09 જુલાઈ, 2025) નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન 75 વર્ષની ઉંમર પછી પદ છોડવા અંગે સંઘના વિચારક સ્વર્ગસ્થ મોરોપંત પિંગલેના નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો. આ નિવેદન બાદથી જ ભાજપના વરિષ્ઠ નેતાઓના ભવિષ્ય અંગે અટકળો તેજ બની છે.

'ગડકરી આગામી પીએમ હોવા જોઈએ': ગોપાલકૃષ્ણનો તર્ક

શનિવારે (12 જુલાઈ, 2025) પત્રકારો સાથે વાત કરતા ગોપાલકૃષ્ણએ દાવો કર્યો કે, "ગડકરી દેશના આગામી વડાપ્રધાન હોવા જોઈએ." તેમણે આ પાછળનું કારણ આપતા કહ્યું કે, "ગડકરી સામાન્ય માણસની સાથે છે. તેમણે હાઈવે અને અન્ય ક્ષેત્રોમાં દેશના વિકાસ માટે સારું કામ કર્યું છે. દેશના લોકો તેમની સેવાઓ અને તેમના વ્યક્તિત્વથી પરિચિત છે." ગોપાલકૃષ્ણએ ગડકરી દ્વારા કથિત રીતે આપવામાં આવેલા એક નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં તેમણે દેશના ગરીબો માટે ચિંતા વ્યક્ત કરી હતી અને દાવો કર્યો હતો કે ધનિકો વધુ ધનવાન બની રહ્યા છે.

આ અંગે ગોપાલકૃષ્ણએ કહ્યું, "આ જોઈને એવું લાગે છે કે તેમની (ગડકરી) પાસે એક ખ્યાલ છે અને આવા લોકોને પીએમ બનાવવા જોઈએ. મોહન ભાગવતે સંકેત આપ્યો છે કે 75 વર્ષની ઉંમરના લોકોએ રાજીનામું આપવું પડશે. તેથી મને લાગે છે કે ગડકરીનો સમય આવી ગયો છે."

યેદિયુરપ્પાનું ઉદાહરણ ટાંકીને ભાજપ પર પ્રહાર

કોંગ્રેસના ધારાસભ્યએ ભાજપ પર પ્રહાર કરતા દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના વરિષ્ઠ નેતા બી.એસ. યેદિયુરપ્પાને 75 વર્ષની ઉંમરે કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી હતી. તેમણે કહ્યું કે ભાજપનો કોઈ નેતા મોદી વિશે વાત કરી રહ્યો નથી, પરંતુ યેદિયુરપ્પાને પદ પરથી કેમ દૂર કરવામાં આવ્યા?

ગોપાલકૃષ્ણએ દાવો કર્યો કે ભાજપના લોકોએ યેદિયુરપ્પાને રાજીનામું આપવા દબાણ કર્યું. તેમણે સવાલ ઉઠાવ્યો, "તેઓ (યેદિયુરપ્પા) એક વરિષ્ઠ નેતા છે જેમણે ભાજપનું નિર્માણ કર્યું અને તેને રાજ્યમાં સત્તામાં લાવ્યા. મોદીજી સાથે અલગ વર્તન શા માટે? શું યેદિયુરપ્પાને મોદીના નિર્દેશ પર પદ છોડવાની ફરજ પાડવામાં આવી ન હતી?" અંતમાં તેમણે કહ્યું કે, "મોહન ભાગવતે પણ એ જ કહ્યું છે કે 75 વર્ષની ઉંમર પછી કોઈએ સત્તામાં રહેવું જોઈએ નહીં અને બીજાને તક આપવી જોઈએ. તેથી મને લાગે છે કે ગડકરીને તક આપવામાં આવશે." આ નિવેદનોથી ભાજપ અને કોંગ્રેસ બંનેમાં રાજકીય ગરમાવો વધી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મથુરામાં ગૌરક્ષક ફરસા બાબાના નિધન બાદ તોફાનો, આગ્રા-મથુરા હાઇવે બ્લોક
મથુરામાં ગૌરક્ષક ફરસા બાબાના નિધન બાદ તોફાનો, આગ્રા-મથુરા હાઇવે બ્લોક
PM મોદીએ કન્ટેન્ટ ક્રિએટરની રીલ પર આપી પ્રતિક્રિયા, પુત્રના પિતાને પણ આપી સલાહ
PM મોદીએ કન્ટેન્ટ ક્રિએટરની રીલ પર આપી પ્રતિક્રિયા, પુત્રના પિતાને પણ આપી સલાહ
બિહારના રાજકારણને લઇને મોટા સમાચાર, આ તારીખે નવી સરકાર લેશે શપથ, કોણ બનશે મુખ્યમંત્રી?
બિહારના રાજકારણને લઇને મોટા સમાચાર, આ તારીખે નવી સરકાર લેશે શપથ, કોણ બનશે મુખ્યમંત્રી?
Assam Elections: આસામમાં કૉંગ્રેસે જાહેર કર્યા 7 ઉમેદવાર, જાણો કોને મળી ટિકિટ 
Assam Elections: આસામમાં કૉંગ્રેસે જાહેર કર્યા 7 ઉમેદવાર, જાણો કોને મળી ટિકિટ 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મસ્તાની ગેંગની મોજ પૂરી
Hun To Bolish | હું તો બોલીશ | ખેતીનો વીમો ક્યારે ?
Surat News : સુરતની 80 લાખની વસ્તી સામે બોમ્બ શોધવા માત્ર એક સ્નિફર ડૉગ
Rajkot News: રાજકોટમાં કમોસમી વરસાદને કારણે PGVCLને અંદાજિત 1 કરોડ રૂપિયાનું નુકસાન થયું
Ambalal Patel Prediction : વાવાઝોડાને લઈ આગાહીકાર અંબાલાલ પટેલે કરી મોટી આગાહી.

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના રાજકારણને લઇને મોટા સમાચાર, આ તારીખે નવી સરકાર લેશે શપથ, કોણ બનશે મુખ્યમંત્રી?
બિહારના રાજકારણને લઇને મોટા સમાચાર, આ તારીખે નવી સરકાર લેશે શપથ, કોણ બનશે મુખ્યમંત્રી?
યુદ્ધની અસર, LPGની અછતના કારણે કંડલામાં IFGL પ્લાન્ટ બંધ, જાણો ડિટેલ
યુદ્ધની અસર, LPGની અછતના કારણે કંડલામાં IFGL પ્લાન્ટ બંધ, જાણો ડિટેલ
Weather Update: રાજ્યમાં હજુ પડશે વરસાદ? વધુ એક વેસ્ટર્ન્સ ડિસ્ટબર્ન્સ 22 માર્ચે સર્જાશે, જાણો અપડેટ્સ
Weather Update: રાજ્યમાં હજુ પડશે વરસાદ? વધુ એક વેસ્ટર્ન્સ ડિસ્ટબર્ન્સ 22 માર્ચે સર્જાશે, જાણો અપડેટ્સ
સોનાના ખરીદદારો માટે મોટા સમાચાર! કિંમતમાં ભારે ઘટાડાની આશંકા, શું ભાવ ઘટીને ₹1.27 લાખ થઈ જશે?
સોનાના ખરીદદારો માટે મોટા સમાચાર! કિંમતમાં ભારે ઘટાડાની આશંકા, શું ભાવ ઘટીને ₹1.27 લાખ થઈ જશે?
મથુરામાં ગૌરક્ષક ફરસા બાબાના નિધન બાદ તોફાનો, આગ્રા-મથુરા હાઇવે બ્લોક
મથુરામાં ગૌરક્ષક ફરસા બાબાના નિધન બાદ તોફાનો, આગ્રા-મથુરા હાઇવે બ્લોક
Zomato platform fee: Zomato પર ફૂડ ડિલિવરી હવે થશે મોંઘી, કંપનીએ વધાર્યો પ્લેટફોર્મ ચાર્જ
Zomato platform fee: Zomato પર ફૂડ ડિલિવરી હવે થશે મોંઘી, કંપનીએ વધાર્યો પ્લેટફોર્મ ચાર્જ
Phone Tip: જો તમારા નવા ફોનને ખરાબ થતા અટકાવવો હોય તો ક્યારેય ન કરો આ ભૂલ
Phone Tip: જો તમારા નવા ફોનને ખરાબ થતા અટકાવવો હોય તો ક્યારેય ન કરો આ ભૂલ
દુનિયાની સૌથી 'બોરિંગ ડાયટ' કેમ થઈ રહી છે વાયરલ? જાણો વજન ઘટાડવા માટે કેટલી છે અસરકારક?
દુનિયાની સૌથી 'બોરિંગ ડાયટ' કેમ થઈ રહી છે વાયરલ? જાણો વજન ઘટાડવા માટે કેટલી છે અસરકારક?
Embed widget