શોધખોળ કરો

'મોદી નિવૃત્ત થાય તો નીતિન ગડકરીને જ પીએમ બનાવજો': કોંગ્રેસના ધારાસભ્યની મોટી માંગણી

મોહન ભાગવતના 75 વર્ષે પદ છોડવાના નિવેદન પર રાજકીય ગરમાવો.

Belur Gopalkrishna on PM Modi: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતના 75 વર્ષની ઉંમરે પદ છોડવા અંગેના નિવેદનને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. આ મામલે હવે કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્ય બેલુર ગોપાલકૃષ્ણ એ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે સૂચવ્યું છે કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 75 વર્ષની ઉંમરે પદ છોડે છે, તો કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી તેમના આદર્શ ઉત્તરાધિકારી હશે.

RSS વડા ભાગવતે બુધવારે (09 જુલાઈ, 2025) નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન 75 વર્ષની ઉંમર પછી પદ છોડવા અંગે સંઘના વિચારક સ્વર્ગસ્થ મોરોપંત પિંગલેના નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો. આ નિવેદન બાદથી જ ભાજપના વરિષ્ઠ નેતાઓના ભવિષ્ય અંગે અટકળો તેજ બની છે.

'ગડકરી આગામી પીએમ હોવા જોઈએ': ગોપાલકૃષ્ણનો તર્ક

શનિવારે (12 જુલાઈ, 2025) પત્રકારો સાથે વાત કરતા ગોપાલકૃષ્ણએ દાવો કર્યો કે, "ગડકરી દેશના આગામી વડાપ્રધાન હોવા જોઈએ." તેમણે આ પાછળનું કારણ આપતા કહ્યું કે, "ગડકરી સામાન્ય માણસની સાથે છે. તેમણે હાઈવે અને અન્ય ક્ષેત્રોમાં દેશના વિકાસ માટે સારું કામ કર્યું છે. દેશના લોકો તેમની સેવાઓ અને તેમના વ્યક્તિત્વથી પરિચિત છે." ગોપાલકૃષ્ણએ ગડકરી દ્વારા કથિત રીતે આપવામાં આવેલા એક નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં તેમણે દેશના ગરીબો માટે ચિંતા વ્યક્ત કરી હતી અને દાવો કર્યો હતો કે ધનિકો વધુ ધનવાન બની રહ્યા છે.

આ અંગે ગોપાલકૃષ્ણએ કહ્યું, "આ જોઈને એવું લાગે છે કે તેમની (ગડકરી) પાસે એક ખ્યાલ છે અને આવા લોકોને પીએમ બનાવવા જોઈએ. મોહન ભાગવતે સંકેત આપ્યો છે કે 75 વર્ષની ઉંમરના લોકોએ રાજીનામું આપવું પડશે. તેથી મને લાગે છે કે ગડકરીનો સમય આવી ગયો છે."

યેદિયુરપ્પાનું ઉદાહરણ ટાંકીને ભાજપ પર પ્રહાર

કોંગ્રેસના ધારાસભ્યએ ભાજપ પર પ્રહાર કરતા દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના વરિષ્ઠ નેતા બી.એસ. યેદિયુરપ્પાને 75 વર્ષની ઉંમરે કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી હતી. તેમણે કહ્યું કે ભાજપનો કોઈ નેતા મોદી વિશે વાત કરી રહ્યો નથી, પરંતુ યેદિયુરપ્પાને પદ પરથી કેમ દૂર કરવામાં આવ્યા?

ગોપાલકૃષ્ણએ દાવો કર્યો કે ભાજપના લોકોએ યેદિયુરપ્પાને રાજીનામું આપવા દબાણ કર્યું. તેમણે સવાલ ઉઠાવ્યો, "તેઓ (યેદિયુરપ્પા) એક વરિષ્ઠ નેતા છે જેમણે ભાજપનું નિર્માણ કર્યું અને તેને રાજ્યમાં સત્તામાં લાવ્યા. મોદીજી સાથે અલગ વર્તન શા માટે? શું યેદિયુરપ્પાને મોદીના નિર્દેશ પર પદ છોડવાની ફરજ પાડવામાં આવી ન હતી?" અંતમાં તેમણે કહ્યું કે, "મોહન ભાગવતે પણ એ જ કહ્યું છે કે 75 વર્ષની ઉંમર પછી કોઈએ સત્તામાં રહેવું જોઈએ નહીં અને બીજાને તક આપવી જોઈએ. તેથી મને લાગે છે કે ગડકરીને તક આપવામાં આવશે." આ નિવેદનોથી ભાજપ અને કોંગ્રેસ બંનેમાં રાજકીય ગરમાવો વધી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

20 દિવસથી ભૂખ હડતાળ પર રહેલા સોનમ વાંગચુકને હોસ્પિટલ લઈ ગઈ પોલીસ, હવે ઈમરજન્સી વોર્ડમાં દાખલ, સમર્થકોને હટાવવામાં આવ્યા
20 દિવસથી ભૂખ હડતાળ પર રહેલા સોનમ વાંગચુકને હોસ્પિટલ લઈ ગઈ પોલીસ, હવે ઈમરજન્સી વોર્ડમાં દાખલ, સમર્થકોને હટાવવામાં આવ્યા
Gujarat Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં રહેશે મેઘમહેર, હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે કરી આગાહી
Gujarat Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં રહેશે મેઘમહેર, હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે કરી આગાહી
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
Weather Update: દેશમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ 
Weather Update: દેશમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ,કપરાડામાં સૌથી વધુ 3.70 ઈંચ, દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ,કપરાડામાં સૌથી વધુ 3.70 ઈંચ, દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર
20 દિવસથી ભૂખ હડતાળ પર રહેલા સોનમ વાંગચુકને હોસ્પિટલ લઈ ગઈ પોલીસ, હવે ઈમરજન્સી વોર્ડમાં દાખલ, સમર્થકોને હટાવવામાં આવ્યા
20 દિવસથી ભૂખ હડતાળ પર રહેલા સોનમ વાંગચુકને હોસ્પિટલ લઈ ગઈ પોલીસ, હવે ઈમરજન્સી વોર્ડમાં દાખલ, સમર્થકોને હટાવવામાં આવ્યા
અમેરિકાનું MQ-9 તબાહ, હોર્મૂઝમાં ઓઇલ ટેન્કર પર હુમલો, સતત 7મી રાત્રે યુએસનો બોમ્બમારો, ઇરાકથી બહેરીન સુધી વિસ્ફોટ
અમેરિકાનું MQ-9 તબાહ, હોર્મૂઝમાં ઓઇલ ટેન્કર પર હુમલો, સતત 7મી રાત્રે યુએસનો બોમ્બમારો, ઇરાકથી બહેરીન સુધી વિસ્ફોટ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Gujarat Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં રહેશે મેઘમહેર, હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે કરી આગાહી
Gujarat Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં રહેશે મેઘમહેર, હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે કરી આગાહી
Embed widget