શોધખોળ કરો

'મોદી નિવૃત્ત થાય તો નીતિન ગડકરીને જ પીએમ બનાવજો': કોંગ્રેસના ધારાસભ્યની મોટી માંગણી

મોહન ભાગવતના 75 વર્ષે પદ છોડવાના નિવેદન પર રાજકીય ગરમાવો.

Belur Gopalkrishna on PM Modi: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતના 75 વર્ષની ઉંમરે પદ છોડવા અંગેના નિવેદનને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. આ મામલે હવે કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્ય બેલુર ગોપાલકૃષ્ણ એ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે સૂચવ્યું છે કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 75 વર્ષની ઉંમરે પદ છોડે છે, તો કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી તેમના આદર્શ ઉત્તરાધિકારી હશે.

RSS વડા ભાગવતે બુધવારે (09 જુલાઈ, 2025) નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન 75 વર્ષની ઉંમર પછી પદ છોડવા અંગે સંઘના વિચારક સ્વર્ગસ્થ મોરોપંત પિંગલેના નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો. આ નિવેદન બાદથી જ ભાજપના વરિષ્ઠ નેતાઓના ભવિષ્ય અંગે અટકળો તેજ બની છે.

'ગડકરી આગામી પીએમ હોવા જોઈએ': ગોપાલકૃષ્ણનો તર્ક

શનિવારે (12 જુલાઈ, 2025) પત્રકારો સાથે વાત કરતા ગોપાલકૃષ્ણએ દાવો કર્યો કે, "ગડકરી દેશના આગામી વડાપ્રધાન હોવા જોઈએ." તેમણે આ પાછળનું કારણ આપતા કહ્યું કે, "ગડકરી સામાન્ય માણસની સાથે છે. તેમણે હાઈવે અને અન્ય ક્ષેત્રોમાં દેશના વિકાસ માટે સારું કામ કર્યું છે. દેશના લોકો તેમની સેવાઓ અને તેમના વ્યક્તિત્વથી પરિચિત છે." ગોપાલકૃષ્ણએ ગડકરી દ્વારા કથિત રીતે આપવામાં આવેલા એક નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં તેમણે દેશના ગરીબો માટે ચિંતા વ્યક્ત કરી હતી અને દાવો કર્યો હતો કે ધનિકો વધુ ધનવાન બની રહ્યા છે.

આ અંગે ગોપાલકૃષ્ણએ કહ્યું, "આ જોઈને એવું લાગે છે કે તેમની (ગડકરી) પાસે એક ખ્યાલ છે અને આવા લોકોને પીએમ બનાવવા જોઈએ. મોહન ભાગવતે સંકેત આપ્યો છે કે 75 વર્ષની ઉંમરના લોકોએ રાજીનામું આપવું પડશે. તેથી મને લાગે છે કે ગડકરીનો સમય આવી ગયો છે."

યેદિયુરપ્પાનું ઉદાહરણ ટાંકીને ભાજપ પર પ્રહાર

કોંગ્રેસના ધારાસભ્યએ ભાજપ પર પ્રહાર કરતા દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના વરિષ્ઠ નેતા બી.એસ. યેદિયુરપ્પાને 75 વર્ષની ઉંમરે કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી હતી. તેમણે કહ્યું કે ભાજપનો કોઈ નેતા મોદી વિશે વાત કરી રહ્યો નથી, પરંતુ યેદિયુરપ્પાને પદ પરથી કેમ દૂર કરવામાં આવ્યા?

ગોપાલકૃષ્ણએ દાવો કર્યો કે ભાજપના લોકોએ યેદિયુરપ્પાને રાજીનામું આપવા દબાણ કર્યું. તેમણે સવાલ ઉઠાવ્યો, "તેઓ (યેદિયુરપ્પા) એક વરિષ્ઠ નેતા છે જેમણે ભાજપનું નિર્માણ કર્યું અને તેને રાજ્યમાં સત્તામાં લાવ્યા. મોદીજી સાથે અલગ વર્તન શા માટે? શું યેદિયુરપ્પાને મોદીના નિર્દેશ પર પદ છોડવાની ફરજ પાડવામાં આવી ન હતી?" અંતમાં તેમણે કહ્યું કે, "મોહન ભાગવતે પણ એ જ કહ્યું છે કે 75 વર્ષની ઉંમર પછી કોઈએ સત્તામાં રહેવું જોઈએ નહીં અને બીજાને તક આપવી જોઈએ. તેથી મને લાગે છે કે ગડકરીને તક આપવામાં આવશે." આ નિવેદનોથી ભાજપ અને કોંગ્રેસ બંનેમાં રાજકીય ગરમાવો વધી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
Embed widget