શોધખોળ કરો

₹21 કરોડ પાણીમાં! સુરતમાં લોકાર્પણ પહેલા જ ટાંકી ભોંયભેગી, ભ્રષ્ટાચારનો કાટમાળ જોઈને ચોંકી જશો, જુઓ Video

ગુણવત્તાના નામે મીંડું: ટેસ્ટિંગ માટે પાણી ભરતા જ 15 મીટર ઊંચી ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી; 'રિયાલિટી ચેક'માં સિમેન્ટના પોપડા હાથથી ઉખડતા દેખાયા, 14 ગામોની તરસ છીપાવવી મુશ્કેલ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Water Tank Collapse Tadkeshwar: સરકારી યોજનાઓમાં કોન્ટ્રાક્ટરો દ્વારા આચરવામાં આવતા ભ્રષ્ટાચાર (Corruption) નું વધુ એક જીવતું જાગતું ઉદાહરણ અરેઠ તાલુકાના તડકેશ્વર ગામે જોવા મળ્યું છે. પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા કેવી રીતે 'પાણી'માં જાય છે, તેનો પુરાવો અહીં નિર્માણ પામેલી પાણીની નવી ટાંકી આપી રહી છે. તડકેશ્વર ગામે છેલ્લા 3 વર્ષથી ચાલી રહેલી 'ગાય પગલા જૂથ પાણી પુરવઠા યોજના' (Water Supply Scheme) અંતર્ગત તૈયાર કરવામાં આવેલી વિશાળ પાણીની ટાંકી લોકાર્પણ પહેલા જ ટેસ્ટિંગ દરમિયાન ધડામ દઈને જમીનદોસ્ત થઈ ગઈ છે. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને નબળી કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.

બનાવની વિગત એવી છે કે, આ યોજના અંતર્ગત અંદાજે 21 Crore (21 કરોડ) રૂપિયાના ખર્ચે ટાંકી અને સંપ બનાવવાની કામગીરી ચાલી રહી હતી. ટાંકીનું કામ લગભગ પૂર્ણતાના આરે હતું. 15 મીટર ઊંચી અને 11 Lakh (11 લાખ) લીટરની જળસંગ્રહ ક્ષમતા ધરાવતી આ ટાંકીની મજબૂતી ચકાસવા માટે છેલ્લા બે દિવસથી તેમાં પાણી ભરવામાં આવી રહ્યું હતું. ટાંકીમાં આશરે 9 Lakh લીટર પાણી ભરાયું હતું, ત્યાં જ આજે સવારે 12:00 વાગ્યાના સુમારે અચાનક ટાંકી ધરાશાયી (Tank Collapse) થઈ ગઈ હતી. સદનસીબે, આ દુર્ઘટનામાં માત્ર એક મહિલાને સામાન્ય ઈજા થઈ હતી અને કોઈ મોટી જાનહાનિ ટળી હતી. જોકે, ટાંકી તૂટતાની સાથે જ ચારેબાજુ માત્ર કોંક્રીટનો કાટમાળ અને પાણી ફરી વળ્યું હતું. સંપ થોડે દૂર હોવાથી તેને નુકસાન થયું ન હતું.

ઘટના બાદ જ્યારે સ્થળ પર કામગીરીનું 'રિયાલિટી ચેક' (Reality Check) કરવામાં આવ્યું, ત્યારે ભ્રષ્ટાચારની ગંભીર પોલ ખુલી હતી. ટાંકીના કાટમાળમાંથી સિમેન્ટના પોપડા હાથ અડાડતા જ ઉખડી રહ્યા હતા, જે કામગીરીની નબળી ગુણવત્તા (Poor Quality Construction) સાબિત કરવા પૂરતા હતા. આ ટાંકી અને સંપ દ્વારા આસપાસના 14 ગામોને પીવાનું શુદ્ધ પાણી મળવાનું હતું, પરંતુ ટાંકી તૂટી પડતા હવે ગ્રામજનોની આશા પર પણ પાણી ફરી વળ્યું છે. નવી ટાંકી ક્યારે બનશે અને ક્યારે પાણી મળશે, તે હવે મોટો પ્રશ્ન છે.

દુર્ઘટનાની જાણ થતાં જ પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે 'જેન્તી સુપર એજન્સી' નામની કંપની આ કામગીરી કરી રહી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે હવે આ દુર્ઘટનાનું સાચું કારણ જાણવા માટે SVNIT (Sardar Vallabhbhai National Institute of Technology) ના એન્જિનિયરો દ્વારા ટેકનિકલ તપાસ કરવામાં આવશે. SVNIT નો રિપોર્ટ આવ્યા બાદ જ નક્કી થશે કે ડિઝાઈનમાં ખામી હતી કે મટિરિયલમાં ગેરરીતિ આચરવામાં આવી હતી. જોકે, સવાલ એ થાય છે કે શું જવાબદાર કોન્ટ્રાકટર સામે કડક કાર્યવાહી થશે કે પછી હંમેશની જેમ 'પાણીનું નામ ભૂ' કરી દેવામાં આવશે?

Frequently Asked Questions

તડકેશ્વરમાં પાણીની ટાંકી શા માટે ધરાશાયી થઈ?

ટાંકીનું નિર્માણ કાર્ય નબળી ગુણવત્તાનું હોવાથી અને કદાચ મટિરિયલમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાને કારણે લોકાર્પણ પહેલા જ ટેસ્ટિંગ દરમિયાન ધરાશાયી થઈ ગઈ.

આ પાણી પુરવઠા યોજનાનો ખર્ચ કેટલો હતો અને ટાંકીની ક્ષમતા કેટલી હતી?

આ યોજના અંતર્ગત અંદાજે 21 કરોડ રૂપિયાનો ખર્ચ હતો. 15 મીટર ઊંચી આ ટાંકીની જળસંગ્રહ ક્ષમતા 11 લાખ લીટર હતી.

આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હતી?

સદનસીબે, આ દુર્ઘટનામાં માત્ર એક મહિલાને સામાન્ય ઈજા થઈ હતી અને કોઈ મોટી જાનહાનિ ટળી હતી.

ટાંકી ધરાશાયી થવાનું કારણ શું છે તે જાણવા માટે શું પગલાં લેવાયા છે?

દુર્ઘટનાનું સાચું કારણ જાણવા માટે SVNIT (સદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી) ના એન્જિનિયરો દ્વારા ટેકનિકલ તપાસ કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
Surat News: સુરતના કાપોદ્રામાં એસટી બસમાં લાગી આગ, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ 
Surat News: સુરતના કાપોદ્રામાં એસટી બસમાં લાગી આગ, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ 
Surat News: પાખંડી યોગગુરૂની પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા, 17 લાખનો કાચો માલ ચીનથી મંગાવ્યો હતો
Surat News: પાખંડી યોગગુરૂની પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા, 17 લાખનો કાચો માલ ચીનથી મંગાવ્યો હતો
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ફસાયા ટ્રમ્પ
Hun To Bolish : હું તો બોલીશ : વિકાસની દોડ
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે કેમ ખાધો માર?
Amreli Unseasonal Rain : અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો, પડ્યો કમોસમી વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં માવઠાની આગાહી?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG Gas Cylinder: LPG સંકટ વચ્ચે કેરોસિનની વાપસી, પેટ્રોલ પંપો પર થશે વેચાણ, સરકારે નિયમોમાં આપી છૂટ
LPG Gas Cylinder: LPG સંકટ વચ્ચે કેરોસિનની વાપસી, પેટ્રોલ પંપો પર થશે વેચાણ, સરકારે નિયમોમાં આપી છૂટ
PM Modi Gujarat Visit: PM મોદી આવતીકાલે આવશે ગુજરાત, 6000 કરોડથી વધુના વિકાસકાર્યોની આપશે ભેટ
PM Modi Gujarat Visit: PM મોદી આવતીકાલે આવશે ગુજરાત, 6000 કરોડથી વધુના વિકાસકાર્યોની આપશે ભેટ
SSC Age Limit: સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારોને મોટી રાહત, વય મર્યાદામાં થઈ શકે છે 5 વર્ષનો વધારો
SSC Age Limit: સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારોને મોટી રાહત, વય મર્યાદામાં થઈ શકે છે 5 વર્ષનો વધારો
1 એપ્રિલથી લાગુ થશે RBIના ડિજિટલ પેમેન્ટ્સ માટેના નવા નિયમો, જાણો શું બદલાશે?
1 એપ્રિલથી લાગુ થશે RBIના ડિજિટલ પેમેન્ટ્સ માટેના નવા નિયમો, જાણો શું બદલાશે?
નકલી iPhoneથી સાવધાન! ખરીદતા પહેલાં આ 5 સરળ રીતોથી અસલી iPhoneની કરો ઓળખ!
નકલી iPhoneથી સાવધાન! ખરીદતા પહેલાં આ 5 સરળ રીતોથી અસલી iPhoneની કરો ઓળખ!
2 એપ્રિલથી બનશે શક્તિશાળી મંગળ આદિત્ય રાજયોગ, આ રાશિઓને મળશે ધન અને સફળતા
2 એપ્રિલથી બનશે શક્તિશાળી મંગળ આદિત્ય રાજયોગ, આ રાશિઓને મળશે ધન અને સફળતા
West Asia Conflict: કુવૈતના પાવર પ્લાન્ટ પર ઈરાનનો હુમલો, એક ભારતીયનું મોત
West Asia Conflict: કુવૈતના પાવર પ્લાન્ટ પર ઈરાનનો હુમલો, એક ભારતીયનું મોત
હોટલ-રેસ્ટોરન્ટ બિલમાં જોડી રહ્યા છે LPG ચાર્જ તો આ રીતે કરી શકશો ફરિયાદ, જાણો પ્રોસેસ
હોટલ-રેસ્ટોરન્ટ બિલમાં જોડી રહ્યા છે LPG ચાર્જ તો આ રીતે કરી શકશો ફરિયાદ, જાણો પ્રોસેસ
Embed widget