શોધખોળ કરો

₹21 કરોડ પાણીમાં! સુરતમાં લોકાર્પણ પહેલા જ ટાંકી ભોંયભેગી, ભ્રષ્ટાચારનો કાટમાળ જોઈને ચોંકી જશો, જુઓ Video

ગુણવત્તાના નામે મીંડું: ટેસ્ટિંગ માટે પાણી ભરતા જ 15 મીટર ઊંચી ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી; 'રિયાલિટી ચેક'માં સિમેન્ટના પોપડા હાથથી ઉખડતા દેખાયા, 14 ગામોની તરસ છીપાવવી મુશ્કેલ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • તડકેશ્વર ગ્રામજનોની પાણી પુરવઠા યોજનાની ટાંકી લોકાર્પણ પહેલા તૂટી પડી.
  • ₹21 કરોડની યોજના હેઠળ 15 મીટર ઊંચી ટાંકી ટેસ્ટિંગ દરમિયાન ધરાશાયી થઈ.
  • કાટમાળમાંથી સિમેન્ટના પોપડા ઉખડતા નબળી ગુણવત્તા અને ભ્રષ્ટાચારની આશંકા.
  • SVNIT દ્વારા ટેકનિકલ તપાસ બાદ ખામી કે ગેરરીતિ અંગે નિર્ણય લેવાશે.

Water Tank Collapse Tadkeshwar: સરકારી યોજનાઓમાં કોન્ટ્રાક્ટરો દ્વારા આચરવામાં આવતા ભ્રષ્ટાચાર (Corruption) નું વધુ એક જીવતું જાગતું ઉદાહરણ અરેઠ તાલુકાના તડકેશ્વર ગામે જોવા મળ્યું છે. પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા કેવી રીતે 'પાણી'માં જાય છે, તેનો પુરાવો અહીં નિર્માણ પામેલી પાણીની નવી ટાંકી આપી રહી છે. તડકેશ્વર ગામે છેલ્લા 3 વર્ષથી ચાલી રહેલી 'ગાય પગલા જૂથ પાણી પુરવઠા યોજના' (Water Supply Scheme) અંતર્ગત તૈયાર કરવામાં આવેલી વિશાળ પાણીની ટાંકી લોકાર્પણ પહેલા જ ટેસ્ટિંગ દરમિયાન ધડામ દઈને જમીનદોસ્ત થઈ ગઈ છે. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને નબળી કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.

બનાવની વિગત એવી છે કે, આ યોજના અંતર્ગત અંદાજે 21 Crore (21 કરોડ) રૂપિયાના ખર્ચે ટાંકી અને સંપ બનાવવાની કામગીરી ચાલી રહી હતી. ટાંકીનું કામ લગભગ પૂર્ણતાના આરે હતું. 15 મીટર ઊંચી અને 11 Lakh (11 લાખ) લીટરની જળસંગ્રહ ક્ષમતા ધરાવતી આ ટાંકીની મજબૂતી ચકાસવા માટે છેલ્લા બે દિવસથી તેમાં પાણી ભરવામાં આવી રહ્યું હતું. ટાંકીમાં આશરે 9 Lakh લીટર પાણી ભરાયું હતું, ત્યાં જ આજે સવારે 12:00 વાગ્યાના સુમારે અચાનક ટાંકી ધરાશાયી (Tank Collapse) થઈ ગઈ હતી. સદનસીબે, આ દુર્ઘટનામાં માત્ર એક મહિલાને સામાન્ય ઈજા થઈ હતી અને કોઈ મોટી જાનહાનિ ટળી હતી. જોકે, ટાંકી તૂટતાની સાથે જ ચારેબાજુ માત્ર કોંક્રીટનો કાટમાળ અને પાણી ફરી વળ્યું હતું. સંપ થોડે દૂર હોવાથી તેને નુકસાન થયું ન હતું.

ઘટના બાદ જ્યારે સ્થળ પર કામગીરીનું 'રિયાલિટી ચેક' (Reality Check) કરવામાં આવ્યું, ત્યારે ભ્રષ્ટાચારની ગંભીર પોલ ખુલી હતી. ટાંકીના કાટમાળમાંથી સિમેન્ટના પોપડા હાથ અડાડતા જ ઉખડી રહ્યા હતા, જે કામગીરીની નબળી ગુણવત્તા (Poor Quality Construction) સાબિત કરવા પૂરતા હતા. આ ટાંકી અને સંપ દ્વારા આસપાસના 14 ગામોને પીવાનું શુદ્ધ પાણી મળવાનું હતું, પરંતુ ટાંકી તૂટી પડતા હવે ગ્રામજનોની આશા પર પણ પાણી ફરી વળ્યું છે. નવી ટાંકી ક્યારે બનશે અને ક્યારે પાણી મળશે, તે હવે મોટો પ્રશ્ન છે.

દુર્ઘટનાની જાણ થતાં જ પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે 'જેન્તી સુપર એજન્સી' નામની કંપની આ કામગીરી કરી રહી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે હવે આ દુર્ઘટનાનું સાચું કારણ જાણવા માટે SVNIT (Sardar Vallabhbhai National Institute of Technology) ના એન્જિનિયરો દ્વારા ટેકનિકલ તપાસ કરવામાં આવશે. SVNIT નો રિપોર્ટ આવ્યા બાદ જ નક્કી થશે કે ડિઝાઈનમાં ખામી હતી કે મટિરિયલમાં ગેરરીતિ આચરવામાં આવી હતી. જોકે, સવાલ એ થાય છે કે શું જવાબદાર કોન્ટ્રાકટર સામે કડક કાર્યવાહી થશે કે પછી હંમેશની જેમ 'પાણીનું નામ ભૂ' કરી દેવામાં આવશે?

Frequently Asked Questions

તડકેશ્વરમાં પાણીની ટાંકી શા માટે ધરાશાયી થઈ?

ટાંકીનું નિર્માણ કાર્ય નબળી ગુણવત્તાનું હોવાથી અને કદાચ મટિરિયલમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાને કારણે લોકાર્પણ પહેલા જ ટેસ્ટિંગ દરમિયાન ધરાશાયી થઈ ગઈ.

આ પાણી પુરવઠા યોજનાનો ખર્ચ કેટલો હતો અને ટાંકીની ક્ષમતા કેટલી હતી?

આ યોજના અંતર્ગત અંદાજે 21 કરોડ રૂપિયાનો ખર્ચ હતો. 15 મીટર ઊંચી આ ટાંકીની જળસંગ્રહ ક્ષમતા 11 લાખ લીટર હતી.

આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હતી?

સદનસીબે, આ દુર્ઘટનામાં માત્ર એક મહિલાને સામાન્ય ઈજા થઈ હતી અને કોઈ મોટી જાનહાનિ ટળી હતી.

ટાંકી ધરાશાયી થવાનું કારણ શું છે તે જાણવા માટે શું પગલાં લેવાયા છે?

દુર્ઘટનાનું સાચું કારણ જાણવા માટે SVNIT (સદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી) ના એન્જિનિયરો દ્વારા ટેકનિકલ તપાસ કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: સુરતમાં ફાયર બ્રિગેડનું દિલધડક રેસ્ક્યૂ, ખાડીના પાણીના વહેણમાં તણાયેલા યુવકને બચાવ્યો
Gujarat Rain: સુરતમાં ફાયર બ્રિગેડનું દિલધડક રેસ્ક્યૂ, ખાડીના પાણીના વહેણમાં તણાયેલા યુવકને બચાવ્યો
Kim River Overflow: વાલિયા-નેત્રંગમાં મુશળધાર વરસાદથી કીમ નદીનું રૌદ્ર સ્વરૂપ, કીમ-કોસંબા રોડ ગરકાવ
Kim River Overflow: વાલિયા-નેત્રંગમાં મુશળધાર વરસાદથી કીમ નદીનું રૌદ્ર સ્વરૂપ, કીમ-કોસંબા રોડ ગરકાવ
Purna River: પૂર્ણા નદી બે કાંઠે થતાં નવસારી જિલ્લામાં દોઢ લાખ લોકો પ્રભાવિત, NDRF અને SDRF મેદાને
Purna River: પૂર્ણા નદી બે કાંઠે થતાં નવસારી જિલ્લામાં દોઢ લાખ લોકો પ્રભાવિત, NDRF અને SDRF મેદાને
Valsad Rain: વલસાડમાં મેઘતાંડવ, જિલ્લાના 365 રસ્તાઓ બંધ, મુંબઈ-અમદાવાદ ટ્રેન વ્યવહાર ખોરવાયો
Valsad Rain: વલસાડમાં મેઘતાંડવ, જિલ્લાના 365 રસ્તાઓ બંધ, મુંબઈ-અમદાવાદ ટ્રેન વ્યવહાર ખોરવાયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget