શોધખોળ કરો

અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજન મુહૂર્ત પર વિવાદ, પ્રયાગરાજના જ્યોતિષાચાર્યએ કહી આ મોટી વાત

અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિર નિર્માણનું ભૂમિ પૂજન 5 ઓગસ્ટે થવાનું છે.

પ્રયાગરાજ: અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે 5 ઓગસ્ટે થનારા ભૂમિ પૂજનના મુહૂર્તને લઈને હવે વિવાદ શરૂ થઈ ગયો છે. પ્રયાગરાજના જ્યોતિષાચાર્ય આચાર્ય અવિનાશ રાયે 5 ઓગસ્ટે શુભ મુહર્ત નહીં હોવાની વાત કરી છે. તેમણે કહ્યું કે, આ સમયે ભૂમિ પૂજન કરવું યોગ્ય નથી. ચાતુર્માસમાં દેવાલયનું ભૂમિ પૂજન અને શિલાન્યાસ આમ પણ ન કરવું જોઈએ. જ્યોતિશષાચાર્ય અનુસાર પાંચ ઓગસ્ટે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પણ શુભ યોગ નથી બનાવી રહ્યા. આ મુહૂર્તમાં ભૂમિ પૂજનથી નિર્માણમાં અનેક પ્રકારના અવરોધો ઉત્પન્ન થઈ શકે છે. શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના શિષ્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ પણ પોતાના ફેસબુક પેજ પર પોસ્ટ કરી મંદિરના શિલાન્યાસની નક્કી કરેલી તિથિને અશુભ ગણાવી છે. ઉલ્લેખનીય છે અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિર નિર્માણનું ભૂમિ પૂજન 5 ઓગસ્ટે થવાનું છે. ભૂમિ પૂજનમાં પીએમ નરેન્દ્ર મોદી અને યૂપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત કેટલાક ખાસ લોકોને આમંત્રણ છે. ભૂમિ પૂજનનો કાર્યક્રમ કાશીના વિદ્વાનો અને આચાર્યોની દેખરેખમાં થશે. અયોધ્યમાં પાંચ ઓગસ્ટે થનારા રામલલાના ભવ્ય મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજનમાં તીર્થરાજ પ્રયાગરાજના ત્રિવેણી સંગમની જળનો ઉપયોગ કરવામાં આવશે. ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતીના ત્રિવેણી સંગમનું જળ લાવવાની જવાબદારી મંદિર આંદોલનમાં અગ્રણી ભૂમિકા ભજવનાર સંગઠન વિશ્વ હિંદુ પરિષદને આપવામાં આવી છે.
મંંદિરની કેટલીક વિશેષતા - મંદિરની ઊંચાઈ 161 ફૂટ હશે અને તેમાં ત્રણના બદલે પાંચ ગુંબજ હશે. - સોમપુરા માર્બલ બ્રિક્સ જ મંદિરનું નિર્માણ કરશે. સોમનાથ મંદિર પણ આ લોકો જ બનાવ્યું છે. - મંદિર માટે 10 કરોડ પરિવારો દાન આપશે. - મંદિરના પાયાનું નિર્માણ માટીની ક્ષમતાના આધારે 60 મીટર નીચે કરાયું છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હોર્મૂઝમાં માત્ર અમારા ખલાસીના થયા મોત, 60 દેશોની બેઠકમાં ભારતે વ્યક્ત કરી ચિંતા, દુનિયાને આપી ચેતવણી
હોર્મૂઝમાં માત્ર અમારા ખલાસીના થયા મોત, 60 દેશોની બેઠકમાં ભારતે વ્યક્ત કરી ચિંતા, દુનિયાને આપી ચેતવણી
Rain: આંધી-વંટોળ સાથે ભારે વરસાદની આગાહી, દિલ્હીથી લઇ યુપી-રાજસ્થાન સુધી ક્યારે-ક્યાં પડશે કમોસમી વરસાદ ?
Rain: આંધી-વંટોળ સાથે ભારે વરસાદની આગાહી, દિલ્હીથી લઇ યુપી-રાજસ્થાન સુધી ક્યારે-ક્યાં પડશે કમોસમી વરસાદ ?
રાજ્યસભાના ઉપનેતા પદેથી હટાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાની પહેલી પોસ્ટ: આ ઇમોજી સાથે શેર કર્યો વીડિયો
રાજ્યસભાના ઉપનેતા પદેથી હટાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાની પહેલી પોસ્ટ: આ ઇમોજી સાથે શેર કર્યો વીડિયો
સંસદમાં 'જન વિશ્વાસ બિલ 2026' પસાર, 717 ગુનાઓને ગુનાહિત શ્રેણીમાંથી કર્યા બહાર 
સંસદમાં 'જન વિશ્વાસ બિલ 2026' પસાર, 717 ગુનાઓને ગુનાહિત શ્રેણીમાંથી કર્યા બહાર 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ફરી એકવાર માવઠાનો માર
Hun To Bolish : હું તો બોલીશ : આજ કા નેતા
Hun To Bolish : હું તો બોલીશ : હવે થશે નકલી પનીરનો પર્દાફાશ
Gujarat Unseasonal Rains : સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાનો માર , 3 જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ
Ambalal Patel Prediction : 48 કલાકમાં આવશે ગુજરાતના વાતાવરણમાં પલટો , અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં કઇ તારીખ સુધી પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં કઇ તારીખ સુધી પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Rain Update: માવઠાની આગાહી વચ્ચે રાજ્યના પોરબંદર સહિતના જિલ્લામાં વરસ્યો કમોસમી વરસાદ
Gujarat Rain Update: માવઠાની આગાહી વચ્ચે રાજ્યના પોરબંદર સહિતના જિલ્લામાં વરસ્યો કમોસમી વરસાદ
Rain: આગામી એક કલાકમાં 15 જિલ્લામાં માવઠાની આગાહી, 40 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Rain: આગામી એક કલાકમાં 15 જિલ્લામાં માવઠાની આગાહી, 40 કિમીની ઝડપે ફૂંકાશે પવન
પાકિસ્તાન પર અફઘાનિસ્તાનની સર્જિકલ સ્ટ્રાઇક, સૈનિક કેમ્પ પર અંધાધૂંધ ફાયરિંગ, 3 પાકિસ્તાની સૈનિકના મૃત્યુ
પાકિસ્તાન પર અફઘાનિસ્તાનની સર્જિકલ સ્ટ્રાઇક, સૈનિક કેમ્પ પર અંધાધૂંધ ફાયરિંગ, 3 પાકિસ્તાની સૈનિકના મૃત્યુ
Gujarat Rain: આગામી બે દિવસ ગાજવીજ અને તોફાન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: આગામી બે દિવસ ગાજવીજ અને તોફાન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, આ તારીખે લેવાશે લેખિત પરીક્ષા
પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, આ તારીખે લેવાશે લેખિત પરીક્ષા
KKR vs SRH Highlights: સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા સામે 65 રને મોટી જીત મેળવી, જયદેવ ઉનડકટની 3 વિકેટ 
KKR vs SRH Highlights: સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા સામે 65 રને મોટી જીત મેળવી, જયદેવ ઉનડકટની 3 વિકેટ 
₹9000 સસ્તી થઈ ચાંદી, સોનું પણ એક ઝટકામાં આટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત 
₹9000 સસ્તી થઈ ચાંદી, સોનું પણ એક ઝટકામાં આટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget