શોધખોળ કરો

દેશમાં કોરોનાના કેસોમાં જોરદાર ઉછાળો, એક દિવસમાં 46 હજાર કેસ, આ બે રાજ્યોમાં જ મોટા ભાગના કેસથી ચિંતા

દેશમાં રસીકરણની કુલ સંખ્યા 60 કરોડ 38 લાખ 46 હજાર 475 પર પહોંચી ગઈ છે.

Coronavirus Today: દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં જીવલેણ કોરોના વાયરસના નવા કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 46 હજાર 164 નવા કેસ નોંધાયા છે. જ્યારે 607 લોકો મૃત્યુ પામ્યા હતા. આજે જાણો દેશમાં કોરોનાની નવીનતમ સ્થિતિ શું છે.

34 હજાર 159 લોકો સાજા થયા

આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 34 હજાર 159 લોકો સાજા થયા છે. જે બાદ સાજા થનારા લોકોની સંખ્યા વધીને ત્રણ કરોડ 17 લાખ 88 હજાર 440 થઈ ગઈ છે. તે જ સમયે, હવે એક્ટિવ કેસો વધીને ત્રણ લાખ 33 હજાર 725 થયા છે.

અત્યાર સુધીમાં 4 લાખ 36 હજાર 365 લોકોના મોત થયા

ડેટા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ત્રણ કરોડ 25 લાખ 58 હજાર 530 કેસ નોંધાયા છે. જેમાંથી અત્યાર સુધીમાં 4 લાખ 36 હજાર 365 લોકો મૃત્યુ પામ્યા છે.

રસીના 60 કરોડ 38 લાખ 46 હજાર 475 ડોઝ આપવામાં આવ્યા

તે જ સમયે, દેશમાં રસીકરણની કુલ સંખ્યા 60 કરોડ 38 લાખ 46 હજાર 475 પર પહોંચી ગઈ છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ કહ્યું છે કે ભારતમાં ગઈકાલે કોરોના વાયરસ માટે 17,87,283 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા હતા, ગઈકાલ સુધી કુલ 51,31,29,378 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા છે.

ક્યા રાજ્યમાં સૌથી વધારે કેસ

  • કેરળ- 31,445
  • મહારાષ્ટ્ર – 5,031
  • આંધ્રપ્રદેશ- 1,601
  • તમિલનાડુ- 1,573
  • કર્ણાટક- 1,224

કેરળમાં કોરોના બેકાબુ

કેરળમાં છેલ્લા 24 કલાકમાં 31,445 કોરોના સંક્રમિત મળી આવ્યા છે. કેરળનો પોઝિટિવિટી રેટ પણ વધીને 19.03% થયો છે. પાછલા દિવસમાં 20,271 લોકો કોરોનામાંથી સાજા થયા છે. અત્યાર સુધી કેરળમાં કોરોનાના 38.83 લાખથી વધુ કેસ નોંધાયા છે અને કોરોનાને કારણે 19 હજારથી વધુ લોકોના મોત થયા છે.

મહારાષ્ટ્રમાં કોરોના કેસ

બુધવારે મહારાષ્ટ્રમાં 5,031 નવા કેસ નોંધાયા છે અને 216 દર્દીઓના મોત થયા છે. મૃત્યુઆંક પણ ગઈકાલ કરતાં લગભગ 100 વધારે છે. અગાઉ 19 ઓગસ્ટે 5,225 નવા કેસ નોંધાયા હતા. મંગળવારે રાજ્યમાં સંક્રમણના 4,355 નવા કેસ નોંધાયા અને 119 લોકોનાં મોત નીપજ્યાં હતા. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 64,37,680 અને મૃતકોની સંખ્યા વધીને 1,36,571 થઈ છે. છેલ્લા 24 કલાકમાં 4,380 દર્દીઓ સંક્રમણ મુકત બન્યા ત્યારબાદ કુલ સ્વસ્થ થયેલા લોકોની કુલ સંખ્યા વધીને 62,47,414 થઈ ગઈ. મહારાષ્ટ્રમાં હાલ સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 50,183 છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Embed widget