શોધખોળ કરો

Corona Vaccine: કોરોનાની રસી લીધા બાદ માત્ર કેટલા મહિના સુધી નહીં લાગે ચેપ ? જાણો કોણે આપી માહિતી

એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, કોરોનાની રસીની કોઈ મોટી આડ અસર હજી સુધી સામે આવી નથી.

નવી દિલ્હીઃ ગુજરાત સહિત દેશમાં પાછલા થોડા દિવસથી કોરોના બેકાબૂ બન્યો છે. છેલ્લા ત્રણ જ દિવસમાં દેશમાં એક લાખથી વધારે નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને એક્ટિવ કેસની સંખ્યા પણ ત્રણ લાખ નજીક પહોંચવા આવી છે.  દેશમાં કોરોના મહામારીથી બચવા માટે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે રસી કેટલો સમય માટે કોરોનાથી રક્ષણ આપે છે તે સવાલ ખૂબ જ મહત્વનો છે. આ સંદર્ભમાં એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે, રસી આઠથી ૧૦ મહિના માટે કોરોના સામે રક્ષણ આપે તેવી શક્યતા છે.

એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, કોરોનાની રસીની કોઈ મોટી આડ અસર હજી સુધી સામે આવી નથી. દેશમાં કોરોનાની રસીઓ કોવેક્સિન અને કોવિશિલ્ડની અસરકારકતા અંગે તેમણે કહ્યું કે, આપણે બંને રસીઓ જોઈએ તો તે એકસમાન એન્ટીબોડીનું ઉત્પાદન કરે છે અને ખૂબ જ મજબૂત છે. આપણે આપણી પાસે ઉપલબ્ધ રસી લગાવવી જોઈએ, કારણ કે અસરકારક્તા અને લાંબા સમય સુધી સલામતીના સંદર્ભમાં બંને રસીઓ એકમાનરૂપે અસરકારક છે.

તેમણે ઉમેર્યું કે, દેશમાં કોરોનાના કેસમાં અચાનક આવેલા ઊછાળાનું કારણ એ છે કે લોકોને એમ લાગવા માંડયું કે, કોરોના મહામારી ખતમ થઈ ગઈ છે. આથી તેઓ કોરોનાથી બચવા માટેના નિયમોનું પાલન નથી કરી રહ્યા. કોરોનાના કેસમાં અચાનક ઊછાળાના અનેક કારણો છે, પરંતુ મુખ્ય કારણ એ છે કે કોરોનાના સંદર્ભમાં લોકોનું વલણ બદલાઈ ગયું છે. તેમને લાગે છે કે કોરોના વાઈરસ ખતમ થઈ ગયો છે.  નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) વી.કે. પૌલે જણાવ્યું હતું કે, કોરોનાના સંક્રમણની શ્રેણી અટકાવવી પડશે અને તેના માટે રસી જ એકમાત્ર સાધન છે. આ સિવાય નિરિક્ષણ અને સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પહેરવા જેવા નિયમોનું પાલન પણ જરૂરી છે.

દેશમાં ફરી એકવાર કોરોના વાયરસ ઘાતક થઇ રહ્યો છે. શનિવારે દેશમાં છેલ્લા 24 કલાકમાં 40,953 નવા કેસો નોંધાતા દેશમાં હાહાકાર મચી ગયો છે. આ મહામારીથી શનિવારે 188 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,15,55,284 પર પહોંચી છે. જ્યારે કુલ રિકવરી 1,11,07,332 પર પહોંચી છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા 2,88,394 છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1,59,558 પર પહોંચ્યો છે. દેશમાં 4 કરોડ 20 લાખ લોકોથી વધુ લોકોને વેક્સિનના ડૉઝ આપવામાં આવી ચૂક્યા છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યાAhmedabad Rains | પાલડી ચાર રસ્તા પાસે AMTS બસ સ્ટેન્ડની બહાર જ રસ્તાની વચ્ચે ભુવો પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget