શોધખોળ કરો

Corona Wave : ભારતમાં ફરી તરખાટ મચાવશે કોરોનાની લહેર? નવો વેરિઅન્ટ ખતરનાક

Corona Wave : ભારતમાં કોરોના મહામારીની વધુ એક લહેર આવવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 796 નવા કેસ સામે આવ્યા છે,.

Corona Wave : ભારતમાં કોરોના મહામારીની વધુ એક લહેર આવવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 796 નવા કેસ સામે આવ્યા છે અને હવે દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,46,93,506 થઈ ગઈ છે. નિષ્ણાતોનું કહેવું છે કે, કોરોનાનું નવું સ્વરૂપ ખૂબ જ ચેપી છે અને તે ખૂબ જ ઝડપથી ફેલાઈ શકે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના તાજેતરના ડેટા અનુસાર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને પુડુચેરીમાં કોરોનાવાયરસ ચેપને કારણે એક-એક દર્દીનું મૃત્યુ થયું છે. આ સ્થિતિમાં નવા કેસોમાં ઝડપથી વધારો ચિંતાજનક છે. આના માટે જાગૃતિ જરૂરી છે, જેથી બેદરકારીના કારણે સ્થિતિ બગડે નહીં.

સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 5 હજારને વટાવી ગઈ છે અને તમામ સંક્રમિતોની સારવાર કરવામાં આવી રહી છે. કોરોનાના નવા કેસ વધવા પાછળ તેના સબ-વેરિઅન્ટ XBB 1.16 અને XBB 1.15ની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને પુડુચેરીમાં કોરોના વાયરસના ચેપને લઈને તકેદારી રાખવા માટે કહેવામાં આવ્યું છે. નિષ્ણાતો કહે છે કે, XBB.1.16 કોરોનાનું વેરિઅન્ટ XBBનું પેટા પ્રકાર છે. તેની સીધી અસર રોગપ્રતિકારક શક્તિ પર પડે છે. જેના કારણે ગળામાં દુ:ખાવો, શરદી, દુ:ખાવો અને તાવ જેવા લક્ષણો સામે આવ્યા છે. જો કે, કેટલાક લોકોએ થાક, માથાનો દુખાવો, વહેતું નાક, સ્નાયુઓમાં દુખાવોની ફરિયાદ પણ કરી છે.

ભારતમાં અમેરિકા કરતાં ત્રણ ગણા વધુ કેસ છે, રોગચાળાનો ડર

ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ અનુસાર જે નવા પ્રકારોને કારણે કોરોના ચેપના વધતા કેસોનું નિરીક્ષણ કરે છે. ભારતમાં સબ-વેરિઅન્ટ XBB 1.16ના સૌથી વધુ કેસ નોંધાયા છે. અન્ય દેશોમાં પણ કેસ જોવા મળ્યા છે જેમાં અમેરિકામાં 15 કેસ નોંધાયા છે જ્યારે સિંગાપોરમાં 14 કેસ નોંધાયા છે. ભારતમાં તેમની સંખ્યા 48 પર પહોંચી ગઈ છે. સબ-વેરિઅન્ટ XBB 1.16 વિશે નિષ્ણાતો કહે છે કે, અગાઉ ઓમિક્રોન સમગ્ર વિશ્વમાં ફેલાયેયો હતો. એમિક્રોન વેરિયંટે દુનિભારમાં ખળભળાટ મચાવ્યો હતો. પરંતુ હવે સબ-વેરિઅન્ટ XBB 1.16ને કારણે રોગચાળાની શક્યતા વધી છે. નિષ્ણાતોનું કહેવું છે કે, જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે તેમને જોખમ વધુ છે.


Covid-19 : કોરોના લોકોને બનાવી દે છે 'આંધળા', સંશોધનમાં થથરાવી મુકતો ખુલાસો

કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ સાજા થનારાઓને જુદી જુદી પ્રકારની બિમારીઓનો ભોગ બનવું પડી રહ્યું છે. જુદા જુદા સંશોધનમાં આ અનેક પ્રકારની બાબતો સામે આવી રહી છે. હવે તાજેતરમાં હાથ ધરવામાં આવેલા સંશોધન અને કિસ્સાઓ પરથી સામે આવ્યું છે કે, કોરોના સંક્રમિત દર્દીઓને લોકોના ચહેરા ઓળખવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

જેમ કે એક એના નામની યુવતી (નામ બદલ્યું છે) કોવિડથી સંક્રમિત હતી. તેની સારવાર ચાલી રહી હતી. તે થોડા મહિના પછી તેના પરિવારને મળી. તે સમયે તે કોરોના સંક્રમિત છે કે નહીં તેની પુષ્ટિ થઈ ન હતી. જ્યારે વૈજ્ઞાનિકોએ તેમની પૂછપરછ કરી હતી અને તેની તપાસ કરવામાં આવી તો તેણે જણાવ્યું કે, તે તેના પિતાનો અવાજ બીજા કોઈના ચહેરા પરથી સાંભળી રહી હતી. સામે જે ચહેરો હતો તે તેના પિતાનો નહોતો.
 
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Attempt Limit In NEET UG: NEET UG પરીક્ષા માટે ઉંમર અને પ્રયાસ મર્યાદાના નિયમો થશે લાગૂ?
Attempt Limit In NEET UG: NEET UG પરીક્ષા માટે ઉંમર અને પ્રયાસ મર્યાદાના નિયમો થશે લાગૂ?
Gujarat Rajya Sabha Election 2026: ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો સહિત 24 સીટ માટે ચૂંટણીની તારીખ જાહેર
Gujarat Rajya Sabha Election 2026: ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો સહિત 24 સીટ માટે ચૂંટણીની તારીખ જાહેર
Rajya Sabha Election 2026: ગુજરાતથી રાજસ્થાન સુધી, 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણીની જાહેરાત
Rajya Sabha Election 2026: ગુજરાતથી રાજસ્થાન સુધી, 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણીની જાહેરાત
Marriage: 13 વર્ષની કિશોરીના 42 વર્ષીય યુવક સાથે કરાવાયા લગ્ન, બાળલગ્નના ચોંકાવનારા કિસ્સાથી હડકંપ
Marriage: 13 વર્ષની કિશોરીના 42 વર્ષીય યુવક સાથે કરાવાયા લગ્ન, બાળલગ્નના ચોંકાવનારા કિસ્સાથી હડકંપ

વિડિઓઝ

'બ્રહ્મસમાજ ભીખ માંગે તો નાનપ ન હોય', સ્વામિનારાયણના સાધુની વિવાદાસ્પદ ટિપ્પણી
Hun To Bolish : હું તો બોલીશ : બદલાશે મોસમનો મિજાજ ?
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જીકાસમાં રકાસ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ડ્રાયફ્રુટ ગોળા બીમાર પાડશે
Gujarat Farmers: હવે ડીઝલ માટે ખેડૂતો લાગ્યા લાઈનમાં, પૂરતું ડીઝલ આપવા માગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'બ્રાહ્મણો ભીખ માગે છે તે...' સ્વામિનારાયણ સંતની બેફામ નિવેદનબાજીથી બ્રહ્મ સમાજમાં આક્રોશ
'બ્રાહ્મણો ભીખ માગે છે તે...' સ્વામિનારાયણ સંતની બેફામ નિવેદનબાજીથી બ્રહ્મ સમાજમાં આક્રોશ
Gujarat Rajya Sabha Election 2026: ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો સહિત 24 સીટ માટે ચૂંટણીની તારીખ જાહેર
Gujarat Rajya Sabha Election 2026: ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો સહિત 24 સીટ માટે ચૂંટણીની તારીખ જાહેર
Share Market: શેર માર્કેટમાં તેજી, સેન્સેક્સ 350 પૉઇન્ટ અપ, મારૂતિ અને ટ્રેન્ટમાં ઉછાળો
Share Market: શેર માર્કેટમાં તેજી, સેન્સેક્સ 350 પૉઇન્ટ અપ, મારૂતિ અને ટ્રેન્ટમાં ઉછાળો
Gold Silver Price Today: સોના-ચાંદીની કિંમતમાં સતત ત્રીજા દિવસે ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ
Gold Silver Price Today: સોના-ચાંદીની કિંમતમાં સતત ત્રીજા દિવસે ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ
કૉકરોચ જનતા પાર્ટીના અડધા ફૉલોઅર્સ પાકિસ્તાની, બીજેપીના આ નેતાએ ડેટા શેર કરીને કર્યો દાવો
કૉકરોચ જનતા પાર્ટીના અડધા ફૉલોઅર્સ પાકિસ્તાની, બીજેપીના આ નેતાએ ડેટા શેર કરીને કર્યો દાવો
Cockroach Janta Party Viral: કોકરોચ જનતા પાર્ટીનો મેનિફેસ્ટો વાયરલ, જાણો ક્યાં મુદ્દા પર કાયદાની માંગ
Cockroach Janta Party Viral: કોકરોચ જનતા પાર્ટીનો મેનિફેસ્ટો વાયરલ, જાણો ક્યાં મુદ્દા પર કાયદાની માંગ
PM Modi Meeting: PM મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીપરિષદની બેઠક, સાડા 4 કલાક ચાલી મીટિંગ, જાણો શું આપ્યાં આદેશ
PM Modi Meeting: PM મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીપરિષદની બેઠક, સાડા 4 કલાક ચાલી મીટિંગ, જાણો શું આપ્યાં આદેશ
તો શું મહેન્દ્ર સિંહ ધોનીએ IPL ને કહી દીધુ અલવિદા? ગુજરાત ટાઇટન્સ સામેની હાર બાદ રુતુરાજ ગાયકવાડનું નિવેદન વાયરલ
તો શું મહેન્દ્ર સિંહ ધોનીએ IPL ને કહી દીધુ અલવિદા? ગુજરાત ટાઇટન્સ સામેની હાર બાદ રુતુરાજ ગાયકવાડનું નિવેદન વાયરલ
Embed widget