શોધખોળ કરો

દેશના આ મહત્વનાં રાજ્યમાં ફરી લોકડાઉન લદાવાની શક્યતા, રાજ્ય સરકારે કેન્દ્રને મોકલી રીલોકની દરખાસ્ત

સીએમ કેજરીવાલ તે બજારોને બંધ કરાવવાની વાત કહી જ્યાં કોરોનાના કેસો સામે આવ્યા છે. દિલ્હીમાં લગ્ન સમારોહમાં આવનારા લોકોની સંખ્યા પણ ઘટાડી દીધી છે. લગ્ન સમારોહમાં હવે માત્ર 50 લોકો જ સામેલ થઇ શકશે

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં કોરોનાનો કેર સતત વધતા રાજ્યની કેજરીવાલ સરકાર હરકતમાં આવી ગઇ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોનાને લઇને પ્રેસ કૉન્ફરન્સમાં બતાવ્યુ કે, અમે કેન્દ્ર સરકારને લૉકડાઉન માટે એક નાનો પ્રસ્તાવ મોકલ્યો છે, આ આંશિક લૉકડાઉન હશે. સીએમ કેજરીવાલ તે બજારોને બંધ કરાવવાની વાત કહી જ્યાં કોરોનાના કેસો સામે આવ્યા છે. દિલ્હીમાં લગ્ન સમારોહમાં આવનારા લોકોની સંખ્યા પણ ઘટાડી દીધી છે. લગ્ન સમારોહમાં હવે માત્ર 50 લોકો જ સામેલ થઇ શકશે. કેજરીવાલે કહ્યું કે, ભીડ વધવા કે પછી કૉવિડ પ્રૉટોકોલનુ પાલન ના કરવા પર બજાર બંધ કરાવી દેવામાં આવશે. આના પરથી માની શકાય કે દિલ્હીમાં ફરી એકવાર લૉકડાઉન લાદવામાં આવી શકે છે. આ વાતને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે કેન્દ્ર સરકાર પાસે નાના સ્તર પર લૉકડાઉન લગાવવાની માંગ કરી છે. દિલ્હીની કેજરીવાલ સરકારે કેન્દ્ર સરકાર પાસે એક પ્રસ્તાવ મુક્યો છે, જેમાં દિલ્હીમાં કોરોનાના કાબુમાં લેવા માટે નાના સ્તર પર લૉકડાઉન લગાવવી માંગ કરાઇ છે. પ્રસ્તાવ પ્રમાણે, જરૂર મુજબ કેટલાક બજારો બંધ કરાય તેવી માંગ છે. આ વાતને લઇને એબીપી ન્યૂઝ પર રણદીપ ગુલેરિયાએ પણ મોટુ નિવેદન આપ્યુ, તેમને કહ્યું કે આ કોરોનાનો અંતિમ તબક્કો છે તેવુ કહેવુ વહેલુ ગણાશે. ઉલ્લેખનીય છે કે દિલ્હીની કેજરીવાલ સરકારના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને પણ ફરી એકવાર લૉકડાઉનની સંભાવના દર્શાવી હતી. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે, હાલ અહીં 4 લાખથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં દેશમાં સૌથી વધુ કેસ દિલ્હીમાંથી જ સામે આવ્યા છે. દિલ્હીમાં એક દિવસમાં સૌથી વધુ 8500 કેસ સામે આવ્યા હતા. વળી, છેલ્લા એક અઠવાડિયામાં 51 હજારથી વધુ કેસો નોંધાયા છે, એટલુ જ નહીં દિલ્હીમાં શુક્રવારથી દરરોજ 90 લોકોના મોત થઇ રહ્યાં છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અલ નીનોની ભારત સહિત સમગ્ર વિશ્વ પર શું થશે અસર, જાણો હવામાન નિષ્ણાતોએ શું આપી ચેતવણી
અલ નીનોની ભારત સહિત સમગ્ર વિશ્વ પર શું થશે અસર, જાણો હવામાન નિષ્ણાતોએ શું આપી ચેતવણી
Weather : 19 રાજ્યમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ, કેરળમાં 4 જૂને દસ્તક દેશે ચોમાસું, જાણો હવામાન અપડેટ
Weather : 19 રાજ્યમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ, કેરળમાં 4 જૂને દસ્તક દેશે ચોમાસું, જાણો હવામાન અપડેટ
Natural Cooling: AC-કૂલર વગર પણ ઉનાળામાં ઠંડા રહેતા હતા રાજા-મહારાજાઓના મહેલ? જાણો તેની પાછળનું રહસ્ય
Natural Cooling: AC-કૂલર વગર પણ ઉનાળામાં ઠંડા રહેતા હતા રાજા-મહારાજાઓના મહેલ? જાણો તેની પાછળનું રહસ્ય
કોમર્શિયલ સેક્સ ટ્રાફિકિંગનો ભોગ બનેલી વ્યક્તિ સગીર હોય ત્યારે POCSO કાયદો લાગૂ થશે: SC
કોમર્શિયલ સેક્સ ટ્રાફિકિંગનો ભોગ બનેલી વ્યક્તિ સગીર હોય ત્યારે POCSO કાયદો લાગૂ થશે: SC

વિડિઓઝ

Chardham Yatra : ઉત્તરાખંડના જોશીમઠમાં 20 કિ.મી. લાંબો ટ્રાફિકજામ
Ambalal Patel Prediction : ગુજરાતમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat AAP : ગુજરાતમાં AAP નેતા પર દુષ્કર્મના આરોપથી ખળભળાટ
Gujarat School Vacation : ઉનાળું વેકેશનને લઈ સરકારે શું કરી સ્પષ્ટતા?
LPG Gas Cylinder Price Hike: મોંઘવારીનો માર, LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં વરસશે ભારે પવન સાથે વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં વરસશે ભારે પવન સાથે વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
IPL 2026 ફાઇનલ: ગુજરાતને 5 વિકેટે હરાવીને RCB બન્યું ચેમ્પિયન, સતત બીજી વાર ટાઇટલ જીત્યું
IPL 2026 ફાઇનલ: ગુજરાતને 5 વિકેટે હરાવીને RCB બન્યું ચેમ્પિયન, સતત બીજી વાર ટાઇટલ જીત્યું
IPL 2026 Prize Money: ચેમ્પિયન RCB માલામાલ, જાણો ગુજરાત સહિત કઈ ટીમને કેટલા કરોડ મળ્યા
IPL 2026 Prize Money: ચેમ્પિયન RCB માલામાલ, જાણો ગુજરાત સહિત કઈ ટીમને કેટલા કરોડ મળ્યા
Gold- Silver Price Today: સોના-ચાંદી ખરીદતા પહેલા ચેક કરો પ્રાઇસ, જાણો આજની લેટેસ્ટ કિંમત
Gold- Silver Price Today: સોના-ચાંદી ખરીદતા પહેલા ચેક કરો પ્રાઇસ, જાણો આજની લેટેસ્ટ કિંમત
Meta ને ટક્કર આપવા આવી રહ્યા છે Apple ના સ્માર્ટ ચશ્મા, લોન્ચ પહેલા લીક થઈ માહિતી
Meta ને ટક્કર આપવા આવી રહ્યા છે Apple ના સ્માર્ટ ચશ્મા, લોન્ચ પહેલા લીક થઈ માહિતી
અલ નીનોની ભારત સહિત સમગ્ર વિશ્વ પર શું થશે અસર, જાણો હવામાન નિષ્ણાતોએ શું આપી ચેતવણી
અલ નીનોની ભારત સહિત સમગ્ર વિશ્વ પર શું થશે અસર, જાણો હવામાન નિષ્ણાતોએ શું આપી ચેતવણી
વૈભવ સૂર્યવંશી માટે ક્યારે ખુલશે ટીમ ઈન્ડિયાના દરવાજા? BCCI એ આપ્યો મોટો સંકેત
વૈભવ સૂર્યવંશી માટે ક્યારે ખુલશે ટીમ ઈન્ડિયાના દરવાજા? BCCI એ આપ્યો મોટો સંકેત
હવામાન વિભાગનું નાઉકાસ્ટ જાહેર, આગામી 3 કલાક બાદ આ જિલ્લાઓમાં ગાજવીજ વરસાદનું એલર્ટ
હવામાન વિભાગનું નાઉકાસ્ટ જાહેર, આગામી 3 કલાક બાદ આ જિલ્લાઓમાં ગાજવીજ વરસાદનું એલર્ટ
Embed widget