શોધખોળ કરો

Covid 19 Cases: સાવધાન કોરોનાએ સ્પીડ પકડી, 7 મહિના બાદ રેકોર્ડ એક જ દિવસમાં નોંધાયા 3824 નવા કોરોના કેસ, જાણો ડિટેલ્સ

દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર કોરોના કેસ વધી રહ્યાં છે. દિલ્હીમાં શનિવારના કોરોના વાયરસના સંક્રમણના 416 નવા કેસ સામે આવ્યા છે અને તેનું સંક્રમણ 14.37 ટકા રહ્યું છે

Covid 19 Cases: ફરી એકવાર સાવધાન રહેવાની જરૂર છે, દેશમાં ફરી એકવાર કોરોનાનાએ સ્પીડ પકડી લીધી છે. 184 દિવસ બાદ એટલે કે 7 મહિના બાદ દેશમાં એક જ દિવસમાં રેકોર્ડ કોરોનાના નવા કેસો નોંધાયા છે, આ કેસોને જોતા કોરોનાથી સાવધાન રહેવાની જરૂર છે. 

દેશમાં કોરોના ફરી વકર્યો - 
દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર કોરોના કેસ વધી રહ્યાં છે. દિલ્હીમાં શનિવારના કોરોના વાયરસના સંક્રમણના 416 નવા કેસ સામે આવ્યા છે અને તેનું સંક્રમણ 14.37 ટકા રહ્યું છે. આ છેલ્લા સાત મહિનામાં એક દિવસમાં સૌથી વધુ કેસ. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, સંક્રમણથી એકનુ મોત પણ થયુ છે અને આ દરમિયાન દર્દીઓની સંખ્યા વધીને 26,529 થઈ ગઈ છે.

સ્વાસ્થ્ય વિભાગના આંકડા અનુસાર, દિલ્હીમાં ગુરુવારે 12.48 ટકાના સંક્રમણ દર સાથે 295 કેસ સામે આવ્યા હતા. આ ગયા વર્ષે 31 અગસ્ટ પછી પ્રથમવાર બુધવારે રાષ્ટ્રીય રાજધાનીમાં 300 કેસ નોંધવામાં કરવામાં આવ્યા હતા, અને બે દર્દીઓના મોતની પણ પુષ્ટી કરવામાં આવી છે. દિલ્હીમાં 31 ઓગસ્ટે 377 કેસ નોંધવામાં આવ્યા હતા. 

દેશમાં H3N2 ઇન્ફ્લૂએન્જાના કેસમાં ઝડપથી થઇ રહેલી વૃદ્ધિ વચ્ચે દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોમાં નવા કૉવિડ કેસોની સંખ્યા ઝડપથી આગળ વધી છે. નવા કેસ સામે આવ્યા બાદ રાષ્ટ્રીય રાજધાનીમાં સંક્રમણની સંખ્યા વધીને 20,10,312 થઈ ગઈ છે. આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, શુક્રવારના રોજ 2,895 નમૂનાઓની તપાસ કરવામાં આવી હતી.

Corona Virus : દેશમાં કોરોના રોકેટ ગતિએ, ભારતને લઈ WHOની ચેતવણી - 

Corina Virus Cases in India : દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે જેને મોદી સરકારની ચિંતા વધારી છે. દેશમાં હવે કોરોનાના સક્રિય કેસની સંખ્યા વધીને 3000થી વધુ થઈ ગઈ છે, જે માત્ર 9 દિવસમાં બમણી થઈ ગઈ છે. જ્યારે કોવિડના દૈનિક કેસોમાં 40 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. સતત વધી રહેલા કોરોના કેસોને ધ્યાનમાં રાખી દેશના ઘણા રાજ્યોએ કેસોને નિયંત્રણમાં રાખવાની વ્યૂહરચના પર કામ કરવા માટે મહત્વપૂર્ણ બેઠકો યોજી છે. જ્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHOએ પણ ભારતને લઈને મોટું એલર્ટ આપ્યું છે. WHOનું કહેવું છે કે, 27 ફેબ્રુઆરીથી 26 માર્ચ સુધીમાં દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રમાં ભારતમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. જ્યારે રાજધાની દિલ્હીમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ સરકારે થોડા દિવસો સુધી આ અંગે ઘણી મહત્વપૂર્ણ બેઠકો કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, તેઓ દિલ્હીમાં કોવિડ-19ના વધતા કેસ પર નજર રાખી રહ્યા છે અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે.

હકારાત્મક નમૂનાઓની જીનોમ સિક્વન્સિંગ
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, ટેસ્ટમાં કોવિડ-પોઝિટિવ આવતા તમામ સેમ્પલની જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવી રહી છે જેથી કરીને કોઈપણ નવા પ્રકારને ઓળખી શકાય. તેમણે કહ્યું હતું કે, દિલ્હીની તમામ સરકારી હોસ્પિટલોને કોવિડ દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ જાળવવા સૂચના આપવામાં આવી છે. જ્યારે સીએમ કેજરીવાલે પણ કહ્યું હતું કે, હાલ માસ્કને લઈને કેન્દ્ર તરફથી કોઈ નવી માર્ગદર્શિકા મળી નથી. કોઈપણ માર્ગદર્શિકા પ્રાપ્ત થતાં જ તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસે વધાર્યુ ટેંશન
મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, સોલાપુરમાં માર્ચમાં 20.05 ટકા પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે સાંગલીમાં 17.47 પોઝિટિવ કેસ નોંધાયા છે, જે સૌથી વધુ છે. અધિકારીઓએ કહ્યું છે કે, મુંબઈ, પુણે, થાણે, રાયગઢ, નાસિક અને સાંગલી જેવા જિલ્લાઓમાં દૈનિક કોવિડ કેસોની સંખ્યા સૌથી વધુ છે. જ્યારે રાજ્ય સરકારે લોકોને ભીડવાળી જગ્યાએ એકઠા થવાનું ટાળવાની અપીલ કરી છે. કોરોના ચેપના ફેલાવાને રોકવા માટે માસ્કનો ઉપયોગ કરવાની પણ સલાહ આપવામાં આવી છે.

લોકોને ટેસ્ટ કરાવવા માટે અપીલ
કોરોનાના કેસમાં વધારો થયા બાદ કેરળમાં સરકારે પણ પોતાના ગિયર કડક કરી દીધા છે. રાજ્યના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે કહ્યું કે તેમણે તમામ જિલ્લાઓને નિર્દેશ આપ્યા છે કે, તેઓ તમામ કોવિડ-19 કેસની જાણ આરોગ્ય વિભાગને કરે. તેમણે કહ્યું હતું કે, ગંભીર રોગોથી પીડિત લોકો, વૃદ્ધો, સગર્ભા સ્ત્રીઓ અને બાળકોએ ખૂબ કાળજી લેવી જોઈએ. લોકોએ માસ્ક પહેરવા જોઈએ. જો કોઈને કોવિડ-19ના લક્ષણો દેખાઈ રહ્યા હોય, તો તેમણે તરત જ તેમનો ટેસ્ટ કરાવવો જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, જાણો શું થઈ ચર્ચા
PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, જાણો શું થઈ ચર્ચા
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાખડી બાંધવા તો દિકરીને જન્મવા દો
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને છેતરનારા વીમા કંપનીનો 'વીમો'
Hun To Bolish : હું તો બોલીશ : પાપ પ્રશાસનનું, મોત આપણું!
Rajkot: જેતપુર સેન્ટ્રલ વેર હાઉસમાં મગફળી ચોરીના કેસમાં ચારની ધરપકડ
Bhavnagar: ભાવનગર જિલ્લામાં ગુંડાતત્વો બેફામ, વૃદ્ધને મરાયો ઢોર માર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, જાણો શું થઈ ચર્ચા
PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત, જાણો શું થઈ ચર્ચા
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
ઉજ્જવલા યોજનાને 12,060 કરોડ,ઓઈલ કંપનીઓને 30,000 કરોડ... મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણયો 
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
સરકારે લોકસભામાંથી પરત ખેંચ્યું ઈનકમ ટેક્સ બિલ, 11 ઓગસ્ટે નવુ બિલ રજૂ થશે, જાણો શું સ્લેબમાં થશે બદલાવ
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
શું 30 સપ્ટેમ્બર બાદ ATM માંથી 500 રુપિયાની નોટ નહીં નિકળે? સરકારે આપ્યો આ જવાબ 
શું 30 સપ્ટેમ્બર બાદ ATM માંથી 500 રુપિયાની નોટ નહીં નિકળે? સરકારે આપ્યો આ જવાબ 
Gujarat Rain: 15 ઓગસ્ટ બાદ શરુ થશે વરસાદનો નવો રાઉન્ડ, જાણો હવામાન વિભાગનું અપડેટ 
Gujarat Rain: 15 ઓગસ્ટ બાદ શરુ થશે વરસાદનો નવો રાઉન્ડ, જાણો હવામાન વિભાગનું અપડેટ 
જો પિતા બીજા લગ્ન કરે તો શું બીજી પત્નીને ફેમિલી પેન્શન મળશે? જાણીલો 'સાવકી માતા' અંગે શું છે નિયમો?
જો પિતા બીજા લગ્ન કરે તો શું બીજી પત્નીને ફેમિલી પેન્શન મળશે? જાણીલો 'સાવકી માતા' અંગે શું છે નિયમો?
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આ તારીખથી વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આ તારીખથી વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Embed widget