શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કોરોના સંક્રમિત વ્યક્તિએ AIIMSના ચોથા માળેથી કૂદી કર્યો આત્મહત્યાનો પ્રયાસ, ICUમા દાખલ
કોરોના વાયરસથી સંક્રમિત એક વ્યક્તિએ એઈમ્સના ટ્રૉમા સેન્ટરના ચોથા માળેથી કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
![કોરોના સંક્રમિત વ્યક્તિએ AIIMSના ચોથા માળેથી કૂદી કર્યો આત્મહત્યાનો પ્રયાસ, ICUમા દાખલ COVID19 positive patient jumped off the 4th floor AIIMS is critical admitted in ICU કોરોના સંક્રમિત વ્યક્તિએ AIIMSના ચોથા માળેથી કૂદી કર્યો આત્મહત્યાનો પ્રયાસ, ICUમા દાખલ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/06224324/Aiims.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: કોરોના વાયરસથી સંક્રમિત એક વ્યક્તિએ એઈમ્સના ટ્રૉમા સેન્ટરના ચોથા માળેથી કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ડીસીપી (સાઉથ વેસ્ટ) દેવેંદ્ર આર્યએ જણાવ્યું કે પોલીસ ઘટના અંગે તપાસ કરી રહી છે.
સાઉથ વેસ્ટ દિલ્હીના ડીસીપી દેવેંદ્ર આર્યએ જણાવ્યું કે એઈમ્સ ટ્રોમા સેન્ટરના ચોથા માળેથી કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કરનારા વ્યક્તિની હાલ ગંભીર છે. તેને આઈસીયૂમાં દાખલ કરવામાં આવ્યો છે. અમે આ ઘટના અંગે તપાસ કરી રહ્યા છીએ. આ પહેલા પણ ઘણી વખત એઈમ્સમાં કોરોનાના દર્દીઓ આત્મહત્યાનો પ્રયાસ કરી ચૂક્યા છે.
દિલ્હીમાં અત્યાર સુધીમાં આશરે એક લાખ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે અને તેમાંથી 3067 લોકોના મોત થયા છે. 71339 લોકો સારવાર બાદ સ્વસ્થ થયા છે. હાલ દિલ્હીમાં 25038 એક્ટિવ કેસ છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
ધર્મ-જ્યોતિષ
એસ્ટ્રો
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)