શોધખોળ કરો
કોરોના સંક્રમિત વ્યક્તિએ AIIMSના ચોથા માળેથી કૂદી કર્યો આત્મહત્યાનો પ્રયાસ, ICUમા દાખલ
કોરોના વાયરસથી સંક્રમિત એક વ્યક્તિએ એઈમ્સના ટ્રૉમા સેન્ટરના ચોથા માળેથી કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

નવી દિલ્હી: કોરોના વાયરસથી સંક્રમિત એક વ્યક્તિએ એઈમ્સના ટ્રૉમા સેન્ટરના ચોથા માળેથી કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ડીસીપી (સાઉથ વેસ્ટ) દેવેંદ્ર આર્યએ જણાવ્યું કે પોલીસ ઘટના અંગે તપાસ કરી રહી છે.
સાઉથ વેસ્ટ દિલ્હીના ડીસીપી દેવેંદ્ર આર્યએ જણાવ્યું કે એઈમ્સ ટ્રોમા સેન્ટરના ચોથા માળેથી કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કરનારા વ્યક્તિની હાલ ગંભીર છે. તેને આઈસીયૂમાં દાખલ કરવામાં આવ્યો છે. અમે આ ઘટના અંગે તપાસ કરી રહ્યા છીએ. આ પહેલા પણ ઘણી વખત એઈમ્સમાં કોરોનાના દર્દીઓ આત્મહત્યાનો પ્રયાસ કરી ચૂક્યા છે.
દિલ્હીમાં અત્યાર સુધીમાં આશરે એક લાખ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે અને તેમાંથી 3067 લોકોના મોત થયા છે. 71339 લોકો સારવાર બાદ સ્વસ્થ થયા છે. હાલ દિલ્હીમાં 25038 એક્ટિવ કેસ છે.
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ક્રિકેટ
રાજકોટ
Advertisement