શોધખોળ કરો

‘મુસ્લિમો તો ખુશ થશે...’ ગાય અને મોબ લિંચિંગના મુદ્દે જમિયત પ્રમુખનું મોટું નિવેદન

જો ગાય માતા છે તો રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવામાં સરકારની શું મજબૂરી છે? જમિયત પ્રમુખે ગૌરક્ષાના નામે થતા રાજકારણ અને મોબ લિંચિંગ પર ઉઠાવ્યા ગંભીર સવાલો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મૌલાના મદનીએ ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની માંગ કરી.
  • ગાયના નામે થતા રાજકારણ અને હિંસા રોકવાની વાત કરી.
  • 2014 પછી મુસ્લિમો ગાયને બદલે ભેંસ ઉછેરી રહ્યા છે.
  • દેશભરમાં ગૌમાંસના કાયદા સમાન રીતે લાગુ કરવાની માંગ.

Cow National Animal Demand: ગૌહત્યા અને ગૌરક્ષાના નામે દેશમાં અવારનવાર વિવાદો અને હિંસાની ઘટનાઓ સામે આવતી રહે છે. આ મુદ્દે હવે જમિયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના અરશદ મદનીએ બુધવારે (20 મે, 2026) સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ગાયને 'રાષ્ટ્રીય પ્રાણી' જાહેર કરવાની પોતાની જૂની માંગને ફરીથી દોહરાવતા સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે દેશની મોટી વસ્તી ગાયને પવિત્ર માનીને 'માતા'નો દરજ્જો આપે છે, તો પછી તેને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવામાં સરકારની કઈ રાજકીય મજબૂરી આડી આવી રહી છે? મદનીએ સ્પષ્ટ કહ્યું કે જો ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરાશે તો મુસ્લિમોને કોઈ વાંધો નહીં હોય, બલ્કે તેમને ખુશી થશે કે ગાયના નામે થતા મોબ લિંચિંગ અને નિર્દોષો પર હુમલા બંધ થશે.

ગાયના નામે રમાઈ રહ્યું છે રાજકારણ

મૌલાના મદનીએ આક્ષેપ કર્યો છે કે ગાયનો મુદ્દો હવે માત્ર એક રાજકીય અને ભાવનાત્મક મુદ્દો બની ગયો છે. કેટલાક લોકો જાણીજોઈને ગૌહત્યાની અફવાઓ ફેલાવે છે અને પશુ તસ્કરીના બહાને નિર્દોષ લોકોને નિશાન બનાવે છે. સતત ફેલાવાતા જૂઠાણાને કારણે મુસ્લિમોની છબી એટલી ખરડાઈ ગઈ છે કે સમાજનો મોટો વર્ગ તેમને 'ગાય વિરોધી' માનવા લાગ્યો છે, અને આ જ માનસિકતા મોબ લિંચિંગનું મુખ્ય કારણ છે.

2014 પછી મુસ્લિમોએ ગાયને બદલે ભેંસ ઉછેરવાનું શરૂ કર્યું

પોતાની વાતને આગળ વધારતા મદનીએ કહ્યું કે, અગાઉ મોટી સંખ્યામાં મુસ્લિમો ગાય પાળતા હતા અને તેના દૂધનો વેપાર પણ કરતા હતા. પરંતુ 2014 પછી દેશમાં જે નફરતનો માહોલ ઊભો થયો છે, તેના કારણે મુસ્લિમો ડરી ગયા છે અને સાવચેતી રાખી રહ્યા છે. હવે મોટાભાગના મુસ્લિમો ગાયને બદલે ભેંસ ઉછેરવાનું વધુ સુરક્ષિત માને છે. તેમણે યાદ અપાવ્યું કે જમિયત ઉલેમા-એ-હિન્દ હંમેશા મુસ્લિમોને એવી કોઈ પણ પ્રવૃત્તિથી દૂર રહેવાની સલાહ આપે છે જેનાથી અન્ય ધર્મોની લાગણીઓ દુભાય, કારણ કે ઇસ્લામ પણ પરસ્પર આદર શીખવે છે.

જો દેશ એક છે, તો ગૌમાંસના કાયદા અલગ-અલગ કેમ?

UCC (યુનિફોર્મ સિવિલ કોડ) ની ચર્ચા વચ્ચે મદનીએ ગૌમાંસના કાયદા પર સરકારના બેવડા ધોરણો પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે, "એક તરફ કહેવાય છે કે દેશ એક છે તો કાયદો પણ એક હોવો જોઈએ, તો બીજી તરફ પશુ હત્યાના કાયદા દરેક રાજ્યમાં અલગ-અલગ છે. દેશના ઘણા રાજ્યોમાં ખુલ્લેઆમ ગૌમાંસ ખવાય છે અને તેના પર કોઈ પ્રતિબંધ નથી."

આ પણ વાંચોઃ મૌલાના મહમૂદ મદનીએ નીતિશ કુમાર અને ચિરાગ પાસવાન પાસે કરી આવી માંગ, જો તેઓ રાજી થશે તો મોદી સરકાર ખતરામાં આવશે!

વધુમાં તેમણે કહ્યું કે જ્યાં મુસ્લિમ વસ્તી વધુ છે ત્યાં ગાયના નામે રાજકારણ રમાય છે, પરંતુ જ્યાં ભાજપ સત્તામાં છે ત્યાંના નેતાઓ કહે છે કે તેઓ જર્સી ગાય (મિથુન) નું માંસ ખાય છે. મદનીએ ભારપૂર્વક કહ્યું કે અમારી માત્ર એટલી જ માંગ છે કે ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરીને આ વિવાદનો કાયમી ઉકેલ લાવવામાં આવે, અને જે પણ કાયદો બને તે કોઈપણ ભેદભાવ વિના આખા દેશમાં સમાન રીતે લાગુ પડે.

Frequently Asked Questions

ગૌહત્યા અને ગૌરક્ષાના નામે થતી હિંસા રોકવા માટે મૌલાના અરશદ મદનીએ શું સૂચવ્યું છે?

મૌલાના મદનીએ ગાયને 'રાષ્ટ્રીય પ્રાણી' જાહેર કરવાની માંગ કરી છે. તેમનું માનવું છે કે આમ કરવાથી ગાયના નામે થતા મોબ લિંચિંગ અને નિર્દોષો પર હુમલા બંધ થશે.

મૌલાના મદનીના મતે ગાયનો મુદ્દો શા માટે રાજકીય બની ગયો છે?

તેમણે આક્ષેપ કર્યો છે કે કેટલાક લોકો જાણીજોઈને ગૌહત્યાની અફવાઓ ફેલાવીને નિર્દોષ લોકોને નિશાન બનાવે છે. આ જૂઠાણાને કારણે મુસ્લિમોની છબી ખરડાઈ છે અને મોબ લિંચિંગ થાય છે.

2014 પછી મુસ્લિમોની ગાય પાળવાની પ્રવૃત્તિમાં શું ફેરફાર થયો છે?

2014 પછી દેશમાં નફરતના માહોલને કારણે મુસ્લિમો ડરી ગયા છે. તેથી, ઘણા મુસ્લિમો હવે ગાયને બદલે ભેંસ ઉછેરવાનું વધુ સુરક્ષિત માને છે.

મૌલાના મદનીએ યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અને ગૌમાંસના કાયદા વિશે શું કહ્યું છે?

તેમણે ગૌમાંસના કાયદા પર સરકારના બેવડા ધોરણો પર સવાલ ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે દેશ એક છે તો કાયદો પણ એક હોવો જોઈએ, પરંતુ દરેક રાજ્યમાં આ કાયદા અલગ-અલગ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
આવતીકાલનું હવામાનઃ 10 રાજ્યોમાં તબાહી મચાવશે વરસાદ: 80 kmph ની ઝડપે ફૂંકાશે પવન, IMDનું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ 10 રાજ્યોમાં તબાહી મચાવશે વરસાદ: 80 kmph ની ઝડપે ફૂંકાશે પવન, IMDનું એલર્ટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર
Embed widget