શોધખોળ કરો

શું CM રેખા ગુપ્તાની ઓફિસમાંથી હટાવાઈ આંબેડકર અને ભગતસિંહની ફોટો ? BJPએ આપ્યો જવાબ 

જોકે, આ આરોપોનો જવાબ આપતાં સીએમ ઓફિસની એક તસવીર જાહેર કરવામાં આવી છે, જેમાં બાબા સાહેબ આંબેડકર અને ભગત સિંહની તસવીરો સ્પષ્ટ દેખાઈ રહી છે.

Delhi Politics: દિલ્હી વિધાનસભામાં વિપક્ષના નેતા આતિશીએ મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર ઓફિસમાંથી ડૉ. ભીમરાવ આંબેડકર અને ભગત સિંહની તસવીરો હટાવવાનો આરોપ લગાવતા રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ આ મુદ્દે ગૃહમાં હંગામો મચાવ્યો હતો. જોકે, આ આરોપોનો જવાબ આપતાં સીએમ ઓફિસની એક તસવીર જાહેર કરવામાં આવી છે, જેમાં બાબા સાહેબ આંબેડકર અને ભગત સિંહની તસવીરો સ્પષ્ટ દેખાઈ રહી છે. તેનાથી વિપક્ષના દાવાઓ પર સવાલો ઉભા થયા છે.

વિપક્ષના આક્ષેપો અને ગૃહમાં હોબાળો

આતિશીએ ગૃહમાં દાવો કર્યો હતો કે, "મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ તેમના કાર્યાલયમાંથી બાબા સાહેબ આંબેડકર અને શહીદ ભગત સિંહની તસવીરો હટાવી દીધી છે. આ માત્ર તસવીરનો મુદ્દો નથી, પરંતુ એક વિચારધારાને દબાવવાનો પ્રયાસ છે." આ નિવેદન બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ ગૃહમાં હંગામો મચાવ્યો હતો અને ભાજપ સરકાર પર બંધારણ વિરોધી માનસિકતા અપનાવવાનો આરોપ લગાવ્યો હતો.

સરકારે કહ્યું- આક્ષેપો પાયાવિહોણા છે

મુખ્યમંત્રી કાર્યાલયમાંથી જાહેર કરવામાં આવેલી તસવીરોમાં બાબા સાહેબ ભીમરાવ આંબેડકર અને ભગત સિંહની તસવીરો સ્પષ્ટ જોઈ શકાય છે. આ વાતને શેર કરતા ભાજપના નેતાઓએ કહ્યું કે AAPના આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા અને ભ્રામક છે.

ભાજપના ધારાસભ્ય હરીશ ખુરાનાએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "આ વિપક્ષનું બીજું જુઠ્ઠાણું છે. તેઓ માત્ર લોકોને ગેરમાર્ગે દોરવા માંગે છે. અમારા માટે આંબેડકર અને ભગત સિંહ માત્ર તસવીર નથી, પરંતુ આદર્શો છે."

'વિપક્ષ જનતાને ગેરમાર્ગે દોરે છે' 

ભાજપના નેતાઓનું કહેવું છે કે આમ આદમી પાર્ટી પાસે કોઈ નક્કર મુદ્દો નથી, તેથી તે આવા ખોટા આક્ષેપો કરીને રાજકીય લાભ લેવા માંગે છે. બીજેપી ધારાસભ્ય કૈલાશ ગેહલોતે કહ્યું, "દિલ્હીની જનતા બધું જોઈ રહી છે. વિપક્ષનું કામ માત્ર જુઠ્ઠાણું અને અફવાઓ ફેલાવવાનું છે." 

આ તસવીરોને લઈને દિલ્હી વિધાનસભામાં ભારે હોબાળો થયો હતો. નવા સ્પીકર વિજેન્દ્ર ગુપ્તાને અભિનંદન આપવાની સાથે આતિશીએ કહ્યું કે તસવીરો હટાવવી અપમાનજનક છે. AAP ધારાસભ્યો પણ આ અંગે હંગામો કરતા જોવા મળ્યા હતા. તેના પર સ્પીકર વિજેન્દ્ર ગુપ્તાએ કહ્યું કે આ એક સૌજન્યપૂર્ણ સંબોધન હતું. રાજકીય મંચ બનાવવો જોઈએ નહીં. હું આતિશીના વર્તનની સખત નિંદા કરું છું.   

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?

વિડિઓઝ

Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો
Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
Tata Sierra ખરીદવા માટે દર મહિને કેટલી EMI ચૂકવવી પડશે? જાણો ડાઉન પેમેન્ટની તમામ વિગતો
Tata Sierra ખરીદવા માટે દર મહિને કેટલી EMI ચૂકવવી પડશે? જાણો ડાઉન પેમેન્ટની તમામ વિગતો
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Embed widget