શોધખોળ કરો

દિવાળી બાદ કોરોનાએ ઉથલો મારતા આ રાજ્યમાં ICU બેડ્સની તંગી, હોસ્પિટલમાં વધારવામાં આવશે બેડની સંખ્યા

સરાકરે આ 11 હોસ્પિટલમાં મેડિકલ ડાયરેક્ટર અને ડાયરેક્ટરને ઓક્સીજનવાળા બેડ્સને ICU બેડમાં અપગ્રેડ કરીને ICU બેડ્સની સંખ્યા વધારવાના આદેશ આપ્યા છે.

નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોના વધતા આંકડાની વચ્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પૂર્વ દિલ્હીની જીીટીબી હોસ્પિટલનો પ્રવાસ કર્યો. દિલ્હીમાં થઈ રહેલ આઈસીયૂ બેડની તંગીને જોતા સીએમ કેજરીવાલે જાહેરાત કરી હતી કે આગામી બે દિવસમાં 232 આઈસીયૂ બેડ જીટીબી હોસ્પિટલમાં વધારવામાં આવશે તેની સાથે જ આગામી થોડા દિવસમાં દિલ્હી સરકારની હોસ્પિટલમાં 663 આઈસીયૂ બેડ્સ વધારવામાં આવશે. દિલ્હી સરાકરની 11 હોસ્પિટલમાં ICU બેડ્સની સંખ્યા વધારવામાં આવશે. આ મામલે સંબંધિત આદેશ દિલ્હી સરકાર દ્વારા આપવામાં આવ્યા છે. દિલ્હી સરાકરે આ 11 હોસ્પિટલમાં મેડિકલ ડાયરેક્ટર અને ડાયરેક્ટરને ઓક્સીજનવાળા બેડ્સને ICU બેડમાં અપગ્રેડ કરીને ICU બેડ્સની સંખ્યા વધારવાના આદેશ આપ્યા છે. આ નિર્દેશને તાત્કાલીક પ્રભાવથી લાગુ કરવા માટે કહેવામાં આવ્યું છે. દિલ્હી સરાકરની આ 11 હોસ્પિટલમાં હાલમાં કુલ 1167 ICU બેડ્સ છે જેમાંથી 580 વેન્ટિલેટરની સાથે છે જ્યારે 587 વેન્ટિલેટર વગર છે. દિલ્હી સરકારે આદેશ આપ્યા છે કે આ હોસ્પિટલોમાં 22 વેન્ટિલેટરની સાથે ICU બેડ વધરાવમાં આવે જ્યારે 641 વેન્લિટેર વગરના ICU બેડ વધારવામાં આવેસ. તેનાથી દિલ્હી સરકારની હોસ્પિટલોમાં વેન્ટિલેટરની સાથે ICU બેડની સંખ્યા 602, વેન્ટિલેટર વગરના ICU બેડની સંખ્યા 1228 થઈ જશે, અને કુલ બેડની સંખ્યા 1830 થઈ જશે. નોંધનીય છે કે, દિલ્હી સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 131 દર્દીઓના મોત થયા છે. આ સાથે મોતનો આંકડો વધીને 7943 થઇ ગયો છે. આ પહેલા 12 નવેમ્બરે કોરોનાથી 104 લોકોના મોત થયા હતા. દિલ્હીમાં કોરોનાના કુલ પૉઝિટીવ કેસોનો આંકડો પાંચ લાખની પાર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7486 કેસ સામે આવ્યા છે. આ પછી કોરોનાના કુલ કેસનો આંકડો 5,03,084 થઇ ગયો છે. દિલ્હી સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે માત્ર 10 દિવસમાં અંદાજે 60 હજાર કેસ નોંધાઇ ગયા છે. 9 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી કુલ 59,532 કોરોના કેસો રિપોર્ટ થયા છે. દિલ્હીમાં અત્યાર સુધી સાડા ચાર લાખ લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 6901 દર્દીઓ ઠીક થયા છે, અને અત્યાર સુધી 4,52,683 લોકો કોરોનાથી સજા થઇ ચૂક્યા છે. દિલ્હીમાં હાલ એક્ટિવ કેસોની સંખ્યા 42,458 છે. દિલ્હીમાં કોરોનાનો સંક્રમણ દર 12.03 ટકા છે, અને કોરોનાથી રિક્વરી રેટ 89.98 ટકા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Indian Deported From US : અમેરિકાથી ડિપોર્ટ થયેલા 8 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા શું થયું?Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Mahashivratri 2025: મહાશિવરાત્રી અગાઉ ઘરે લાવો આ શુભ ચીજો, થશે ભોળાનાથની કૃપા
Mahashivratri 2025: મહાશિવરાત્રી અગાઉ ઘરે લાવો આ શુભ ચીજો, થશે ભોળાનાથની કૃપા
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.