શોધખોળ કરો

'EDના ચારેય સાક્ષીઓના સંબંધો ભાજપ સાથે', કેજરીવાલે SCમાં દાખલ કર્યો જવાબ

Delhi Liquor Policy Case: ઇડી દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં કથિત કૌભાંડની તપાસ કરી રહી છે અને તેણે 21 માર્ચે કેજરીવાલની ધરપકડ કરી હતી.

Delhi Liquor Policy Case:  દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં કથિત કૌભાંડમાં જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો છે. EDના આરોપો પર કેજરીવાલે કહ્યું કે તપાસ એજન્સીના ચારેય સાક્ષીઓના સંબંધો ભાજપ સાથે છે. તેમના નિવેદનના આધારે જ મારી ધરપકડ કરવામાં આવી હતી.

ઇડી દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં કથિત કૌભાંડની તપાસ કરી રહી છે અને તેણે 21 માર્ચે કેજરીવાલની ધરપકડ કરી હતી. કેજરીવાલે EDની ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. થોડા દિવસો પહેલા EDએ આ મામલે સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો હતો. હવે કેજરીવાલે પણ આ મામલે કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો છે.

કેજરીવાલે કોર્ટમાં શું આપ્યો જવાબ?

કેજરીવાલે પોતાના જવાબમાં કહ્યું હતું કે ચારેય સાક્ષીઓના સંબંધો ભાજપ સાથે છે. કેજરીવાલે કહ્યું, "ભાજપ સમર્થિત લોકસભાના ઉમેદવાર મગુંતા શ્રીનિવાસન રેડ્ડી, ભાજપને કથિત દારૂ કૌભાંડમાં 60 કરોડ રૂપિયાનું દાન આપનારા સરથ રેડ્ડી, ભાજપના ગોવાના એક સિનિયર નેતા અને પ્રમોદ સાવંતના નજીકના વ્યક્તિ સત્ય વિજય,ગોવાના મુખ્યમંત્રીના નજીકના અને સીએમના કેમ્પેઇન મેનેજરના નિવેદનના આધારે મારી ધરપકડ કરવામાં આવી હતી.'' દિલ્હીના સીએમ કેજરીવાલે કહ્યું હતું કે હવાલા એજન્ટ પાસેથી ગુજરાતીમાં લખેલી ડાયરી મળી આવી છે. ભાજપે પોતાની રીતે પુરાવા તૈયાર કર્યા અને રજૂ કર્યા છે.

EDએ તેના જવાબમાં શું કહ્યું?

આ પહેલા EDએ સુપ્રીમ કોર્ટમાં કેજરીવાલની અરજી પર જવાબ દાખલ કર્યો હતો. EDએ દાવો કર્યો હતો કે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ એક્સાઇઝ પોલિસી કૌભાંડના મુખ્ય કાવતરાખોર છે અને હકીકત આધારિત ગુના માટે કોઈની ધરપકડ કરવાથી મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીના ખ્યાલનું ઉલ્લંઘન થઈ શકે નહીં.

EDએ દાવો કર્યો હતો કે કેજરીવાલે તેના મંત્રીઓ અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતાઓ સાથે મળીને આ કૌભાંડ કર્યું હતું અને એક્સાઈઝ પોલિસીમાં આપવામાં આવેલા લાભોના બદલામાં દારૂના વેપારીઓ પાસેથી લાંચ માંગવામાં સામેલ હતા.                                                                             

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દાહોદના બુથ નં. 220 પર 11 મેનાં રોજ ફરી થશે મતદાન, ચૂંટણી પંચનો આદેશ
દાહોદના બુથ નં. 220 પર 11 મેનાં રોજ ફરી થશે મતદાન, ચૂંટણી પંચનો આદેશ
પંચમહાલ જિલ્લામાં નીટની પરીક્ષામાં ગેરરીતિના રેકેટનો પર્દાફાશ, વિદ્યાર્થી દીઠ 1000000 રૂપિયા નક્કી કર્યા હતા
પંચમહાલ જિલ્લામાં નીટની પરીક્ષામાં ગેરરીતિના રેકેટનો પર્દાફાશ, વિદ્યાર્થી દીઠ 1000000 રૂપિયા નક્કી કર્યા હતા
Sandeshkhali Violence: સંદેશખાલીમાં પીડિતાએ ફરિયાદ પરત ખેંચી, કહ્યું,
Sandeshkhali Violence: સંદેશખાલીમાં પીડિતાએ ફરિયાદ પરત ખેંચી, કહ્યું, "મારી સાથે નથી થયું દુષ્કર્મ"
ધોરણ-12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, આ નંબર પર મેસેજ કરી તરત જ મેળવો રિઝલ્ટ
ધોરણ-12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, આ નંબર પર મેસેજ કરી તરત જ મેળવો રિઝલ્ટ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Vadodara । વડોદરામાં ભાજપ નેતા રાજેશ શાહ બન્યા ચેઇન સ્નેચિંગના શિકારMehsana । મહેસાણામાં ભાજપની મહિલા નેતા સાથે બિભત્સ માંગણી કેસમાં ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદDwarka । દ્વારકામાં દૂધના ટેમ્પોની અડફેટે આવી જતા બાળકીનું થયું મોતAhmedabad । અમદાવાદના પીરાણામાં થયેલ ધાર્મિક સ્થળની જમીન વિવાદમાં થયેલ ઘર્ષણ કેસમાં કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દાહોદના બુથ નં. 220 પર 11 મેનાં રોજ ફરી થશે મતદાન, ચૂંટણી પંચનો આદેશ
દાહોદના બુથ નં. 220 પર 11 મેનાં રોજ ફરી થશે મતદાન, ચૂંટણી પંચનો આદેશ
પંચમહાલ જિલ્લામાં નીટની પરીક્ષામાં ગેરરીતિના રેકેટનો પર્દાફાશ, વિદ્યાર્થી દીઠ 1000000 રૂપિયા નક્કી કર્યા હતા
પંચમહાલ જિલ્લામાં નીટની પરીક્ષામાં ગેરરીતિના રેકેટનો પર્દાફાશ, વિદ્યાર્થી દીઠ 1000000 રૂપિયા નક્કી કર્યા હતા
Sandeshkhali Violence: સંદેશખાલીમાં પીડિતાએ ફરિયાદ પરત ખેંચી, કહ્યું,
Sandeshkhali Violence: સંદેશખાલીમાં પીડિતાએ ફરિયાદ પરત ખેંચી, કહ્યું, "મારી સાથે નથી થયું દુષ્કર્મ"
ધોરણ-12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, આ નંબર પર મેસેજ કરી તરત જ મેળવો રિઝલ્ટ
ધોરણ-12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, આ નંબર પર મેસેજ કરી તરત જ મેળવો રિઝલ્ટ
SSC Result 2024: ધોરણ-10 બોર્ડનું પરિણામ આ તારીખે થશે જાહેર, આ નંબર પર મેસેજ કરીને જાણી શકાશે રિઝલ્ટ
SSC Result 2024: ધોરણ-10 બોર્ડનું પરિણામ આ તારીખે થશે જાહેર, આ નંબર પર મેસેજ કરીને જાણી શકાશે રિઝલ્ટ
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું જંગી 91.93 ટકા પરિણામ આવ્યું, 5522 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું જંગી 91.93 ટકા પરિણામ આવ્યું, 5522 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો
Election Fact Check: મોદી વિરુદ્ધ મત આપવા માટે મુસ્લિમોને આર્થિક મદદ કરવાની નોટિસ વાયરલ, જાણો આ દાવાની સત્યતા
Election Fact Check: મોદી વિરુદ્ધ મત આપવા માટે મુસ્લિમોને આર્થિક મદદ કરવાની નોટિસ વાયરલ, જાણો આ દાવાની સત્યતા
80 હજાર રૂપિયામાં મળશે 170 કિમીની રેન્જ, નવું ઇલેક્ટ્રિક સ્કૂટર ભારતીય બજારમાં થયું લોન્ચ
80 હજાર રૂપિયામાં મળશે 170 કિમીની રેન્જ, નવું ઇલેક્ટ્રિક સ્કૂટર ભારતીય બજારમાં થયું લોન્ચ
Embed widget