Delhi Corona Update: દિલ્હીમાં કોરોનાના કેસમાં સતત વધારો, છેલ્લા 24 કલાકમાં 1375 નવા કેસ નોંધાયા
દિલ્હીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આજે બુધવારે દિલ્હીમાં કોરોનાના 1300 થી વધુ કેસ નોંધાયા છે
Delhi Corona Cases: દિલ્હીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આજે બુધવારે દિલ્હીમાં કોરોનાના 1300 થી વધુ કેસ નોંધાયા છે. હેલ્થ બુલેટિન અનુસાર, દિલ્હીમાં કોરોનાના 1375 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મોત થયું નથી. પોઝિટિવીટી રેટ વધીને 7.01 ટકા થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 19 હજાર 622 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. હેલ્થ બુલેટિન અનુસાર, એક્ટિવ કેસની સંખ્યા 3643 પર પહોંચી ગઈ છે.
Delhi logs 1,375 new COVID cases, positivity rate reaches 7.01 pc
— ANI Digital (@ani_digital) June 15, 2022
Read @ANI Story | https://t.co/Yoids7MABq#Delhicovid #COVID19 #pandemic pic.twitter.com/fidGoZHUFk
મંગળવારે પણ દિલ્હીમાં કોરોનાના એક હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા. મંગળવારે દિલ્હીમાં 1118 કેસ નોંધાયા હતા. છેલ્લી વખત 10 મેના રોજ એક હજારથી વધુ કેસ (1,118) નોંધાયા હતા, જ્યારે ચેપ દર 4.38 ટકા હતો અને એક દર્દીનું મૃત્યુ થયું હતું.
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું, આજે નવા 184 કેસ નોંધાયા, મહિનાઓ બાદ 1 દર્દીનું મોત થયું
ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે રાજ્યમાં આજે કોરોનાના નવા 184 કેસ નોંધાયા છે. બીજી તરફ 112 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો કે મહત્વનું છે કે આજે 1 કોરોના દર્દીનું મોત થયું છે. આજે સૌથી વધું કેસ અમદાવાદમાં નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 12,14,775 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 99.03 ટકાએ પહોંચી ચુક્યો છે. આ સાથે જ હાલ કોરોના સામે રસીકરણનો આંકડો વધી રહ્યો છે. જેમાં આજે કુલ કોરોનાની રસીના 43,217 ડોઝ અપાયા હતા.
કયા જિલ્લામાં કેટલા કેસ?
જિલ્લા પ્રમાણે નોંધાયેલા કોરોના વાયરસના કેસો જોઈએ તો આજે સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 91 કેસ, વડોદરા શહેરમાં 18 કેસ, સુરત શહેરમાં 16 કેસ, રાજકોટ શહેરમાં 10 કેસ, ગાંધીનગર શહેરમાં 7 કેસ, જામનગર શહેરમાં 2 કેસ, ભાવનગર શહેરમાં 1 કેસ નોંધાયો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના કેસ જોઈએ તો કચ્છ, સુરત અને વલસાડમાં 4-4 કેસ, અમદાવાદ, ભરુચ, ગાંધીનગર, જામનગર, રાજકોટમાં 3-3 કેસ, આણંદ, ગીર સોમનાથ, ખેડા, મોરબી, નવસારીમાં 2-2 કેસ અને મહેસાણા, પંચમહાલમાં કોરોના વાયરસનો 1-1 કેસ નોંધાયો છે.
આજે એક દર્દીનું મોતઃ
ઘણા સમયથી રાજ્યમાં કોઈ પણ દર્દીનું કોરોના વાયરસથી મોત નથી થયું ત્યારે આજે ઘણા મહિનાઓ બાદ ફરીથી કોરોના વાયરસથી દર્દીનું મોત નોંધાયું છે. અમદાવાદ શહેરમાં આજે એક કોરોના દર્દીનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ સાથે આજે રાજ્યમાં કુલ 112 દર્દીઓ કોરોનાથી સાજા પણ થયા છે. હાલ રાજ્યમાં કોરોના વાયરસના કુલ 991 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં એક દર્દી વેન્ટિલેટર પર છે અને 990 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,14,775 નાગરિકો કોરોનાને હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કુલ 10,946 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થયાં છે.