શોધખોળ કરો

દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ; 15 લોકોના મોતની આશંકા, સ્થાનિક લોકોએ લગાવ્યા ગંભીર આરોપ

Dewas Factory Blast: દેવાસ સ્થિત ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ બાદ અનેક કામદારોના મોતની આશંકા છે. સ્થાનિકોનો આરોપ છે કે ફેક્ટરીમાં સલામતી ધોરણોનું પાલન કર્યા વિના કામગીરી ચાલી રહી હતી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • દેવાસની ફટાકડા ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ, અનેક લોકોના મોતની આશંકા.
  • ફેક્ટરીમાં સુરક્ષાના નિયમોનું પાલન ન થતું હોવાનો સ્થાનિકોનો આરોપ.
  • રાજકીય સંરક્ષણ અને સાંસદ સાથે સંબંધ હોવાની ગ્રામજનો દ્વારા ચર્ચા.
  • મુખ્યમંત્રીએ ઘટનાની તપાસના આદેશ આપ્યા, અધિકારીઓને ઘટનાસ્થળે મોકલ્યા.

Dewas Factory Blast: દેવાસના એબી રોડ પર સ્થિત ટોંકકલામાં કાર્યરત ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભીષણ વિસ્ફોટે સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. ધડાકો એટલો ભયાનક હતો કે આસપાસના મકાનોની દીવાલો પણ હલી ગઈ હતી. ફેક્ટરીમાં કામ કરતા અનેક મજૂરો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે, જ્યારે કેટલાક લોકોના મોતના સમાચાર પણ સામે આવી રહ્યા છે. સ્થાનિક લોકોનો દાવો છે કે મૃત્યુઆંક 15 સુધી પહોંચી શકે છે. જોકે, વહીવટીતંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ બાદ રોડ પર માંસના લોચા અને શરીરના ટુકડા વિખરાયેલા પડ્યા હતા. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં ચીસાચીસ, ભાગદોડ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

 

ફેક્ટરીમાં સુરક્ષાના ધોરણોની અવગણનાનો દાવો

સ્થાનિક ગ્રામજનોનો આક્ષેપ છે કે ફેક્ટરીમાં ખુલ્લેઆમ દારૂગોળો રાખીને ફટાકડા બનાવવાનું કામ કરવામાં આવતું હતું અને સુરક્ષાના ધોરણોની સતત અવગણના કરવામાં આવતી હતી. ગ્રામજનોનું કહેવું છે કે અનેકવાર ફરિયાદો કરવા છતાં જવાબદાર વિભાગોએ કોઈ નક્કર કાર્યવાહી કરી નથી.

આ પણ વાંચો... સંકટની વચ્ચે મોદી સરકારનો મોટો નિર્ણય, ભારત દુનિયાને ખાંડની નિકાસ નહિ કરે. મૂક્યો પ્રતિબંધ

અકસ્માત બાદ ગામેગામ ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ ફેક્ટરી માલિક અનિલ માલવીયા પર ગંભીર સવાલો ઉઠાવતા આક્ષેપ કર્યો હતો કે ફેક્ટરીને રાજકીય સંરક્ષણ પ્રાપ્ત હતું. ગ્રામજનોમાં એવી ચર્ચા પણ તેજ છે કે ફેક્ટરીનો સંબંધ સાંસદ મહેન્દ્ર સિંહ સોલંકી અથવા તેમના નજીકના લોકો સાથે હોવાનું કહેવાય છે. ઘટનાસ્થળે સવારે મોટી માત્રામાં ખુલ્લામાં દારૂગોળો પડ્યો હોવાની વાત પણ સામે આવી છે, જેનાથી લોકોનો ગુસ્સો વધુ વધી ગયો છે.

આ અકસ્માતમાં અનેક લોકો ગંભીર રીતે દાઝી ગયા છે અને ત્રણ મહિલાઓ હજુ પણ ગુમ હોવાનું કહેવાય છે. ફેક્ટરીમાં અંદાજે 200 થી વધુ મહિલાઓ કામ કરતી હતી. ઘાયલોને જિલ્લા હોસ્પિટલ મોકલવામાં આવી રહ્યા છે. સ્થાનિક વહીવટીતંત્ર અને રાહત ટીમ ઘટનાસ્થળે જવા રવાના થઈ છે.

 

સીએમ ડો. મોહન યાદવે આ ઘટના અંગે X (ટ્વિટર) પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું - જિલ્લાના પ્રભારી અને નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવડા, ગૃહ સચિવ અને વરિષ્ઠ અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચવા સૂચના આપી છે. ઘટનાની તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.

Frequently Asked Questions

દેવાસમાં ક્યાં ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ થયો?

દેવાસના એબી રોડ પર સ્થિત ટોંકકલામાં કાર્યરત ફટાકડા ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ થયો હતો.

આ વિસ્ફોટમાં કેટલા લોકોના મોત થયા છે?

સ્થાનિક લોકોનો દાવો છે કે મૃત્યુઆંક 15 સુધી પહોંચી શકે છે, પરંતુ વહીવટીતંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

ફેક્ટરીમાં સુરક્ષાના ધોરણોની અવગણનાનો દાવો શું છે?

સ્થાનિક ગ્રામજનોનો આક્ષેપ છે કે ફેક્ટરીમાં ખુલ્લેઆમ દારૂગોળો રાખીને ફટાકડા બનાવવામાં આવતા હતા અને સુરક્ષાના ધોરણોની અવગણના થતી હતી.

ઘટના અંગે મુખ્યમંત્રીએ શું કહ્યું?

મુખ્યમંત્રી ડો. મોહન યાદવે ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી મામલે રાજ ઠાકરેનો મોટો હુમલો, કહ્યું- બીજી સરકાર હોત તો BJP...
રામ મંદિર દાન ચોરી મામલે રાજ ઠાકરેનો મોટો હુમલો, કહ્યું- બીજી સરકાર હોત તો BJP...
ભારે વરસાદને લઈ નદીમાં તણાઈ ગયા 3000 ગેસ સિલિન્ડર, લોકોને પરત કરવા અપીલ કરાઈ 
ભારે વરસાદને લઈ નદીમાં તણાઈ ગયા 3000 ગેસ સિલિન્ડર, લોકોને પરત કરવા અપીલ કરાઈ 
Advertisement

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
Embed widget