શોધખોળ કરો

Ideas of India : અમને ગદ્દાર કહેનારાઓએ 2019માં ભાજપ સાથે શું કર્યું હતું? શિંદેનો ઉદ્ધવ પર વાર

ABP નેટવર્કના આઈડિયાઝ ઓફ ઈન્ડિયામાં વાતચીત કરતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું હતું કે, અમે બાળાસાહેબ અને મોદીજીના નામ પર વોટ માંગ્યા હતા.

ABP Network's Ideas of India : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શિવસેના સાથે બગાવત, પાર્ટીના નામ, ચિન્હ અને બાળા સાહેબ ઠાકરેની વિચારધારાને લઈને ABP નેટવર્કના આઈડિયાઝ ઓફ ઈન્ડિયામાં પહેલીવાર ખુલીને પોતાના વિચારો રજુ કર્યા હતાં. આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ કેન્દ્રની ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભારોભાર વખાણ કર્યા હતાં તો ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહારો કર્યા હતાં. 

એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે પર સાધ્યું નિશાન

ABP નેટવર્કના આઈડિયાઝ ઓફ ઈન્ડિયામાં વાતચીત કરતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું હતું કે, અમે બાળાસાહેબ અને મોદીજીના નામ પર વોટ માંગ્યા હતા. લોકોએ અમને વોટ પણ આપ્યા, બહુમતી આપી, પરંતુ તમે (ઉદ્ધવ ઠાકરે) ખુરશીના લોભને કારણે એનસીપી-કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી. ત્યાર બાદ તમે મૃતપ્રાય બની રહેલી NCP અને કોંગ્રેસને નવજીવન આપ્યું અને તમારી પાર્ટી પાછળ ધેકલાવવા લાગી. તેઓ અમને કેવી રીતે સહન કરી શકે? જ્યારે તમે અમને ગદ્દાર કહો છો પરંતુ 2019માં તમે જ સહયોગી ગઠબંધન ભાજપ સાથે દગો કર્યો હતો.

સત્તા મળ્યા બાદ શિવસેનાએ શું કહ્યું?

ચૂંટણી પંચ સાથે શિવસેનાની મુલાકાત પર એકનાથ શિંદેએ કહ્યું હતું કે, હું કોઈને નિયંત્રિત કરતો નથી. લોકશાહીમાં લોકો જ સર્વસ્વ છે. જ્યારે નિર્ણય લોકોની તરફેણમાં આવે છે ત્યારે તેઓ કહે છે કે ચૂંટણી પંચ સારું છે, જ્યારે નિર્ણય વિરુદ્ધ છે ત્યારે તેઓ કહે છે કે ચૂંટણી પંચ ખરાબ છે. આપણે આમ ના કહી શકીએ. અમે એવું નથી કહેતા જે નિર્ણય આવે તે અમે સ્વીકારીએ છીએ. અમે કોઈની સંપત્તિ છીનવી નથી લીધી. તેમણે બાળાસાહેબના વિચારોનો ત્યાગ કર્યો હતો અને અમે એ વિચારોને વળગી રહ્યા. બાળાસાહેબની વિચારધારા તેમના વારસાને આગળ ધપાવવા માટે પૂરતી છે. અમને પાર્ટીના ચિન્હ અને નામની જરૂર નથી. અમે પાર્ટીના ખાતાને હાથ પણ નહીં લગાવીએ. અમારે તેની જરૂર પણ નથી.

અગાઉની સરકારમાં અહંકારની સમસ્યા હતી : શિંદે

અગાઉની સરકાર કહેતી હતી કે, કેન્દ્ર મદદ નથી કરતી જ્યારે એકનાથ શિંદે આવ્યા ત્યારે અનેક પ્રોજેક્ટ શરૂ થયા, આ કેવી રીતે થયું? તેનો જવાબ આપતા સીએમ શિંદેએ કહ્યું હતું કે, અગાઉની સરકારમાં અહંકારની સમસ્યા હતી. જો તમે કેન્દ્ર પાસેથી પૈસા માંગવા હોય તો તેમની પાસે જવુ પડે. અને ત્યાં જશો તો જ તેઓ તમને પૈસા આપશે. તેઓ તમને તમારા ઘરે આવીને પૈસા નહીં આપે.

મહારાષ્ટ્ર દેશનું ગ્રોથ એન્જિન : શિંદે

મહારાષ્ટ્રને લઈને તમારો આઈડિયા ઓફ ઈન્ડિયા શું છે? તેના પર સીએમ શિંદેએ કહ્યું હતું કે, મહારાષ્ટ્ર દેશનું ગ્રોથ એન્જિન છે. અત્યારે ડબલ એન્જિનની સરકાર છે એટલે કામ ઝડપભેર ચાલી રહ્યું છે. મહારાષ્ટ્ર પ્રગતિ કરશે તો દેશ પણ આગળ વધશે. અમે પાંચ ટ્રિલિયન અર્થતંત્ર બનાવવાના પીએમ મોદીના આહ્વાન પર કામ કરી રહ્યા છીએ. કેન્દ્ર સરકાર તરફથી અમને ઘણો સહયોગ મળી રહ્યો છે.

હું માત્ર એક કાર્યકર છું : શિંદે

તમને રાજનીતિના બાદશાહ કહેવામાં આવે છે, જેના પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું હતું કે, હું રાજા નથી, હું માત્ર એક કાર્યકર છું. સીએમ બન્યા પછી પણ હું કાર્યકર તરીકે કામ કરું છું અને આવતીકાલે પણ રહીશ. મેં મારી કામ કરવાની પદ્ધતિ પહેલાની જેમ જ રાખી છે. જો હું મારો રસ્તો બદલીશ તો લોકો કહેશે કે હું ગઈકાલ સુધી સારું કરતો હતો, પરંતુ સીએમ બન્યા પછી બદલાઈ ગયો.

એબીપીના મંચ પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે

એબીપી નેટવર્કના આઈડિયાઝ ઓફ ઈન્ડિયા 2023 કાર્યક્રમમાં મહેમાન તરીકે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ હાજર રહ્યાં હતાં. અહીં તેમણે ખુલીને પોતાના વિચારો રજુ કર્યા હતાં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ
નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ
Shashi Tharoor Attack: શશિ થરૂરની સુરક્ષામાં મોટી ચૂક, કેરળમાં કોંગ્રેસ નેતાના કાફલા પર હુમલો,ગનમેન-ડ્રાઈવર ઘાયલ
Shashi Tharoor Attack: શશિ થરૂરની સુરક્ષામાં મોટી ચૂક, કેરળમાં કોંગ્રેસ નેતાના કાફલા પર હુમલો,ગનમેન-ડ્રાઈવર ઘાયલ
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
INS તારાગિરી ભારતીય નૌસેનામાં એન્ટ્રી, દરિયામાં તાકાત ડબલ, રાજનાથ સિંહે આપ્યો PAK ને મરચા લાગે તેવો મેસેજ
INS તારાગિરી ભારતીય નૌસેનામાં એન્ટ્રી, દરિયામાં તાકાત ડબલ, રાજનાથ સિંહે આપ્યો PAK ને મરચા લાગે તેવો મેસેજ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોઈ કોઈનું નથી !
Hun To Bolish | હું તો બોલીશ | પનીર કે 'એનાલોગ' ?
Hun To Bolish | હું તો બોલીશ | આ યુદ્ધ લાંબુ ચાલશે
Ahmedabad Congress : ઉમેદવારોના નામની જાહેરાત પહેલા અમદાવાદ કોંગ્રેસમાં ભડકો
Hun To Bolish | હું તો બોલીશ | ગુજરાતની 'મર્દાની'

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US-Iran Conflict: અમેરિકાએ ઈરાન પર કર્યો ઘાતક હુમલો; ઈરાની કમાન્ડર ઠાર, ખાડી દેશોમાં વધ્યો તણાવ
US-Iran Conflict: અમેરિકાએ ઈરાન પર કર્યો ઘાતક હુમલો; ઈરાની કમાન્ડર ઠાર, ખાડી દેશોમાં વધ્યો તણાવ
PAK Threat to India: પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે ભારતના આ શહેર પર હુમલાની આપી ધમકી
PAK Threat to India: પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે ભારતના આ શહેર પર હુમલાની આપી ધમકી
સિંગલ ચાર્જ પર ચાલે છે 627 કિમી, આ ખાસ ફીચર્સ સાથે લોન્ચ થશે Tata Safari EV, જાણો તમામ વિગતો
સિંગલ ચાર્જ પર ચાલે છે 627 કિમી, આ ખાસ ફીચર્સ સાથે લોન્ચ થશે Tata Safari EV, જાણો તમામ વિગતો
Rashifal: આજે આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, જાણો તમામ 12 રાશિઓનો કેવો રહેશે દિવસ
Rashifal: આજે આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, જાણો તમામ 12 રાશિઓનો કેવો રહેશે દિવસ
ગુજરાતમાં ચૂંટણી પહેલાં મોટો વહીવટી ફેરફાર: 34 નાયબ કલેક્ટર અને 34 મામલતદારોની એકસાથે બદલી!
ગુજરાતમાં ચૂંટણી પહેલાં મોટો વહીવટી ફેરફાર: 34 નાયબ કલેક્ટર અને 34 મામલતદારોની એકસાથે બદલી!
GT vs RR: છેલ્લા બોલ સુધી ચાલેલા રોમાંચક મુકાબલામાં રાજસ્થાનની શાનદાર જીત, પોતાના જ ઘરમાં હાર્યું ગુજરાત!
GT vs RR: છેલ્લા બોલ સુધી ચાલેલા રોમાંચક મુકાબલામાં રાજસ્થાનની શાનદાર જીત, પોતાના જ ઘરમાં હાર્યું ગુજરાત!
ભારે વરસાદની આગાહી: ભારતમાં એકસાથે 4 ચક્રવાતી સિસ્ટમ સક્રિય, ગુજરાત સહિત આ રાજ્યોમાં માવઠું તરખાટ મચાવશે
ભારે વરસાદની આગાહી: ભારતમાં એકસાથે 4 ચક્રવાતી સિસ્ટમ સક્રિય, ગુજરાત સહિત આ રાજ્યોમાં માવઠું તરખાટ મચાવશે
Gujarat Weather: આગામી 3 કલાકમાં રાજ્યના 16 જિલ્લામાં વરસાદ ત્રાટકશે, 40ની સ્પીડે ફૂંકાશે પવન
Gujarat Weather: આગામી 3 કલાકમાં રાજ્યના 16 જિલ્લામાં વરસાદ ત્રાટકશે, 40ની સ્પીડે ફૂંકાશે પવન
Embed widget