શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
શું હવે ડોક્ટરોની જેમ ફાર્માસિસ્ટ પણ ક્લિનક ખોલી શકશે? જાણો સરકારે શું કહ્યું....
પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે.
![શું હવે ડોક્ટરોની જેમ ફાર્માસિસ્ટ પણ ક્લિનક ખોલી શકશે? જાણો સરકારે શું કહ્યું.... Fact Check: Should pharmacists to run clinics know what govt said શું હવે ડોક્ટરોની જેમ ફાર્માસિસ્ટ પણ ક્લિનક ખોલી શકશે? જાણો સરકારે શું કહ્યું....](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/03204220/pharmacist.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
(પ્રતીકાત્મક તસવીર)
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઇને કોઇ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક વાયરલ થઈ રહેલી ખબરને લઇ સરકારે સ્પષ્ટતા કરવી પડી હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી ખબર મુજબ,એક ન્યૂઝ આર્ટિકલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હવે ડોક્ટરોની જેમ ફાર્માસિસ્ટ પણ ક્લિનિક ખોલી શકશે. પીઆઈબી ફેક્ટ ચેકે આ દાવાનો બોગસ ગણાવ્યો હતો. પીઆઈ ફેક્ટ ચેકે ટ્વિટ કરીને લખ્યુ, આ દાવો ખોટો છે. ફાર્મસી પ્રેક્ટિસ નિયમો અંતર્ગત કોઇ પણ ફાર્મસિસ્ટ માટે ક્લિનિક ખોલવાની કોઇ જોગવાઈ નથી.
પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)