શોધખોળ કરો

Farmers Protest: દિલ્હી કૂચ પર આજે નિર્ણય લેશે ખેડૂતો, કેન્દ્રિય મંત્રીએ કહ્યુ- 'સરકાર વાતચીત માટે તૈયાર'

Farmers Protest: ગુરુવારે દિલ્હી કૂચ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું.

Farmers Protest: પંજાબના શંભુ અને ખનૌરી બોર્ડર પર ખેડૂતો પોતાની માંગણીઓ માટે છેલ્લા 16 દિવસથી આંદોલન કરી રહ્યા છે. બુધવારે કિસાન મજદૂર સંઘર્ષ સમિતિ અને સંયુક્ત કિસાન મોરચા (બિનરાજકીય)ની સંયુક્ત બેઠક યોજાઈ હતી. ગુરુવારે દિલ્હી કૂચ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું.

શુભકરણના મૃત્યુ કેસમાં પંજાબ પોલીસે પટિયાલાના પાટડાં પોલીસ સ્ટેશનમાં અજાણ્યા લોકો વિરુદ્ધ હત્યાનો કેસ નોંધ્યો છે. ખેડૂતો અને પરિવારના સભ્યોની સંમતિ બાદ રાત્રે 11 વાગ્યે શુભકરણના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. સવારે મૃતદેહને ખનૌરી બોર્ડર પર લઈ જવામાં આવશે. ત્યાં શ્રદ્ધાંજલિ આપ્યા બાદ પૈતૃક ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અગાઉ ખેડૂતો જ્યાં સુધી હરિયાણા પોલીસ અને ગૃહ પ્રધાન અનિલ વિજ સામે એફઆઈઆર નોંધવામાં ન આવે ત્યાં સુધી શુભકરણના અંતિમ સંસ્કાર ન કરવા પર અડગ હતા. બીજી તરફ પંજાબ અને રાજસ્થાનમાં કોંગ્રેસે ખેડૂતોના સમર્થનમાં પ્રદર્શન કર્યું. પંજાબમાં ઘણી જગ્યાએ ટ્રેક્ટર રેલીઓ કાઢવામાં આવી હતી.

કેન્દ્ર સરકાર ખેડૂતો સાથે વાત કરવા તૈયારઃ મુંડા

કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ કહ્યું કે સરકાર વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે વાતચીત માટે તૈયાર છે. તેમણે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ (ICMR) સોસાયટીની વાર્ષિક સામાન્ય સભા દરમિયાન આ નિવેદન આપ્યું હતું. નોંધનીય છે કે અત્યાર સુધી કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે ચાર વખત વાતચીત થઈ છે, પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી. પાક માટે લઘુત્તમ ટેકાના ભાવની કાયદેસર ગેરન્ટી સહિત વિવિધ માંગણીઓ પર ખેડૂતો દિલ્હી કૂચ પર અડગ છે.

પાકને શા માટે ખેડૂતો WTOમાંથી બહાર લાવવા માંગે છે?

ખેડૂતોના આંદોલન પાછળનો હેતુ તેમને MSP, પાકની ખરીદી અને જાહેર વિતરણ પ્રણાલી અંગે કાનૂની ગેરંટી આપવાનો છે. ભારત 1995 થી WTOનું સભ્ય છે અને WTOના નિયમો ખેડૂતોની માંગની સંપૂર્ણપણે વિરુદ્ધ છે.

આ જ કારણ છે કે ખેડૂતો ઈચ્છે છે કે ભારત WTOમાંથી બહાર આવે અને MSP સંબંધિત તેમની માંગણીઓ સ્વીકારે. આંદોલનકારી ખેડૂતોનું કહેવું છે કે સરકારે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પણ રદ કરવા જોઈએ જેથી કરીને ભારતના કોઈ ખેડૂતને અન્ય કોઈ દેશ કે સંસ્થાની શરતો સામે ઝૂકવું ન પડે.

જ્યારે ભારત WTOમાં જોડાયું ત્યારે નક્કી કરવામાં આવ્યું હતું કે તે પોતાના દેશમાં MSP ફિક્સ કરવા અંગે કોઈ ગેરન્ટી આપશે નહીં. આ સિવાય WTOમાં જોડાવા માટે અન્ય ઘણી શરતો છે જેને તમામ સભ્ય દેશોએ સ્વીકારવી પડશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Embed widget