શોધખોળ કરો
Advertisement
મિઝોરમમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ, પાદરીનો કોરોના ટેસ્ટ આવ્યો પોઝિટિવ
દેશમાં અત્યાર સુધી વાયરસથી સંક્રમિત 562 પોઝિટિવ કેસની પુષ્ટી થઈ છે. આ જીવલેણ વાયરસના કારણે અત્યાર સુધી ભારતમાં 11 લોકોના મોત થઈ ચૂક્યા છે.
નવી દિલ્હી: ભારતમાં દિવસે દિવસે કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. મિઝોરમમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો છે. તેની સાથે જ પૂર્વોત્તરમાં કોરોનાના બે મામલા સામે આવ્યા છે.
મિઝોરમમાં એક પાદરીનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. રાજ્યના સ્વાસ્થ્યમંત્રી આર લલથંગલિયાનાએ આ વાતની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે પાદરી એમ્સટર્ડમના નીધરલેન્ડ ગયા હોવાની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે. પાદરીની ઉંમર 50 વર્ષ બતાવવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં અત્યાર સુધી વાયરસથી સંક્રમિત 562 પોઝિટિવ કેસની પુષ્ટી થઈ છે. આ જીવલેણ વાયરસના કારણે અત્યાર સુધી ભારતમાં 11 લોકોના મોત થઈ ચૂક્યા છે. તેની વચ્ચે સારા સમાચાર એ છે કે, 40 લોકો રિકવર થઈ ચુક્યા છે. કોરોનાની સ્થિતિને જોતા 14 એપ્રિલ સુધી દેશભરમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
શિક્ષણ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion