શોધખોળ કરો

"પાણી પણ ના આપ્યા"ના નવનીત રાણાના દાવાને મુંબઈ પોલીસ કમિશ્નરે વીડિયો શેર કરીને ફગાવ્યો, ચા પીતાં દેખાયાં સાંસદ

મહારાષ્ટ્રના અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણાની મુશ્કેલીઓ વધી શકે છે. મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેએ ખાર પોલીસ સ્ટેશનનો એક વીડિયો ટ્વીટ કર્યો છે

MP Navneet Rana: મહારાષ્ટ્રના અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણાની મુશ્કેલીઓ વધી શકે છે. મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેએ ખાર પોલીસ સ્ટેશનનો એક વીડિયો ટ્વીટ કર્યો છે જેમાં નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણા ચા પીતા જોવા મળે છે અને સાથે જ તેમની સામે મુકેલી પાણીની બોટલ પણ વીડિયોમાં દેખાઈ રહી છે.

સાંસદ નવનીત રાણાએ લોકસભા સ્પીકરને એક પત્ર લખ્યો હતો જેમાં તેમણે દાવો કર્યો હતો કે, તેમણે 23 તારીખની રાત ખાર પોલીસ સ્ટેશનની અંદર વિતાવી હતી અને આ દરમિયાન તેમને પાણી પણ નહોતું પીવા દેવામાં આવ્યું.

નવનીત રાણાએ પત્રમાં લખ્યું હતું કે, જ્યારે તેમણે પાણી માંગ્યું ત્યારે પોલીસકર્મીઓએ તેમને નીચી જાતિના હોવાનું કહીને પાણી નહોતું આપ્યું. જો કે, ખાર પોલીસ સ્ટેશનમાં કોઈ લોકઅપ નથી, જેના કારણે પોલીસ સ્ટેશનમાં કોઈની ધરપકડ કરવામાં આવે છે, તો તેમને સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન પાસેના લોકઅપમાં રાખવામાં આવે છે. નવનીત રાણા આખી રાત ખાર પોલીસ સ્ટેશનમાં રહેવાની વાત કરી રહી છે જ્યારે તેમને સાંતાક્રુઝમાં લોકઅપમાં રાખવામાં આવ્યાં હતાં.

નવનીત રાણાએ પાણી ના આપ્યાના દાવા અંગે હવે ખુદ મુંબઈના પોલીસ કમિશનર સંજય પાંડેએ જવાબ આપ્યો છે. સંજય પાંડેએ એક ટ્વીટ કર્યું હતું જેમાં નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણા ચા પીતા જોવા મળે છે. આ વીડિયો જાહેર થયા બાદ નવનીત રાણાના સ્પીકરને લખેલા પત્રમાં જે દાવા કરાયા હતા તે અંગે સવાલ ઉભા થઈ રહ્યા છે.

અગાઉ, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મહારાષ્ટ્ર સરકાર પાસેથી લોકસભા સાંસદ નવનીત રાણાની ધરપકડ અને પોલીસ દ્વારા કથિત અમાનવીય વર્તન અંગે તથ્યપૂર્ણ અહેવાલ માંગ્યો હતો. લોકસભાની વિશેષાધિકાર અને નૈતિક સમિતિએ ગૃહ મંત્રાલયને મહારાષ્ટ્ર સરકાર પાસેથી રિપોર્ટ માંગવા કહ્યું હતું, જેના પછી મંત્રાલયે મહારાષ્ટ્ર સરકાર પાસેથી અહેવાલ માંગ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

રશિયામાં અનુભવાયા ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર રહી 8ની તીવ્રતા, સુનામીનું એલર્ટ જાહેર
રશિયામાં અનુભવાયા ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર રહી 8ની તીવ્રતા, સુનામીનું એલર્ટ જાહેર
PM Modi on PoK: ભારતે ઓપરેશન સિંદૂરમાં PoK પરત કેમ ના લીધું? PM મોદીએ સંસદમાં આપ્યો જવાબ
PM Modi on PoK: ભારતે ઓપરેશન સિંદૂરમાં PoK પરત કેમ ના લીધું? PM મોદીએ સંસદમાં આપ્યો જવાબ
IND Vs ENG: ભારતને મોટો ઝટકો, પંત બાદ આ સ્ટાર ખેલાડી પણ પાંચમી ટેસ્ટમાંથી બહાર
IND Vs ENG: ભારતને મોટો ઝટકો, પંત બાદ આ સ્ટાર ખેલાડી પણ પાંચમી ટેસ્ટમાંથી બહાર
'સીઝફાયર નહી કરો તો પેલેસ્ટાઈનને આપી દઈશું માન્યતા', બ્રિટનના PMની ઈઝરાયલને ચેતવણી
'સીઝફાયર નહી કરો તો પેલેસ્ટાઈનને આપી દઈશું માન્યતા', બ્રિટનના PMની ઈઝરાયલને ચેતવણી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલું ચાલશે પાણીનું ગ્રહણ
Hun To Bolish : હું તો બોલીશ : હોસ્પિટલોની બબાલોમાં સાચું કોણ?
Hun To Bolish : હું તો બોલીશ :  મોતના હાઈવે
Ahmedabad water logging: અમદાવાદના ધોળકા-બાવળા રોડ પર સ્થાનિકોનો ચક્કાજામ
Dhoraji News : ધોરાજીના પાટણવાવમાં ઝેરી જંતુના આતંકથી આરોગ્ય વિભાગની ટીમ થઈ દોડતી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રશિયામાં અનુભવાયા ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર રહી 8ની તીવ્રતા, સુનામીનું એલર્ટ જાહેર
રશિયામાં અનુભવાયા ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર રહી 8ની તીવ્રતા, સુનામીનું એલર્ટ જાહેર
PM Modi on PoK: ભારતે ઓપરેશન સિંદૂરમાં PoK પરત કેમ ના લીધું? PM મોદીએ સંસદમાં આપ્યો જવાબ
PM Modi on PoK: ભારતે ઓપરેશન સિંદૂરમાં PoK પરત કેમ ના લીધું? PM મોદીએ સંસદમાં આપ્યો જવાબ
IND Vs ENG: ભારતને મોટો ઝટકો, પંત બાદ આ સ્ટાર ખેલાડી પણ પાંચમી ટેસ્ટમાંથી બહાર
IND Vs ENG: ભારતને મોટો ઝટકો, પંત બાદ આ સ્ટાર ખેલાડી પણ પાંચમી ટેસ્ટમાંથી બહાર
'સીઝફાયર નહી કરો તો પેલેસ્ટાઈનને આપી દઈશું માન્યતા', બ્રિટનના PMની ઈઝરાયલને ચેતવણી
'સીઝફાયર નહી કરો તો પેલેસ્ટાઈનને આપી દઈશું માન્યતા', બ્રિટનના PMની ઈઝરાયલને ચેતવણી
PM મોદીનો કોંગ્રેસ પર સીધો પ્રહાર: 'એક પરિવારના દબાણમાં પાકિસ્તાનને ક્લીનચીટ આપવાનું બંધ કરો'
PM મોદીનો કોંગ્રેસ પર સીધો પ્રહાર: 'એક પરિવારના દબાણમાં પાકિસ્તાનને ક્લીનચીટ આપવાનું બંધ કરો'
'ટ્રમ્પ 29 વાર બોલ્યા, PM મોદીએ જવાબ ન આપ્યો': લોકસભામાં પીએમ મોદીના ભાષણ પર રાહુલ ગાંધીએ આપી પ્રતિક્રિયા
'ટ્રમ્પ 29 વાર બોલ્યા, PM મોદીએ જવાબ ન આપ્યો': લોકસભામાં પીએમ મોદીના ભાષણ પર રાહુલ ગાંધીએ આપી પ્રતિક્રિયા
22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
ગોધરા રમખાણો કેસ: 19 વર્ષ પછી 3 દોષિતો નિર્દોષ છૂટ્યા! ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, પુરાવાના અભાવે મુક્ત કર્યા
ગોધરા રમખાણો કેસ: 19 વર્ષ પછી 3 દોષિતો નિર્દોષ છૂટ્યા! ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, પુરાવાના અભાવે મુક્ત કર્યા
Embed widget