શોધખોળ કરો

હિંડનબર્ગ રિપોર્ટને લઈ અરજી પર સુનાવણી, સુપ્રીમ કોર્ટે કહ્યું-  રોકાણકારોના હિતની રક્ષા થઈ રહી છે ?

સુપ્રીમ કોર્ટે શુક્રવારે જણાવ્યું હતું કે હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટના પ્રકાશન બાદ અદાણી જૂથની કંપનીઓના શેરના ભાવમાં ઘટાડો થવાને કારણે ભારતીય રોકાણકારોને લાખો કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

નવી દિલ્હી:  સુપ્રીમ કોર્ટે શુક્રવારે જણાવ્યું હતું કે હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટના પ્રકાશન બાદ અદાણી જૂથની કંપનીઓના શેરના ભાવમાં ઘટાડો થવાને કારણે ભારતીય રોકાણકારોને લાખો કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જેબી પારડીવાલાની ડિવિઝન બેન્ચે સેબી (Securities and Exchange Board of India )ને સૂચન કર્યું હતું કે ભવિષ્યમાં ભારતીય રોકાણકારોની સુરક્ષા માટે પગલાં લેવામાં આવી શકે છે.

 ચીફ જસ્ટિસે ટિપ્પણી કરતા કહ્યું "એવું કહેવાય છે કે ભારતીય રોકાણકારો દ્વારા કુલ નુકસાન કેટલાંક લાખ કરોડનું થયું છે. અમે કેવી રીતે ખાતરી કરીએ કે તેઓ સુરક્ષિત છે.  તે 10 લાખ કરોડ હોવાનું કહેવાય છે. ભવિષ્યમાં આવું ન થાય તેની ખાતરી કેવી રીતે કરવી. ભવિષ્યમાં સેબી માટે કઈ ભૂમિકાની કલ્પના કરવી જોઈએ.  ત્યારપછી બેન્ચે સેબીને વધુ મજબૂત મિકેનિઝમ કેવી રીતે ગોઠવી શકાય તે અંગે વિગતવાર જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો.

આ અરજીની સુનાવણી સીજેઆઈ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચ દ્વારા કરવામાં આવી હતી. એડવોકેટ વિશાલ તિવારી અને મનોહર લાલ શર્માએ અરજી દાખલ કરી છે. વિશાલ તિવારીએ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં એસઆઈટીની રચના કરીને મામલાની તપાસની માંગ કરી છે. જ્યારે મનોહર લાલ શર્માએ નિર્દોષ રોકાણકારોનું શોષણ અને છેતરપિંડી કરવા બદલ શોર્ટ સેલર સામે તપાસની માગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી છે. 


અરજીમાં હિંડનબર્ગ રિસર્ચના સ્થાપક નાથન એન્ડરસન અને ભારતમાં તેમના સહયોગીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા અને સેબીની કલમ 420 અને 120B હેઠળ એફઆઈઆર નોંધવાની માંગ કરવામાં આવી હતી. આ સાથે રોકાણકારોને વળતર આપવાની પણ માંગ કરવામાં આવી છે.

ભારતના મુખ્ય ન્યાયાધીશે પૂછ્યું કે આ અરજીનું સ્વરૂપ શું છે. અરજદારે કહ્યું કે સિવિલ પિટિશન છે, તપાસની માંગ છે. સેબી વતી સોલિસિટર જનરલે કહ્યું કે, અમે અરજીનો જવાબ દાખલ કરીશું.

CJIએ અરજીકર્તા વિશાલ તિવારીને પૂછ્યું કે, અહીં જે બન્યું તેમાં શોર્ટ સેલિંગનો આરોપ છે. ભારતીય રોકાણકારોને સંરક્ષિત કેવી રીતે કરી શકાય ? CJIએ સોલિસિટર જનરલ તુષાર મહેતાને પૂછ્યું કે, અમે કેવી રીતે ખાતરી કરીએ છીએ કે રોકાણકારો સુરક્ષિત છે, શું અમારી પાસે મજબૂત મિકેનિઝમ છે. શું ભવિષ્યમાં આવું ન બને તે માટે કોઈ વ્યવસ્થા છે? અખબારો અનુસાર સાત લાખ કરોડનું નુકસાન થયું હતું.

તુષાર મહેતાએ કહ્યું કે અત્યારે કહેવું મુશ્કેલ છે, પરંતુ આ બધું હિંડનબર્ગ રિપોર્ટ પરથી થયું છે. CJIએ કહ્યું કે, અમે સેબી પર કોઈ વાંધો નથી મૂકી રહ્યા. નિયમનકારી માળખામાં કોઈ સુધારાની જરૂર છે કે કેમ તે આપણે ધ્યાનમાં લેવાની જરૂર છે. ભવિષ્યમાં આવું ન થાય તેની ખાતરી કરવા માટે આપણે એક નિયમનકારી મિકેનિઝમ સ્થાપિત કરવાની જરૂર છે. શું નિષ્ણાત સમિતિની રચના કરી શકાય? તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, આ અંગે સૂચના લઈને કહી શકાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
Embed widget