શોધખોળ કરો
ગૃહમંત્રી રાજનાથ સિંહ આજથી બે દિવસના રાજસ્થાન પ્રવાસે, સરહદ સુરક્ષા અંગે મહત્વની બેઠક

નવી દિલ્લી: ગૃહમંત્રી રાજનાથસિંહ આજથી રાજસ્થાનના 2 દિવસના પ્રવાસે છે. આજે પાકિસ્તાનની સરહદે આવેલા ચાર રાજ્યોના પ્રતિનિધિઓ સાથે કેંદ્રીય ગૃહ મંત્રી બેઠક યોજાશે. આ બેઠકમાં ગુજરાતના ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ભાગ લેશે. આ બેઠકમાં સરહદ ફેન્સીંગ મામલે ચર્ચા થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાલની સ્થિતિને લઈને આ બેઠક મહત્વની માનવામાં આવી રહી છે. રાજસ્થાનના જેસલમેરમાં બીએસએફ સેક્ટર હેડ ક્વાર્ટરમાં શરૂ થનારી આ બેઠક બાદ રાજનાથસિંહ બીએસએફના અધિકારીઓ સાથે પણ ચર્ચા કરશે. તો બાદમાં સરહદ પરના જવાનો સાથે પણ મુલાકાત કરશે. આ બેઠકમાં પાકિસ્તાનને અડીને આવેલા રાજ્યોની બોર્ડર ફેન્સીંગ અંગે ચર્ચા થશે. હાલમાં પાકિસ્તાનને અડીને આવેલા ચાર રાજ્યોની બે હજાર બસ્સોને નેવું કિલોમીટરની સરહદ પર 254 કિલોમીટરની સરહદ પર ફેંસીંગ બાકી છે.
Before You Go
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર





















