શોધખોળ કરો
Advertisement
ગૃહમંત્રી રાજનાથ સિંહ આજથી બે દિવસના રાજસ્થાન પ્રવાસે, સરહદ સુરક્ષા અંગે મહત્વની બેઠક
નવી દિલ્લી: ગૃહમંત્રી રાજનાથસિંહ આજથી રાજસ્થાનના 2 દિવસના પ્રવાસે છે. આજે પાકિસ્તાનની સરહદે આવેલા ચાર રાજ્યોના પ્રતિનિધિઓ સાથે કેંદ્રીય ગૃહ મંત્રી બેઠક યોજાશે. આ બેઠકમાં ગુજરાતના ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ભાગ લેશે. આ બેઠકમાં સરહદ ફેન્સીંગ મામલે ચર્ચા થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાલની સ્થિતિને લઈને આ બેઠક મહત્વની માનવામાં આવી રહી છે.
રાજસ્થાનના જેસલમેરમાં બીએસએફ સેક્ટર હેડ ક્વાર્ટરમાં શરૂ થનારી આ બેઠક બાદ રાજનાથસિંહ બીએસએફના અધિકારીઓ સાથે પણ ચર્ચા કરશે. તો બાદમાં સરહદ પરના જવાનો સાથે પણ મુલાકાત કરશે. આ બેઠકમાં પાકિસ્તાનને અડીને આવેલા રાજ્યોની બોર્ડર ફેન્સીંગ અંગે ચર્ચા થશે. હાલમાં પાકિસ્તાનને અડીને આવેલા ચાર રાજ્યોની બે હજાર બસ્સોને નેવું કિલોમીટરની સરહદ પર 254 કિલોમીટરની સરહદ પર ફેંસીંગ બાકી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ
Advertisement