‘I say to the whole world…’, હિન્દી છોડી અચાનક અંગ્રેજીમાં કેમ બોલાવા લાગ્યા PM મોદી ?
Pahalgam Terror Attack: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતીય સુરક્ષા દળોએ એક હજારથી વધુ લોકોને ઓળખી કાઢ્યા છે

Pahalgam Terror Attack: પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા પછી પીએમ મોદીએ પહેલીવાર જનતા સમક્ષ પોતાના દિલની વાત કરી. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. આ ઘટના પછી ગુરુવારે, પીએમ મોદીએ બિહારના મધુબનીમાં 13,500 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું. આ દરમિયાન તેમણે આતંકવાદીઓનો સફાયો કરવાનું વચન આપ્યું. પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદીઓને તેમના વિચાર કરતાં પણ મોટી સજા મળશે. પોતાના ભાષણના અંતે, અંગ્રેજીમાં બોલતા, તેમણે સમગ્ર વિશ્વને આતંકવાદ વિરુદ્ધ સંદેશ આપ્યો.
પ્રધાનમંત્રીએ કહ્યું કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા માટે જવાબદાર લોકોની ઓળખ કરવામાં આવશે અને દરેકને તેમના કાર્યો માટે સજા કરવામાં આવશે. પીએમ મોદીએ એ પણ સ્પષ્ટ કર્યું કે કોઈને પણ છોડવામાં આવશે નહીં.
પીએમ મોદીએ અંગ્રેજીમાં શું કહ્યું ?
પોતાના ભાષણના અંતે, પીએમ મોદીએ આતંકવાદ વિરુદ્ધ સમગ્ર વિશ્વને સંદેશ આપ્યો અને કહ્યું "Today from the soil of Bihar, I say to the whole world, India will identify, track, and punish every terrorist and their backers. We will pursue them to the ends of the earth. The spirit of India will never be broken by terrorism. Terrorism will not go unpunished. Every effort will be made to ensure that justice is served. The entire nation stands firm in this resolve. Everyone who believes in humanity is with us. I thank the people of various countries and the leaders who have stood with us in these times."
(આજે, બિહારની ધરતી પરથી, હું આખી દુનિયાને કહું છું કે, ભારત દરેક આતંકવાદી અને તેના સાથીદારોને ઓળખશે, શોધી કાઢશે અને સજા કરશે. અમે પૃથ્વીના છેલ્લા ખૂણા સુધી તેમનો પીછો કરીશું. આતંકવાદ ક્યારેય ભારતના આત્માને તોડી શકશે નહીં. આતંકવાદીઓને કોઈપણ કિંમતે સજા આપવામાં આવશે. ન્યાય સુનિશ્ચિત કરવા માટે દરેક શક્ય પ્રયાસ કરવામાં આવશે. આખો દેશ આ સંકલ્પ સાથે ઉભો છે. માનવતામાં વિશ્વાસ રાખનારા દરેક વ્યક્તિ આપણી સાથે છે. હું વિવિધ દેશોના લોકો અને નેતાઓનો આભાર માનું છું જેઓ આ મુશ્કેલ સમયમાં આપણી સાથે ઉભા છે.)
ભારતે અત્યાર સુધી શું કર્યું છે ?
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતીય સુરક્ષા દળોએ એક હજારથી વધુ લોકોને ઓળખી કાઢ્યા છે જેઓ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતા અથવા આ પ્રવૃત્તિઓમાં સામેલ લોકોને મદદ કરી રહ્યા હતા. આ લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
કાશ્મીરમાં સર્ચ ઓપરેશન વધુ તીવ્ર બનાવવામાં આવ્યું છે. ઉધમપુરમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. હાલમાં ત્રણ આતંકવાદીઓ ઘેરાયેલા હોવાના સમાચાર છે.
પાકિસ્તાન વિરુદ્ધ પાંચ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે, કારણ કે આ આતંકવાદીઓને પાકિસ્તાન તરફથી સમર્થન મળતું હતું. (અટારી સરહદ બંધ કરી દેવામાં આવી છે. સિંધુ જળ સંધિ રદ કરવામાં આવી છે. બધા પાકિસ્તાની નાગરિકોને 48 કલાકની અંદર પાછા ફરવાનો આદેશ આપવામાં આવ્યો છે. પાકિસ્તાની નાગરિકોને વિઝા આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે અને હાઈ કમિશનમાં સ્ટાફની સંખ્યા 55 થી ઘટાડીને 30 કરવામાં આવી છે.)





















